Sunday June 22, 2025

દ્વારકામાં ફુલડોલનો ઉત્સાહ: ભાવિકોનો મહેરામણ છલકાયો

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૩-૦૩-૨૦૨૫            યાત્રાધામ દ્વારકામાં ફુલડોલ મનાવવા આવી પહોંચેલા ભાવિકોની ભીડમાં કાળિયા ઠાકોર સંગ ફુલડોલ મનાવવાનો ઉત્સાહ ચરમસીમાએ જોવા મળી રહયો છે ત્યારે દ્વારકાધીશ મંદિરના નિજ મંદિરમાં હોળાષ્ટકના સ્થાપનથી આજસુધી ભગવાન દ્વારકાધીશજીની સન્મુખ આરતીમાં શ્રુંગાર આરતી તથા સાંજે સંધ્યા આરતીમાં ભગવાન દ્વારકાધીશજીને હજારો ભાવિકોની ઉપસ્થિતિમાં અબીલ ગુલાલની […]

ફૂલડોલ ઉત્સવને “ઝીરો વેસ્ટ” બનાવવાના દ્વારકા જિલ્લા પ્રશાસન સક્રિય

જામ ખંભાળિયા, તા. ૧૨-૦૩-૨૦૨૫      યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશ મંદિર ખાતે ફૂલડોલ ઉત્સવ ઉજવવા માટે શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા ભગવાનશ્રી દ્વારકાધીશ સંગ હોળી મનાવવા માટે જઈ રહ્યા છે. ત્યારે રસ્તામાં સામાજિક સંસ્થાઓ, એન.જી.ઓ, જિલ્લા પોલીસ સહિતના દ્વારા વિવિધ સેવા કૅમ્પો ઉભા કરવામાં આવ્યા હતા.       પદયાત્રીઓને […]

ખંભાળિયા નગરપાલિકાની આજે સામાન્ય સભા: બજેટ, વિકાસ કાર્યો, કરવેરા સહિતના મુદ્દાઓ એજન્ડામાં

– –  જામ ખંભાળિયા, તા. ૧૨-૦૩-૨૦૨૫       ખંભાળિયા નગરપાલિકાની આગામી જનરલ બોર્ડની બેઠક આવતીકાલે ગુરુવાર તા. 13 ના રોજ સવારે 11 વાગ્યે નગરપાલિકા કચેરીના સભાગૃહ ખાતે પાલિકા પ્રમુખ રચનાબેન મોટાણીના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી છે.      આ બેઠકમાં આગામી વર્ષ 2025-26નું બજેટ મંજૂર કરવા, પાલિકાના બાકી વીજ બિલની રકમ ચૂકવવા, નગરપાલિકાના વિવિધ […]

અવસાન નોંધ : જામ ખંભાળિયા

જામ ખંભાળિયા, તા. ૧૨-૦૩-૨૦૨૫ જામ ખંભાળિયા: વાણંદ કિશોરભાઈ મગનલાલ મારુ (ઉ.વ. 75) તે ધનસુખભાઈ અને સ્વ. જીતેન્દ્રભાઈના મોટાભાઈ તથા સાગરભાઈના પિતાશ્રી તેમજ અનિલભાઈ, જતીનભાઈ મિલનભાઈ અને પાર્થભાઈના અદા તારીખ 10 ના રોજ અવસાન પામ્યા છે. તેમનું બેસણું ગુરૂવાર તારીખ 13 ના રોજ સાંજે સાડા ચાર થી પાંચ અત્રે રામનાથ મંદિરે રાખવામાં આવેલ છે. તેમની ઉત્તરક્રિયા […]

જામનગરની સિવિલ હોસ્પિટલમાં જન ઔષધિ દિવસની ઉજવણી કરાઈ

જામ ખંભાળિયા, તા. ૧૧-૦૩-૨૦૨૫         જામનગરમાં આવેલી સિવિલ હોસ્પિટલ ખાતે સ્થિત ઇન્ડીયન રેડક્રોસ સંચાલિત પ્રધાન મંત્રી ભારતીય જન ઔષધી કેન્દ્ર સીવિલ હોસ્પિટલ જામનગરમાં જન ઔષધિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.         વર્તમાન સમયમાં આરોગ્ય અને દવાઓનો ખર્ચ સામાન્ય નાગરિકો માટે ચિંતાનું કારણ બનવા પામ્યું છે. ત્યારે ગરીબ અને મધ્યમ […]

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સીઆઈએસએફના સ્થાપના દિન અંતર્ગત સાયકલ રેલીનું આગમન

