Headlines

પાંચ વર્ષમાં ગુજરાતમાંથી નેશનલ હાઇવે પર રૂ. 20,383 કરોડનો ટોલ વસૂલવામાં આવ્યો

– રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીને રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવે મંત્રીનો ઉત્તર – જામ ખંભાળિયા, તા. ૧૨-૦૩-૨૦૨૬ (કુંજન રાડિયા)        કેન્દ્ર સરકારે છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાંથી પસાર થતા નેશનલ હાઇવે પરથી રૂ. 20,383 કરોડનો ટોલ વસૂલ્યો છે. કેન્દ્ર સરકારે આ પાંચ વર્ષ દરમિયાન ગુજરાતના નેશનલ હાઈવેના વિકાસ અને જાળવણી માટે રૂ. 47,236 કરોડની ફાળવણી…

Read More

સોલાર પાર્ક અને અલ્ટ્રા મેગા સોલાર પાવર પ્રોજેક્ટ્સ વિકાસ” યોજના હેઠળ 12,150 મેગાવોટ ક્ષમતા સાથે ગુજરાત પ્રથમ ક્રમે

“સોલાર પાર્ક અને અલ્ટ્રા મેગા સોલાર પાવર પ્રોજેક્ટ્સ વિકાસ” યોજના હેઠળ 12,150 મેગાવોટ ક્ષમતા સાથે ગુજરાત પ્રથમ ક્રમે – નવી અને નવીનીકરણીય ઊર્જા સંદર્ભે રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીને પ્રત્યુત્તર – જામ ખંભાળિયા, તા. ૧૧-૦૩-૨૦૨૬ (કુંજન રાડિયા દ્વારા)       ભારત સરકારે 28 ફેબ્રુઆરી સુધીમાં “સોલાર પાર્ક અને અલ્ટ્રા-મેગા સોલાર પાવર પ્રોજેક્ટ્સ વિકાસ” યોજના હેઠળ…

Read More

ખંભાળિયામાં મહિલા દિન નિમિતે યોજાયેલા વિશિષ્ટ કાર્યક્રમમાં મહિલાઓને કરાયા પુરસ્કૃત 

– જિલ્લા મહિલા મોરચા દ્વારા પ્રથમ વખત પ્રેરણારૂપ આયોજન – જામ ખંભાળિયા, તા. ૦૯-૦૩-૨૦૨૬      ખંભાળિયામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે દેવભૂમિ દ્વારકા જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ રચનાબેન મોટાણી અને મહામંત્રી લીલાબેન લેહરુ તથા દિપ્તીબેન કણજારીયાના વડપણ હેઠળ જિલ્લા ભાજપના માર્ગદર્શન હેઠળ અહીંના જિલ્લા ભાજપ કાર્યાલય “દ્વારકેશ કમલમ” ખાતે “મહિલા સન્માન” કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં…

Read More

ભાણવડ સરકારી હોસ્પિટલને મળી નવી એમ્બ્યુલન્સની ભેટ

જામ ખંભાળિયા, તા. ૦૯-૦૩-૨૦૨-        દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આરોગ્ય સુવિધાઓનો સતત વિકાસ થઈ રહ્યો છે. ભાણવડ તાલુકા આરોગ્ય તંત્રને નવી બેઝિક લાઈફ સપોર્ટ સુવિધાયુક્ત એમ્બ્યુલન્સની ભેટ મળી છે. પાવરિકા કંપની દ્વારા સી.એસ.આર. અંતર્ગત અપાયેલી આ એમ્બ્યુલન્સને સાંસદ પુનમબેન માડમ તથા ધારાસભ્ય મુળુભાઈ બેરા દ્વારા ભાણવડ કન્યા શાળા ખાતેથી જનસેવા માટે સમર્પિત કરવામાં આવી…

Read More

સમગ્ર રાજ્ય સાથે ખંભાળિયાની નગરપાલિકામાં પણ આજથી વહીવટદાર શાસન

– વિવિધ નીતિવિષયક નિર્ણયોમાં મામલતદારનો હસ્તક્ષેપ – જામ ખંભાળિયા, તા. ૧૦-૦૩-૨૦૨૬      રાજ્યની જુદી જુદી 71 નગરપાલિકાઓમાં કાર્યરત વર્તમાન બોડીની મુદ્દત પૂર્ણ થતા સરકાર દ્વારા આજથી રાજ્યની આ 71 નગરપાલિકાઓમાં વહીવટદારની નિયુક્તિ કરવામાં આવી છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા તથા રાવલ નગરપાલિકામાં પણ હવેથી વહીવટદારનું શાસન રહેશે.       ખંભાળિયા નગરપાલિકાની…

