Headlines

ખંભાળિયા નજીકના હાઈવે માર્ગ પરના ઢાળિયાઓ સુવ્યવસ્થિત કરવા રજૂઆત

જામ ખંભાળિયા, તા. ૨૩-૦૩-૨૦૨૬        ખંભાળિયા તાલુકાના વાડીનારથી કુરંગા સુધી તાજેતરમાં નેશનલ હાઈવેનું નિર્માણ થવા પામ્યું છે. અહીં સર્વિસ રોડ, રાજમાર્ગ અને ગામમાં જતા રસ્તાઓને જોડવામાં આવે છે, તે સ્થળોએ જરૂરી ઢાળિયાઓ યોગ્ય રીતે બનાવવામાં આવ્યા ન હોવાની બૂમ ઊઠવા પામી છે.        બે અલગ અલગ રસ્તા અલગ અલગ રસ્તાઓના ઢાળિયાઓ…

Read More

ઓખા વિસ્તારમાં બે દાયકાથી માન્ય ડિગ્રી વગર મેડિકલ પ્રેક્ટિસ કરતો શખ્સ ઝબ્બે

જામ ખંભાળિયા, તા. ૨૦-૦૩-૨૦૨૬      ઓખા મંડળના આરંભડા તાબે ના ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા લલિતકુમાર ગોરધનભાઈ જીવરાજભાઈ રાબડીયા નામના 49 વર્ષના શખ્સ દ્વારા તબીબી પ્રેક્ટિસ માટે માન્યતા પ્રાપ્ત ડિગ્રી વગર લોકોની તબીબી સારવાર કરતો હોવાની બાતમી એસ.ઓ.જી. વિભાગના એ.એસ.આઈ. અશોકભાઈ સવાણી અને હરદાસભાઈ મોવરને મળતા આ અંગે ઓખાના ભુંગા વિસ્તારમાં પ્રજાપતિ સમાજની વાડીની પાસે પોતાની…

Read More

ખંભાળિયામાં આવતી કાલે સોમવારે ગિરનાર ધ્યાનસભાનું આયોજન

– જાણીતા વક્તા વિનલ જોશી રાયપુરથી ઉપસ્થિત રહેશે – જામ ખંભાળિયા, તા. ૨૧-૦૩-૨૦૨૬        શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે મહત્વની સનાતન સાધના પદ્ધતિ અંતર્ગત ધ્યાન અંગેની ગિરનાર ધ્યાનસભાનું આયોજન ખંભાળિયામાં આગામી સોમવાર તારીખ 23 મી ના રોજ કરવામાં આવ્યું છે.        અહીંના રેલ્વે સ્ટેશન રોડ પર મુન્દ્રા હોસ્પિટલની સામે આવેલા સ્ટાર…

Read More

કામ ફાવતું ન હોવાથી દ્વારકામાં પરપ્રાંતિય તરુણનો આપઘાત

જામ ખંભાળિયા, તા. ૨૧-૦૩-૨૦૨૬        બિહાર રાજ્યના નાલંદા વિસ્તારના મૂળ રહીશ મનીષકુમાર અરુનપ્રસાદ યાદવ નામના 16 વર્ષના તરુણ થોડા સમય પૂર્વે દ્વારકામાં તેના મામાના દિકરા સાથે એક કેફેમાં રસોઈનું કામ શીખવા આવ્યો હતો. અહીં તેને કામ બરાબર આવતું ન હોવાથી તેને પોતાના વતનમાં પોતાના ઘરે જવું હતું. જેથી કામના ટેન્શનમાં તેણે ગુરુવારે રાત્રિના…

Read More

અવસાન નોંધ : જામ ખંભાળિયા

જામ ખંભાળિયા, તા. ૨૧-૦૩-૨૦૨૬ અવસાન નોંધ  જામ ખંભાળિયા: વૈધ જે.પી. પોપટ વાળાના જયેષ્ઠ પુત્ર જેન્તીલાલ જેઠાલાલ પોપટ (ઉ.વ. ૭૯) તે અનીલભાઈ (ડાયાભાઈ) તથા ભરતભાઈ તેમજ હેતલબેન રાકેશકુમાર પાબારીના પિતાશ્રી તેમજ વિજયભાઈ, હર્ષદભાઈ, હરેશભાઈ અને પંકજભાઈના મોટાભાઈ તથા સ્વ. ગોકલદાસ ખીમજીભાઈ રાયચુરા (રાવલ વાળા)ના જમાઇ તા. ૨૧ ના રોજ અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તથા સ્વસુર…

