Headlines

અવસાન નોંધ /જામનગર

જામનગર: સ્વ. જમનાદાસ હરીદાસ બથીયાના પુત્ર સ્વ. મયુરકુમાર જમનાદાસ બથીયા (લાંબા વાળા, હાલ જામનગર) (ઉ.વ. 61), તે સ્વ. અરવિંદભાઈના નાનાભાઇ, ભાવેશભાઈના મોટા ભાઈ, તથા રંજનબેન ભરતભાઈ દતાણી અને હિનાબેન નિલેશકુમાર મજીઠીયાના ભાઈ તથા કૃપા ઋત્વિજ સોનેચા, માનસી દર્શન માણેક, ધવલના પિતા તેમજ સ્વ. હરિદાસ નાનજીભાઇ ગોકાણી ભાટિયાના જમાઈ મંગળવાર તા. 10 ના રોજ અવસાન પામ્યા…

Read More

ખંભાળિયામાં જિલ્લાના સંગઠનના નવનિયુક્ત પ્રભારી પુનિતભાઈ શર્માની મુલાકાત : જિલ્લા મહામંત્રી રાજુભાઈ સરસિયાની ખાસ ઉપસ્થિતિ

જામ ખંભાળિયા, તા. ૦૭-૦૩-૨૦૨૬        ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંગઠન પ્રભારી તરીકે તાજેતરમાં નિમણૂક પામેલા તથા જૂનાગઢ જિલ્લાના આગેવાન પુનિતભાઈ શર્મા જિલ્લાના પ્રથમ પ્રવાસે આવ્યા હતા. આ દરમિયાન આજરોજ ખંભાળિયામાં અહીંના પૂર્વ જિલ્લા મહામંત્રી અને સતવારા સમાજના યુવા આગેવાન રસિકભાઈ નકુમના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા.        …

Read More

બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિનું ગૌરવ: ખંભાળિયાની તેજસ્વી વિદ્યાર્થીની સારંગી ભૂત નાની ઉંમરે સી.એ. ફાઇનલમાં થ્રુઆઉટ ઉતીર્ણ

જામ ખંભાળિયા, તા. ૦૭-૦૩-૨૦૨૬        ખંભાળિયાના બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિના જાણીતા વેપારીની પુત્રીએ સી.એ. ફાઇનલમાં થ્રુઆઉટ ઉતીર્ણ થઈને નાની ઉંમરે સી.એ.ની ડિગ્રી હાંસિલ કરીને બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિનું ગૌરવ વધાર્યું છે.      ખંભાળિયાના જુના અને જાણીતા જલારામ બાંધણી વાળા બ્રહ્મક્ષત્રિય સ્વ. મુકેશભાઈ ભૂતની પૌત્રી તથા પુનિતભાઈ અને પૂર્વીબેન ભૂતની સુપુત્રી સારંગી ભૂતએ જાન્યુઆરી 2026 માં લેવામાં…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ તા. 25 માર્ચના રોજ યોજાશે

જામ ખંભાળિયા, તા. ૦૭-૦૩-૨૦૨૬       લોકોના પ્રશ્નો, ફરિયાદો કે રજૂઆતો સ્થાનિક કક્ષાએ જ અસરકારક અને ન્યાયપૂર્ણ રીતે હલ રીતે થઈ શકે તે હેતુથી જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા કક્ષાનો માર્ચ માસનો સ્વાગત કાર્યક્રમ તા. 25 માર્ચના રોજ સવારે 11 વાગ્યે ખંભાળિયામાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાશે.       આ…

Read More

ખંભાળિયા પોલીસની કડક કાર્યવાહી: 15 જેટલા વાહનો ડીટેઈન

જામ ખંભાળિયા, તા. ૦૭-૦૩-૨૦૨૬       ખંભાળિયા પોલીસે ગત મોડી રાત્રે ટ્રાફિક અંગેની કાર્યવાહી કરી, એક સાથે 15 જેટલા વાહનો ડીટેઈન કર્યા હતા.       જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયા પંથકમાં વાહન ચાલકો દ્વારા નિયમોનું ઉલ્લંઘન ન કરાય તે હેતુથી જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ ખંભાળિયા પોલીસ સ્ટાફની ટીમ દ્વારા ગઈકાલે…

