જામ ખંભાળિયા, તા. ૨૪-૦૩-૨૦૨૫ ખંભાળિયા પંથકમાં સ્થાનિક ગુના શોધક શાખાના પોલીસ સ્ટાફ દ્વારા દારૂ, જુગાર સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત એલસીબી પી.આઈ. કે.કે. ગોહિલની સૂચના મુજબ પી.એસ.આઈ. એ.એલ. બારસીયા તેમજ બી.એમ. દેવમુરારીની ટીમ દ્વારા રવિવારે હાથ વધારવામાં આવેલી કામગીરી અંતર્ગત એલ.સી.બી.ના એ.એસ.આઈ. સજુભા જાડેજા, ડાડુભાઈ […]
Category: JAM KHABHALIYA
ખંભાળિયાના વિંઝલપર ગામે રોકડ રકમની ચોરી પ્રકરણમાં આરોપી ઝબ્બે
જામ ખંભાળિયા, તા. ૨૪-૦૩-૨૦૨૫ ખંભાળિયા તાલુકાના વિંઝલપર ગામે રહેતા કાનાભાઈ રાણાભાઈ કરમુર નામના વેપારીની માધવ એગ્રો નામની દુકાનમાં ગત તારીખ 21 માર્ચના રોજ રાત્રિના સમયે કોઈ તસ્કરોએ પ્રવેશ કરી અને દુકાનનો પાછળનો દરવાજો ખોલી અને દુકાનના કાઉન્ટરના ટેબલના ખાનામાં રાખવામાં આવેલા રૂપિયા 44 હજારની રોકડ રકમની ચોરી થયાની ધોરણસર ફરિયાદ ખંભાળિયા […]
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જુદા જુદા સ્થળોએ પોલીસની સધન કાર્યવાહી: વાહનો ડીટેઇન
– 22 વીજ જોડાણો દૂર કરાયા: 14 લાખના દંડ ફટકારાયા – જામ ખંભાળિયા, તા. ૨૪-૦૩-૨૦૨૫ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી અસામાજિક તત્વો પર તવાઈ કરવામાં આવી રહી છે. જેમાં ખાસ કરીને બુટલેગરો તેમજ વિવિધ પ્રકારે ન્યુસન્સ ફેલાવતા શખ્સો સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવે છે. આ પોલીસ […]
કલ્યાણપુરના હર્ષદ ખાતે મંદિર પરિસરના વિકાસકાર્યોનું ખાત મુહૂર્ત કરાયું
– પ્રથમ ફેઝમાં રૂ. 8 કરોડથી વધુ રકમના ખર્ચે વિવિધ નિર્માણ કાર્યો કરાશે – જામ ખંભાળિયા, તા. ૨૩-૦૩-૨૦૨૫ કલ્યાણપુર તાલુકાના ગાંધવી (હર્ષદ) ખાતે આશરે રૂ. આઠ કરોડથી વધુ રકમ ખર્ચે “હર્ષદ માતા મંદિર પરિસર”ના વિકાસ કામગીરીના ફેઝ- 1નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ ખાત મુહૂર્ત […]
સલાયા, ઓખા વિસ્તારમાં પોલીસની સધન કાર્યવાહી: વાહનો ડીટેઇન
– દસ વીજ જોડાણો દૂર કરાયા: સવા આઠ લાખના દંડ ફટકારાયા – જામ ખંભાળિયા, તા. ૨૩-૦૩-૨૦૨૫ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી અસામાજિક તત્વો પર તવાઈ કરવામાં આવી રહી છે. જેમાં ખાસ કરીને બુટલેગરો તેમજ વિવિધ પ્રકારે ન્યુસન્સ ફેલાવતા શખ્સો સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવે છે. આ […]
ખંભાળિયામાં આગામી રવિવારથી શ્રીમદ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન
