Friday June 20, 2025

ખંભાળિયા પાલિકાની જગ્યામાં રહેલા મકાનમાં તોડપાડ ન કરવા અંગે વચગાળાના મનાઈ હુકમની અરજી નામંજૂર

જામ ખંભાળિયા, તા. ૧૨-૦૪-૨૦૨૫         ખંભાળિયા શહેરમાં નગરપાલિકાની હદમાં રેલવે સ્ટેશન નજીકના વિસ્તારમાં આવેલી વોર્ડ નંબર 5 માં આશરે 125 ચોરસ મીટર જેટલી જગ્યામાં ફાતમાબેન આદમ અને હસીનાબેન આદમ સંઘાર દ્વારા મકાન બનાવીને વર્ષ 1988-89 ની પહેલાની સાલથી તેમના પરિવાર સાથે રહેતા હતા. ઉપરોક્ત ચોક્કસ સર્વે નંબરની જગ્યા પર ગેરકાયદેસર રીતે મકાન […]

ખંભાળિયા: ફરજ નિવૃત્ત થયેલા પાલિકાના કર્મચારીઓને ચેકનું વિતરણ કરાયું

– 18 પૂર્વ કર્મચારીઓને રૂ. એક કરોડ જેટલી રકમ ચૂકવાતા રાહત –  જામ ખંભાળિયા, તા. ૦૩-૦૪-૨૦૨૫        ખંભાળિયા નગરપાલિકા કચેરીની જુદી જુદી શાખામાં ફરજ બજાવતાં અને થોડા સમય પૂર્વે વય નિવૃતિ પામેલા કાયમી તથા રોજમદાર કર્મચારીઓને તેઓના નિવૃતિ બાદના ગ્રેચ્યુઈટી, હક્ક રજાનું રોકડમાં રૂપાંતર વિગેરે જેવા નીકળતા હક્ક – હિસ્સાઓ ચુકવવા માટેનું આયોજન […]

ખંભાળિયામાં ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે બુધવારે ભરતી મેળો

જામ ખંભાળિયા, તા. ૦૭-૦૪-૨૦૨૫        દેવભૂમિ દ્વારકા જિલ્લા રોજગાર વિનિમય કચેરી, દ્વારા બુધવાર તારીખ 9 ના રોજ સવારે 10:30 વાગ્યે ખંભાળિયામાં આઈ.ટી.આઈ. કચેરી ખાતે નોકરીદાતાઓ તથા રોજગાર વાંચ્છુઓ વચ્ચે સેતુરૂપ ઔધોગિક ભરતી મેળો યોજાશે.         આ ઔધોગિક ભરતીમાં ખાનગી કંપનીના નોકરી દાતાઓને ખાલી જગ્યાઓ માટે માનવ બળની જરૂરિયાત હોય, જે અંતર્ગત […]

ખંભાળિયામાં રૂ. 78 કરોડથી વધુ રકમના વિકાસ કાર્યોનું કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે ખાતમુહૂર્ત

– ઓવરબ્રિજ, મોડલ ફાયર સ્ટેશન, રસ્તાઓ સહિતના કામોનું ખાતમુહૂર્ત – – શહેરીજનોની સવલતોમાં થશે વધારો –  જામ ખંભાળિયા, તા. ૦૯-૦૪-૨૦૨૫     ખંભાળિયાના ટાઉનહોલ ખાતે નગરપાલિકા વિસ્તારના અંદાજિત રૂ. 78 કરોડથી વધુ રકમના વિકાસકામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. અહીંના ધારાસભ્ય અને રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ તથા કલાઈમેટ ચેન્જ વિભાગના મંત્રી મુળુભાઈ બેરાના હસ્તેના […]

ખંભાળિયા તાલુકા પ્રા. શિક્ષણાધિકારીનો સન્માન કાર્યક્રમ યોજાયો

જામ ખંભાળિયા, તા. ૦૭-૦૪-૨૦૨૫     ખંભાળિયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત કલ્યાણપુર તાલુકાના નવનિયુકત તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દેવશીભાઈ કરમુરનો વિદાય સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મધુબેન ભટ્ટ, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ મેરામણભાઈ ગોરીયા, તાલુકા સંઘના પ્રમુખ જગદીશભાઈ ડેર, મહામંત્રી હિતેષભાઇ કરમુર, બી.આર.સી. પી.એસ. રાણા,જિલ્લા ઉપપ્રમુખ પરેશભાઈ ચાવડા, કે.ની. રામજીભાઈ, […]

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બાળલગ્નની માહિતી માટે હેલ્પલાઈન નંબર જાહેર