– આરાધના ધામ ખાતે સાયકલિસ્ટોનું સ્વાગત કરાયું –  જામ ખંભાળિયા, તા. ૧૧- ૦૩-૨૦૨૫      કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળ સી.આઈ.એસ.એફ.ના 56 મા સ્થાપના દિન અંતર્ગત ‘સુરક્ષિત તટ, સુરક્ષિત ભારત’ના સૂત્ર સાથે સાયકલ રેલી યોજાઈ રહી છે. આ રેલી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા તાલુકાના આરાધના ધામ ખાતે આવી પહોંચતા ગ્રામજનો અને આગેવાનો દ્વારા રેલીનું સ્વાગત કરવામાં […]

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા દ્વારકાના પદયાત્રીઓની સેવા માટે સેવાયજ્ઞ યોજાયો

– દર વર્ષની જેમ આ વર્ષે પણ પદયાત્રીઓ માટે ભોજન, વિશ્રામ સહિતની સુવિધાઓ – જામ ખંભાળિયા, તા. ૧૧-૦૩-૨૦૨૫ (કુંજન રાડિયા દ્વારા)           હોળી ધુળેટી નિમિત્તે જગત મંદિર દ્વારકા ખાતે યોજાતા ફુલડોલ ઉત્સવમાં સામેલ થવા સમગ્ર ગુજરાત અને રાજ્ય બહારથી મોટી સંખ્યામાં ભાવિકો પદયાત્રા કરીને દ્વારકા આવતા હોય છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ગ્રુપ […]

ખંભાળિયા નજીક જિલ્લા પોલીસના સુવિધારૂપ પદયાત્રી કેમ્પનો લાભ લેતા હજારો પદયાત્રીઓ

– ભોજન, વિશ્રામ સાથે આરોગ્ય, તબીબી ચકાસણી સહિતની વિવિધ સેવાઓ – જામ ખંભાળિયા, તા. ૧૧-૦૩-૨૦૨૫          દેવભૂમિ દ્વારકામાં ફૂલડોલ ઉત્સવ ઉજવવા માટે દરરોજ હજારોની સંખ્યામાં પદયાત્રીઓની અવર-જવર ધરાવતા ખંભાળિયા નજીકના હાઈવે પર જિલ્લા પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલા સુવિધાઓ સાથેના પદયાત્રી કેમ્પનો લાભ દરરોજ હજારો કૃષ્ણ ભક્તો લ્યે છે. ત્યારે વિશાળ અને […]

દ્વારકા: ફુલડોલ ઉત્સવ મનાવવા આવતાં લાખો ભાવિકોને આવકારવા તંત્ર દ્વારા ચાલતી તડામાર તૈયારીઓ

જામ ખંભાળિયા, તા. ૧૦-૦૩-૨૦૨૫          યાત્રાધામ દ્વારકામાં ચાર દિવસ બાદ હોળી – ફુલડોલ ઉત્સવ મનાવવા દૂર દૂરથી પગપાળા, રેલ રોડ રસ્તે લાભો ભાવિકોનો પ્રવાહ દ્વારકા તરફ ફંટાઈ રહ્યો છે. ત્યારે યાત્રીકોને સરળતાથી દર્શન થઈ શકે તે હેતુ યાત્રીકોની સલામતી, સગવડતા, સફાઈ, વ્યવસ્થાની જાળવણી હેતુ વિવિધ વ્યવસ્થા તંત્ર દ્વારા સમન્વય યોજી આગામી તહેવારો […]

મુંબઈ અને દિલ્હીમાં ભવ્ય સફળતા બાદ – રાજાધિરાજઃ લવ, લાઇફ, લીલા – હવે દુબઈને મંત્રમુગ્ધ કરશે

– કુંજન રાડિયા, મુંબઈ        મુંબઈ અને દિલ્હીમાં 37 અવિસ્મરણીય હાઉસફૂલ પ્રયોગ બાદ ભગવાન શ્રી કૃષ્ણના જીવન પર આધારિત વિશ્વની પ્રથમ સંગીત મહાનાટિકા, રાજાધિરાજઃ લવ, લાઈફ, લીલા હવે દુબઈમાં 13 મી થી 16 મી માર્ચ સુધી આઈકોનિક દુબઈ ઓપેરા ખાતે દર્શકોને મંત્રમુગ્ધ કરશે.         ધનરાજભાઈ નથવાણી દ્વારા સંકલ્પના કરાયેલી અને […]

Back to Top