Sunday June 22, 2025

કલ્યાણપુરના હાબરડી ગામે અપરણિત યુવાનની ઘાતકી હત્યા: સગા ભાઇની ધરપકડ

– નાનાભાઈ સાથે થતી તકરારથી કંટાળીને મોટાભાઈએ ઢીમ ઢાળી દીધું… –  કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૦-૦૩-૨૦૨૫         કલ્યાણપુર તાલુકાના મણીપુર હાબરડી ગામે રહેતા 40 વર્ષના એક આહિર યુવાનનું શુક્રવારે મોડી રાત્રીના સમયે કોઈ શખ્સોએ ગળું દબાવીને હત્યા નિપજાવ્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ પ્રકરણમાં એલસીબી પોલીસે તાકીદની કાર્યવાહી કરી અને આરોપી […]

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફુલડોલ ઉત્સવને લઈને કૃષ્ણ ભક્તોમાં અનેરો ઉત્સાહ

– પદયાત્રી કેમ્પની મુલાકાત લેતા પ્રિન્સીપલ ડીસ્ટ્રીકટ જજ, જિલ્લા કલેકટર અને એસ.પી. – જામ ખંભાળિયા, તા. ૦૮-૦૩-૨૦૨૫        કાળિયા ઠાકોર સંગ હોળી રમવા ભક્તોમાં હાલ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આગામી તા. 14 માર્ચના રોજ કૃષ્ણ નગરી દ્વારકા ખાતે ભવ્ય રીતે ફુલડોલ ઉત્સવ મનાવવામાં આવશે. ફુલડોલ ઉત્સવમાં સહભાગી થવા દૂર દૂરથી હજારોની […]

ખંભાળિયાની સિવિલ હોસ્પિટલમાં જન ઔષધિ દિવસની ઉજવણી કરાઈ

જામ ખંભાળિયા, તા. ૦૭-૦૩-૨૦૨૫       ખંભાળિયામાં ઇન્ડીયન રેડક્રોસ સંચાલિત પ્રધાન મંત્રી ભારતીય જન ઔષધી કેન્દ્ર, અહીંની સીવિલ હોસ્પિટલ ખાતે આજે જન ઔષધિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.        વર્તમાન સમયમાં આરોગ્ય અને દવાઓનો ખર્ચ સામાન્ય નાગરિકો માટે ચિંતાનું કારણ બનવા પામ્યું છે. ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકોને ગુણવત્તાયુક્ત દવાઓ ઓછામાં […]

ખંભાળિયાના દ્વારિકાધીશ યુવા ગ્રુપ દ્વારા પદયાત્રીઓ માટે વિના મૂલ્યે એમ્બ્યુલન્સ સેવા

જામ ખંભાળિયા, તા. ૦૭-૦૩-૨૦૨૫       ફૂલડોલ ઉત્સવ નિમિત્તે જતા પદયાત્રીઓ માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ એમ્બ્યુલન્સ અને આરોગ્યના સેવા કાર્યનો ખંભાળિયા વિસ્તારમાં શુભારંભ કરવામાં આવ્યો છે. જે પડાણા પાટીયાથી લીંબડી સુધીના વિસ્તારમાં જતા પદયાત્રીઓને ઇમરજન્સી સારવાર માટે એમ્બ્યુલન્સ સેવા તેમજ અહીંની 8 નામાંકીત હોસ્પિટલોમાં વિના મૂલ્યે નિદાન, સારવાર અને મેડિકલ દવા […]

ખંભાળિયાના આહિર સિંહણ ગામે શુક્રવારે પહેડી મહોત્સવનું આયોજન

જામ ખંભાળિયા, તા. ૦૭-૦૩-૨૦૨૫          ખંભાળિયા તાલુકાના આહિર સિંહણ ગામની બાજુમાં આવેલા શ્રી સંઘાયડા વાળા શ્રી યક્ષ બૌતેરા ડાડાના વિશાળ પટાંગણમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી સૌરાષ્ટ્ર કરછ વાગડનાં ક્ષત્રિય સંઘાર સમાજનાં ઈષ્ટદેવ શ્રી યક્ષ બૌતેરા ડાડાની પહેડી મહોત્સવનું આયોજન આગામી શુક્રવાર તારીખ 14 ના રોજ કરવામાં આવ્યું છે. જેમાં […]