જામ ખંભાળિયા, તા. ૨૩-૦૩-૨૦૨૫ ખંભાળિયામાં જડેશ્વર રોડ ઉપર આવેલી જડેશ્વર હાઉસિંગ સોસાયટી ખાતે આગામી રવિવાર તારીખ 30 માર્ચથી શનિવાર તારીખ 5 એપ્રિલ સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ (સમૂહ સપ્તાહ)નું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. શ્રી જડેશ્વર હાઉસિંગ સોસાયટી દ્વારા આયોજિત આ સમૂહ સપ્તાહમાં વ્યાસપીઠ પર જાણીતા શાસ્ત્રી શ્રી ચિરાગભાઈ […]
ભાણવડમાં રૂ. પોણા ચાર કરોડના ખર્ચે સરકારી તાલુકા પુસ્તકાલયનું ખાતમુહૂર્ત
જામ ખંભાળિયા, તા. ૨૩-૦૩-૨૦૨૫ ભાણવડમાં દરબારગઢ ખાતે રૂ. 3.78 કરોડના ખર્ચે નિર્માણ થનાર સરકારી તાલુકા પુસ્તકાલયનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. હાલમાં ભાણવડમાં સરકારી તાલુકા પુસ્તકાલયનું તાલુકા સેવા સદન ખાતે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અહીંના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે ખાત મુહૂર્ત બાદ તેમણે જણાવ્યું […]
દ્વારકામાં ગુરુવારથી શરૂ થનારા 11 દિવસીય 108 કુંડી મહા વિષ્ણુયાગ યજ્ઞની ચાલતી તડામાર તૈયારીઓ
જામ ખંભાળિયા, તા. ૨૪-૦૩-૨૦૨૫ તીર્થભૂમિ દ્વારકાના મોરબી હાઉસ ગ્રાઉન્ડ ખાતે આગામી ગુરૂવાર તા. 27 થી તા. 6 એપ્રિલ દરમિયાન વીર શહીદોની સ્મૃતિમાં 11 દિવસીય 108 કુંડ મહા વિષ્ણુયાગ યજ્ઞનું ભવ્ય આયોજન કરાયું છે. જેની તડામાર તૈયારીઓ હાલમાં જોરશોરથી ચાલી રહી છે. આ અંગે પ્રખ્યાત સંત બાલક યોગેશ્વર […]
લલિતકલા અકાદમી દ્વારા આયોજિત ચિત્ર પ્રદર્શનમાં નગરના સ્થાપત્યોને ચિત્રકારોએ કેનવાસ પર કંડાર્યા
કુંજન રાડિયા, જામનગર, તા. ૨૪-૦૩-૨૦૨૫ ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગરના હેઠળની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા રાજય કલા સ્પર્ધામાં ચિત્રકામ વિભાગમાં વિજેતા થયેલ કલાકારોના ચિત્રોનું શહેરના ટાઉન હોલ ખાતે પ્રદર્શન યોજવામાં આવ્યુ હતું.તા. 22 અને 23 માર્ચના બે દિવસ યોજાયેલા આ પ્રદર્શનનો બહોળી સંખ્યામાં જામનગરવાસીઓએ લાભ […]
વૈશ્વિક ઉત્સર્જનોમાં અસંતુલન હોવા છતાં ક્લાઈમેટ એક્શન માટે ભારતની વધતી જતી પ્રતિબદ્ધતા: પરિમલ નથવાણી
જામ ખંભાળિયા, તા. ૨૪-૦૩-૨૦૨૫ (કુંજન રાડિયા દ્વારા) વિશ્વમાં વધતા જતા ઉષ્ણતામાનની સમસ્યા આજે સૌથી મહત્ત્વપૂર્ણ વૈશ્વિક ચિંતાઓમાંની એક છે, જેના માટે મુખ્યત્વે વિકસિત દેશો દ્વારા વધતાં જતાં ઉત્સર્જનો કારણભૂત છે. ભારત વિશ્વની 17 ટકા કરતાં વધુ જનસંખ્યા ધરાવે છે, અને તેમ છતાં વૈશ્વિક ગરમી વિરુદ્ધની લડાઈમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે, ઐતિહાસિક […]
