પોરબંદરમાં તેલંગાણાની 500 કૂતરાઓની સામુહિક હત્યા સામે શાંતિપૂર્ણ કૅન્ડલ લાઇટ વિજિલ યોજાઈ : ઉદય કારાવદરા ચેરિટેબલ એન્ડ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો
ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર તાજેતરમાં તેલંગાણા રાજ્યમાં બનેલી એક અત્યંત દુઃખદ અને અમાનવીય ઘટનામાં લગભગ 500 નિર્દોષ સ્ટ્રીટ શ્વાનનો ક્રૂર રીતે હત્યાકાંડ કરવામાં આવ્યો. મળતી માહિતી અનુસાર આ બેજુબાન જીવોને ઝેર આપી આયોજનબદ્ધ રીતે મારી નાખવામાં આવ્યા, જે ભારતીય કાયદા તેમજ માનવતા બંનેના ઘોર ઉલ્લંઘન સમાન છે.આ નિર્દોષ પ્રાણીઓ ન તો કોઈ માટે જોખમરૂપ હતા,…