Read More

ખંભાળિયામાં મંગળવારે પાલિકા કક્ષાનો સેવાસેતુ કાર્યક્રમ

ખંભાળિયામાં મંગળવારે પાલિકા કક્ષાનો સેવાસેતુ કાર્યક્રમ જામ ખંભાળિયા, તા. ૦૭-૦૩-૨૦૨૬       ખંભાળિયા નગરપાલિકા વિસ્તારમાં પ્રજાની વ્યક્તિલક્ષી રજૂઆતોના ઉકેલની ઝડપ વધે તે માટે નગરપાલિકા કક્ષાએ અગિયારમાં તબક્કાનો “સેવાસેતુ” કાર્યક્રમ (શહેરી) આગામી મંગળવાર તા. 10 ના રોજ સવારે 9 વાગ્યે અહીંના મ્યુ. ગાર્ડનમાં આવેલ નગરપાલિકા યોગ કેન્દ્ર ખાતે યોજવામાં આવ્યો છે.     આ સેવાસેતુ…

Read More

દંપતિ વચ્ચે મનમેળના અભાવે છૂટાછેડાની વાતથી વ્યથિત આદિત્યાણાના યુવાને આપઘાત કર્યો

જામ ખંભાળિયા, તા. ૦૭-૦૩-૨૦૨૬ ખંભાળિયા, ઓખામાં હૃદયરોગના હુમલાએ બેનો ભોગ લીધો       ખંભાળિયા તાલુકાના કુવાડીયા ગામના પાટીયા પાસે આવેલી એક શાળામાં રાજેશભાઈ ભીખાભાઈ ઓડીચ (ઉ.વ. 49) ને ઝાડમાં પાણી પીવડાવતી વખતે અચાનક છાતીમાં દુખાવો ઉપડતા તેમને મૂર્છિત હાલતમાં અહીંની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમને આવેલા હૃદયરોગના હુમલાના કારણે તેમનું મૃત્યુ થયાનું તબીબોએ…

Read More

ખંભાળિયા નજીક માર્ગ અકસ્માતમાં વૃદ્ધનું મોત નીપજાવનાર કાર ચાલક ઝબ્બે

જામ ખંભાળિયા, તા. ૦૬-૦૩-૨૦૨૬      ખંભાળિયા – જામનગર ધોરીમાર્ગ પર અત્રેથી આશરે 11 કિલોમીટર દૂર દાતા ગામની ગોલાઇ પાસેથી પસાર થઈ રહેલા 60 વર્ષના એક અજાણ્યા વૃદ્ધને આ માર્ગ પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા એક મોટરકારના ચાલકે ઠોકર મારતા તેમનું મૃત્યુ નિપજ્યું હોવાનું બનાવ પોલીસ ચોપડે નોંધાયો હતો.        અકસ્માત સર્જીને…

Read More

ખંભાળિયામાં રૂ. 21 કરોડથી વધુના વિવિધ કામોનું થયું લોકાર્પણ તથા ખાત મુહૂર્ત કરાયું

– સાંસદ, ધારાસભ્ય મહાનુભાવોની ખાસ ઉપસ્થિતિ – જામ ખંભાળિયા, તા. ૦૬-૦૩-૨૦૨૬      ખંભાળિયા નગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા સમયથી અવિરત રીતે વિકાસ કાર્યો તેમજ નગરજનોને પાયાની તમામ જરૂરિયાતો મળી રહે તે માટે કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે ખંભાળિયામાં રૂ. 21 કરોડથી વધુની કિંમતના જુદા જુદા કામોના લોકાર્પણ તથા ખાત મુહૂર્ત ગઈકાલે ગુરુવારે કરવામાં આવ્યું…

Read More

ખંભાળિયામાં રવિવારે વિના મૂલ્યે નેત્રયજ્ઞ

જામ ખંભાળિયા, તા. ૦૬-૦૩-૨૦૨૬       ખંભાળિયાની સંસ્થા એલ.પી. બદીયાણી હોસ્પિટલના ઉપક્રમે માનવસેવા સમિતિ તથા લાયન્સ ક્લબ દ્વારા આગામી રવિવાર તા. 8 માર્ચના રોજ અત્રે લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે સવારે 9 થી 11 વાગ્યા સુધી વિના મૂલ્યે નેત્ર નિદાન, સારવાર તથા શસ્ત્રક્રિયા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.        યુ.કે.ના દાતા રંજનાબેન ચંદ્રવદન…

Read More