Headlines

ખંભાળિયાના કંચનપુર ગામે સોમવારે મંદિરનું ભૂમિ પૂજન

જામ ખંભાળિયા, તા. ૧૨-૦૪-૨૦૨૫         ખંભાળિયા તાલુકાના કંચનપુર વિસ્તારમાં આવેલા શ્રી સમસ્ત ક્ષત્રિય રાજપુત સમાજના શ્રી અબડાજામ ડાડાના મંદિરનું નવ નિર્માણ થવા જઈ રહ્યું છે. ત્યારે આ પ્રસંગે આગામી સોમવાર તા. 14 એપ્રિલના રોજ ભૂમિ પૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.        આ પ્રસંગે સોમવારે સવારે 10 વાગ્યે ભૂમિ પૂજન, 11…

Read More

ખંભાળિયામાં સોમવારે વાલ્મિકી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ

જામ ખંભાળિયા, તા. ૧૨-૦૪-૨૦૨૫        ખંભાળિયા વાલ્મિકી સમાજ દ્વારા આગામી સોમવાર તારીખ 14 એપ્રિલના રોજ સાંજે 7 વાગ્યે અહીંના પોરબંદર રોડ પર આવેલા ટાઉન હોલ ખાતે વાલ્મિકી સમાજના ધોરણ 1 થી 12 સુધીના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો છે. આ સાથે વાલ્મિકી સમાજના નવનિયુક્ત હોદ્દેદારોનું પણ સન્માન કરવામાં આવશે.    …

Read More

ખંભાળિયા ધાર્મિક સેવા પ્રવૃત્તિ બદલ મહંતને સન્માનિત કરાયા

જામ ખંભાળિયા, તા. ૧૨-૦૪-૨૦૨૫  ખંભાળિયામાં છેલ્લા 35 વર્ષથી શ્રી મારુતિ રામધૂન મંડળ ચલાવતા સુરેશભાઈ મહંત અને ગ્રૂપ દ્વારા દર વર્ષે હનુમાન જયંતી નિમિત્તે બટુક ભોજન અને મહાપ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં ભક્તો મહાપ્રસાદનો લાભ લ્યે છે. ત્યારે આજના આ પાવન પર્વે સુરેશભાઈ મહંતનું છબી અર્પણ કરીને ઉપરણા ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું….

Read More

બરડા ડુંગર વિસ્તારમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ: રાબેતા મુજબ બુટલેગર ફરાર

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૨-૦૪-૨૦૨૫          દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયની સૂચના મુજબ એલસીબીની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં આજરોજ શનિવારે એલ.સી.બી. પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એલ.સી.બી.ના એ.એસ.આઈ. અરજણભાઈ ચંદ્રવાડીયા, જયદેવસિંહ જાડેજા, પરેશભાઈ સાંજવા અને મનહરસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે…

Read More

ખંભાળિયા રઘુવંશી જ્ઞાતિનું ગૌરવ: ડૉ.યશ તથા ડૉ. શિવાની હિન્ડોચા

જામ ખંભાળિયા, તા. ૧૧-૦૪-૨૦૨૫         ખંભાળિયાની જૂની અને જાણીતી પેઢી ઠા. રણછોડદાસ કેશવજી હિંડોચા વારા સેવાભાવી એવા સ્વ. પ્રાણજીવનભાઈ હિંડોચાના નાનાભાઈ પ્રતાપભાઈ અને ભારતીબેનના પુત્ર યશ તેમજ તેમની પુત્રી શિવાનીએ તાજેતરમાં લેવાયેલ એમ.બી.બી.એસ. તથા બી.એચ.એમ.એસ.ની પરીક્ષા રાજસ્થાનની અમેરિકન મેડીકલ કોલેજમાંથી અને બરોડાની મહાલક્ષ્મી મહિલા કોલેજમાંથી પ્રથમ પ્રયાસે અને ખૂબ સારી ટકાવારી સાથે…