Read More

ખંભાળિયા પંથકમાં વંટોળિયા સાથે વરસાદી છાંટા વરસ્યા

ખંભાળિયા પંથકમાં વંટોળિયા સાથે વરસાદી છાંટા વરસ્યા – ધૂળનું સામ્રાજ્ય છવાયું: વાતાવરણ ઠંડુ બન્યું – જામ ખંભાળિયા, તા. ૧૯-૦૩-૨૦૨૬      ખંભાળિયા પંથકમાં આજે હવામાન વિભાગની આગાહી મુજબ જુદા જુદા વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો હતો. સાથે કમોસમી વરસાદી છાંટાથી જનજીવન પ્રભાવિત બન્યું હતું.         ખંભાળિયા શહેર તથા તાલુકામાં આજે સવારથી ઉષ્ણતામાનનો પારો…

Read More

એલ.પી.જી.ની સમસ્યા હળવી થશે: વાડીનાર બંદરે 46,500 મેટ્રિક ટન એલ.પી.જી.નો જથ્થો ઉતર્યો : દેશના અન્ય ભાગોમાં વિતરણ અંગે કરવામાં આવેલી કામગીરી

જામ ખંભાળિયા, તા. ૧૭-૦૩-૨૦૨૬       અમેરિકા-ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધના પગલે ગુજરાત સહિત સમગ્ર ભારતમાં રાંધણ ગેસની વ્યાપક અછત સર્જાઈ છે. આ પરિસ્થિતિમાં મુન્દ્રા પોર્ટ ખાતે એલ.પી.જી. ગેસના વિશાળ જથ્થા સાથે ગઈકાલે એક જહાજ લાંગર્યા બાદ આજરોજ ખંભાળિયા તાલુકાના વાડીનાર બંદર ખાતે પણ “નંદાદેવી” જહાજ મારફતે આશરે 47,000 મેટ્રિક ટન…

Read More

બેહ ગામે ચાલતા જુગારધામ પર એલસીબી પોલીસ ત્રાટકી : મહિલાઓ સહિત પાંચ ઝબ્બે, એક ફરાર

– મહિલાઓ સહિત પાંચ ઝબ્બે, એક ફરાર – જામ ખંભાળિયા, તા. ૧૮-૦૩-૨૦૨૬      ખંભાળિયા વિસ્તારમાં એલ.સી.બી. પી.આઈ. બી.જે. સરવૈયાના વડપણ હેઠળ પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી તેમજ તેમની ટીમ દ્વારા ગત સાંજે હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એ.એસ.આઈ. ડાડુભાઈ જોગલ અને ખીમાભાઈ કરમુરને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયા તાલુકાના બેહ ગામે સિમ વિસ્તારમાં રહેતા સાજણ ભારા…

Read More

દ્વારકાના બાટીસા અને ભાણવડ તાલુકાના શિવા ગામે કાલે સેવા સેતુ કાર્યક્રમ

જામ ખંભાળિયા, તા. ૧૨-૦૩-૨૦૨૬        દ્વારકા તાલુકાના બાટીસા પ્રાથમિક શાળા ખાતે આવતીકાલ શુક્રવાર તા. 13 ના રોજ સવારના 9 વાગ્યાથી સાત ગામોના કલસ્ટરનો સેવા સેતુ કાર્યક્રમ યોજાશે. જેમાં ગઢેચી, ગોરીયારી, બાટીસા, મૂળવેલ, નાગેશ્વર, રાંગાસર ગામનો સમાવેશ થશે.      આ જ રીતે ભાણવડ તાલુકાના શિવા પ્રાથમિક શાળા ખાતે આવતીકાલે શુક્રવારે ૧૨ ગામોના કલસ્ટરનો…

Read More

કલ્યાણપુરના ભાટિયા ગામે રેલ કર્મચારીના રહેણાંક મકાનમાં ઘરફોડ ચોરી

જામ ખંભાળિયા, તા. ૧૧-૦૩-૨૦૨૬       કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે રહેતા અને રેલવે વિભાગમાં નોકરી કરતા રામદેભાઈ ઉર્ફે રામદેવ આલાભાઈ ચાવડા (ઉ.વ. 31) નામના યુવાન તેમના પરિવારના સભ્યો સાથે એક લગ્ન પ્રસંગમાં પોતાનું ઘર બંધ કરીને ગયા હતા. ત્યારે ગત તા. 8 માર્ચથી તા. 9 માર્ચ સુધીના સમયગાળા દરમિયાન કોઈ તસ્કરોએ તેમના ઘરમાં પ્રવેશ…

Read More