ખંભાળિયામાં રસ્તે રઝળતા ઢોરના ત્રાસથી લોકો ત્રસ્ત

જામ ખંભાળિયા, તા. ૦૭-૦૩-૨૦૨૫       ખંભાળિયા શહેરમાં રખડતા ઢોરની અવરજવર લોકો માટે મુસીબત બની રહી છે. અહીંની સુપર માર્કેટ પાછળના વિસ્તારમાં આજે સવારે બે રખડતા ઢોર સામસામે સામે આવી જતા હાહાકાર મચી ગયો હતો. જેથી અહીંના રાહદારીઓ અને દુકાનદારો જીવ બચાવવા દોડ્યા હતા. આ યુધ્ધમાં અડધા ડઝન જેટલા સ્કૂટરોને નુકસાન પહોંચ્યું હતું.   […]

ખંભાળિયામાં આગનું છમકલું : ફાયર ફાયટર દોડ્યા

જામ ખંભાળિયા, તા. ૦૭-૦૩-૨૦૨૫          ખંભાળિયામાં આવેલા એક કબ્રસ્તાન અને સ્મશાન વચ્ચે નજીકની જગ્યામાં રહેલા કચરા તેમજ સૂકા ઘાસમાં આજે બપોરે એકાએક આગ લાગી હતી. આ અંગેની જાણ અહીંના ફાયર વિભાગને કરવામાં આવતા જિલ્લા ફાયર અધિકારી મિતરાજસિંહ પરમારની સૂચના મુજબ ફાયર ટીમના જવાનોએ તાત્કાલિક ફાયર ફાયટર સાથે ઘટના સ્થળે દોડી જઈ, અને […]

દ્વારકામાં હોળાષ્ટકનો પ્રારંભ, રાજાધિરાજ દ્વારકાધીશ શ્વેત વાઘામાં અબીલ-ગુલાલની પોટલી ધારણ કરશે

કુજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૦૭-૦૩-૨૦૨૫           આજરોજ તા. 7 માર્ચથી હોળાષ્ટકનો પ્રારંભ થયો છે. જેથી દ્વારકાના જગતમંદિરમાં દોલોત્સવ સુધી ઠાકોરજીને સવારે શૃંગાર આરતી તેમજ સાંજે સંધ્યા આરતી દરમ્યાન સફેદ વસ્ત્રો સાથેના અલૌકિક શૃંગાર સાથે બંને આરતી સમયે ઠાકોરજી સંગ ચાંદીની પિચકારીમાં કેસરજળ તથા અબીલ ગુલાલની પોટલી સાથેના શૃંગાર યોજાશે. – […]

પૂ. જલારામ બાપા વિશે અશોભનીય કથનનો કોઈને અધિકાર નથી: પરિમલ નથવાણી

જામ ખંભાળિયા, તા. ૦૭-૦૩-૨૦૨૫         સંત શિરોમણી પૂ. જલારામ બાપાને માત્ર લોહાણા સમાજના જ નહીં, પરંતુ સમગ્ર હિન્દુ સમાજ ભગવાન માને છે. તેમનું અપમાન કરવાનો કોઈને અધિકાર નથી તેમ જણાવી, ખંભાળિયાના મૂળ વતની અને રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીએ તાજેતરના એક વ્યક્તિ દ્વારા કરાયેલા પૂ. જલારામ બાપા વિશેના કથનને વખોડી કાઢ્યા છે.   […]

ગુજરાતમાં મોટી સંખ્યામાં આચાર્યોની જગ્યાઓ ખાલી

– સરકાર દ્વારા કારણોનું ચિંતન, મનન અનિવાર્ય –  જામ ખંભાળિયા, તા. ૦૬-૦૩-૨૦૨૫      ગુજરાતમાં 900 જેટલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્યોની જગ્યાઓ ખાલી છે. તેના કહેવાતા મુખ્ય કારણ મુજબ સરકાર દ્વારા તાજેતરમાં જ ભરતી કરવામાં આવી, તેમ છતાં આટલી જગ્યાઓ ખાલી રહેવાનું કારણ જાણી તેનું નિરાકરણ લાવવાની તાતી જરૂરિયાત છે.       […]

Back to Top