Read More

ખંભાળિયામાં આવતીકાલે ડાયાબિટીસ, બીપીનો કેમ્પ

જામ ખંભાળિયા, તા. ૧૨-૦૪-૨૦૨૫          ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા લાયન્સ ક્લબના ઉપક્રમે દર મહિને યોજાતા કેમ્પ અંતર્ગત આગામી રવિવાર તા. 13 એપ્રિલના રોજ અત્રે જલારામ મંદિર ખાતે ડાયાબિટીસ અને બીપીની ચકાસણીના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.       યુ.કે. સ્થિત ઉર્મિલાબેન મુકુન્દરાય સામાણી પરિવારના આર્થિક સહયોગથી યોજાયેલા આ કેમ્પનો સવારે 9…

Read More

અવસાન નોંધ : જામ ખંભાળિયા

જામ ખંભાળિયા: સ્વ. લવજીભાઈ નાનાણીના ધર્મપત્ની સવિતાબેન (ઉ.વ. 80) તે રમેશભાઈ નાનજીભાઈ અને મનસુખભાઈના માતુશ્રી તા. 11 ના રોજ અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા શનિવાર તા 12 ના રોજ સાંજે 5 થી 5:30 અત્રે ખામનાથ મહાદેવ મંદિર ખાતે રાખવામાં આવેલ છે. ____________________________________________________________________________ (કુંજન રાડિયા)

Read More

ખંભાળિયા: ફરજ નિવૃત્ત થયેલા પાલિકાના કર્મચારીઓને ચેકનું વિતરણ કરાયું

– 18 પૂર્વ કર્મચારીઓને રૂ. એક કરોડ જેટલી રકમ ચૂકવાતા રાહત –  જામ ખંભાળિયા, તા. ૦૩-૦૪-૨૦૨૫        ખંભાળિયા નગરપાલિકા કચેરીની જુદી જુદી શાખામાં ફરજ બજાવતાં અને થોડા સમય પૂર્વે વય નિવૃતિ પામેલા કાયમી તથા રોજમદાર કર્મચારીઓને તેઓના નિવૃતિ બાદના ગ્રેચ્યુઈટી, હક્ક રજાનું રોકડમાં રૂપાંતર વિગેરે જેવા નીકળતા હક્ક – હિસ્સાઓ ચુકવવા માટેનું આયોજન…

Read More

કલ્યાણપુર પંથકમાં સગીરાના અપહરણ પ્રકરણનો આરોપી ઝડપાયો

જામ ખંભાળિયા, તા. ૦૩-૦૪-૨૦૨૫        દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં રહેતી એક પરિવારની સગીર વયની પુત્રીને થોડા સમય પૂર્વે કોઈ શખ્સ અપહરણ કરીને લઈ ગયો હોવાની ફરિયાદ તેણીના પરિવારજનો દ્વારા કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી. આ પ્રકરણમાં કલ્યાણપુરના ઇન્ચાર્જ પી.આઈ. યુ.બી. અખેડના માર્ગદર્શન હેઠળ રાવલ આઉટ પોસ્ટના સર્વેલન્સ સ્ટાફ દ્વારા ચોક્કસ બાતમીના…

Read More

ખંભાળિયાના આરાધના ધામમાં મહાવીર જન્મ કલ્યાણકના ભવ્ય કાર્યક્રમ

– આંગી દર્શન તથા સમૂહ નવકાર જપના આયોજનો સંપન્ન – જામ ખંભાળિયા, તા. ૧૧-૦૪-૨૦૨૫        ખંભાળિયા – જામનગર હાઈવે પર આવેલા સુવિખ્યાત યાત્રાધામ હાલાર તીર્થ આરાધના ધામ ખાતે ગઈકાલે ગુરુવારે મહાવીર જયંતિના પાવન પર્વે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.        પ.પુ. શ્રી વજ્રસેન વિજયજી મહારાજ સાહેબના દિવ્ય આશિષ તથા પ.પુ.આ….

Read More