જામ ખંભાળિયા, તા. ૦૭-૦૪-૨૦૨૫        આગામી સમયમાં અક્ષય તૃતીયા (અખાત્રીજ)ના દિવસે રાજ્યમાં – વિવિધ સમાજોમાં અનેક લગ્ન યોજાતા હોય છે. જે સમયગાળા દરમ્યાન બાળલગ્નો થતાં અટકાવવાના આશયથી દેવભૂમિ દ્વારકા જિલ્લા બાળલગ્ન પ્રતિબંધક કચેરી દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે.        સમૂહ લગ્નોના આયોજકો, સામાજિક આગેવાનો, ગોર મહારાજ, લગ્ન કરાવનાર, રસોઈયા, […]

દેવભૂમિ દ્વારકા જિલ્લાના 21 ટાપુઓ પર પૂર્વ મંજૂરી વિના પ્રવેશ પર પ્રતિબંધ

જામ ખંભાળિયા, તા. ૩૦-૦૩-૨૦૨૫         દેવભૂમિ દ્વારકા જિલ્લો ભારતની પશ્વિમ આંતરરાષ્ટ્રીય સરહદે વિશાળ સાગરકાંઠો ધરાવતો અતિ સંવેદનશીલ જિલ્લો છે. જિલ્લામાં 24 ટાપુઓ આવેલા છે. જે ટાપુઓમાંથી માત્ર 2 ટાપુઓ પર માનવ વસતી વસવાટ કરે છે. જયારે 22 ટાપુઓ માનવ વસાહત રહિત છે. જે પૈકી નરારા ટાપુ માટે શરતોને આધિન પ્રાંત અધિકારી અને […]

કલ્યાણપુર પંથકમાં ભોગાત ગામે તંત્રનું ડિમોલીશન: રહેણાંક પર ફર્યું બુલડોઝર

જામ ખંભાળિયા, તા. ૩૦-૦૩-૨૦૨૫       કલ્યાણપુર વિસ્તારમાં સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા અસામાજિક તત્વો સામે હાથ ધરવામાં આવેલી કાર્યવાહીમાં ભોગાત ગામે 14 વિઘા જેટલી જમીન માં રહેલું દબાણ દૂર કરવામાં આવ્યું છે.      આ અંગે જાણવા મળતી વિગત મુજબ કલ્યાણપુર તાલુકામાં અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલા દબાણ અંગેના સરવે બાદ કલ્યાણપુર તાલુકા મામલતદારની […]

દ્વારકા ખાતે શ્રી કૃષ્ણ અને રુક્મિણીજીના ભવ્ય સત્કાર સમારોહ અન્વયે દ્વારકામાં ખાસ બેઠક યોજાઈ

– કૃષ્ણ અને રુકિમણીજીના વિવાહ સત્કાર સમારોહની તૈયારીઓની સમીક્ષા કરતા કલેકટર –  જામ ખંભાળિયા, તા. ૨૭-૦૩-૨૦૨૫      ભારતના ઉત્તર – પૂર્વ પ્રદેશો અને પશ્ચિમ ભારતના ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિના સમન્વયના અનુબંધનો ઉત્સવ માધવપુર ઘેડ મેળો આ વર્ષે તા. 6 એપ્રિલથી તા. 10 એપ્રિલ સુધી યોજાશે. ભગવાન શ્રી કૃષ્ણ રૂકમણીજી સાથે વિવાહ કરીને બારાત લઈને દ્વારકા […]

રાજ્ય આરોગ્ય વ્યવસ્થાઓને સર્વશ્રેષ્ઠ બનાવવા ગત્ વર્ષની તુલનાએ આ વર્ષના બજેટમાં ૧૬.૩૫ ટકા જેટલો વધારો કરાયો

………………….અમદાવાદ સિવિલ મેડિસીટીમાં ન્યુરોલોજીકલ સાયન્સની સ્વાયત સંસ્થા નિર્માણ પામશે, જે મગજ, નર્વસિસ્ટમ સંબંધિત રોગોની સારવાર અને સંશોધન માટે આશીર્વાદરૂપ બનશે – આરોગ્યમંત્રીશ્રી………………પ્રધાનમંત્રી જન આરોગ્ય-મા યોજના અંતર્ગત કાર્ડ અને સુવિધાને લગતી ફરિયાદ અને જાણકારી માટે રાજ્ય સરકારે 079-6644-0104 નંબર કાર્યરત કર્યો છે………………-: આરોગ્યમંત્રીશ્રી :-  ગુજરાત કેન્સર એન્ડ રીસર્ચ ઈન્સ્ટીટયુટ, અમદાવાદ દ્વારા કેન્સરના રોગોની સેવાઓ સુદ્રઢ […]

Back to Top