Read More

યાત્રાધામ દ્વારકા ભક્તિભાવથી છલકાયું : 1000થી વધુ કુમારીકાઓમાં પ્રાગટ્યું રાંદલ માતાજીનું દિવ્ય સ્વરૂપ

જામ ખંભાળિયા, તા. ૦૯-૦૩-૨૦૨૬      યાત્રાધામ દ્વારકામાં કકળાશ કુંડ પાસે આવેલ શ્રી રાંદલ માતાજીના મંદિરે યોજાયેલા ભવ્ય વૈશ્વિક રાંદલ મહોત્સવમાં ભક્તિનો વિરાટ અને અદભુત નજારો જોવા મળ્યો હતો. આ અનોખા પ્રસંગે 1000થી વધુ કુમારીકાઓએ રાંદલ માતાજીનું સ્વરૂપ ધારણ કરી ભક્તોને દિવ્ય દર્શન આપ્યા હતા. આ આધ્યાત્મિક અને અલૌકિક દ્રશ્યે હજારો ભક્તોના હૃદયને ભાવવિભોર કરી…

Read More

કૂવો ગાળતા માથા પર પથ્થર પડ્યો: નાના આંબલાના યુવાનનું અપમૃત્યુ

જામ ખંભાળિયા, તા. ૧૦-૦૩-૨૦૨૬    ખંભાળિયા તાલુકાના નાના આંબલા ગામે રહેતા ઈરફાન ઉર્ફે યાસીન દાઉદભાઈ નામના 35 વર્ષના સંધી મુસ્લિમ યુવાન ગત તારીખ 4 માર્ચના રોજ એક વાડીએ કુવો ગાળવાનું કામ કરી રહ્યા હતા. ત્યારે કોઈ કારણોસર ઉપરથી તેમના માથા પર પથ્થર પડતા તેમને વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર…

Read More

ખંભાળિયા કીચડમાં ખાબકેલા સ્વાનનું રેસ્ક્યુ કરાયું

ખંભાળિયા કીચડમાં ખાબકેલા સ્વાનનું રેસ્ક્યુ કરાયું જામ ખંભાળિયા, તા. ૦૯-૦૩-૨૦૨૬      ખંભાળિયા શહેરના હર્ષદપુર વિસ્તારમાં ખાણ પાસે આવેલી વેલ અને કચરાથી ભરેલી કીચડભરી ખાડીમાં એક અંધ શ્વાન પડી જતાં મુશ્કેલીમાં મુકાઈ ગયું હતું. ઘટનાની જાણ થતા એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટના કાર્યકરો તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા.        કાર્યકરો દ્વારા લાંબી પ્રતીક્ષા…

Read More

ન્યૂઝીલેન્ડની સામે ભારતીય ક્રિકેટ ટીમની જીતથી ખંભાળિયામાં જશ્નનો માહોલ

જામ ખંભાળિયા, તા. ૦૯-૦૩-૨૦૨૬       અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રવિવારે ખૂબ જ રસાકસીભરી યોજાઈ ગયેલી ટી- 20 ક્રિકેટ મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને નોંધપાત્ર રનથી હરાવીને વિશ્વ કપ કબજે કરતા સમગ્ર દેશ સાથે ખંભાળિયામાં પણ ઉત્સાહ અને ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો.       સમગ્ર દેશમાં ઉત્તેજનાસભર બની ગયેલા ગઈકાલના ભારત – ન્યૂઝીલેન્ડ…

Read More

અવસાન નોંધ /જામનગર

જામનગર: સ્વ. જમનાદાસ હરીદાસ બથીયાના પુત્ર સ્વ. મયુરકુમાર જમનાદાસ બથીયા (લાંબા વાળા, હાલ જામનગર) (ઉ.વ. 61), તે સ્વ. અરવિંદભાઈના નાનાભાઇ, ભાવેશભાઈના મોટા ભાઈ, તથા રંજનબેન ભરતભાઈ દતાણી અને હિનાબેન નિલેશકુમાર મજીઠીયાના ભાઈ તથા કૃપા ઋત્વિજ સોનેચા, માનસી દર્શન માણેક, ધવલના પિતા તેમજ સ્વ. હરિદાસ નાનજીભાઇ ગોકાણી ભાટિયાના જમાઈ મંગળવાર તા. 10 ના રોજ અવસાન પામ્યા…

Read More