જામ ખંભાળિયા, તા. ૨૮-૦૩-૨૦૨૫ ખંભાળિયામાં જામનગર ધોરીમાર્ગ પર આવેલી માનવ;સેવા સમિતિ સંચાલિત બદિયાણી હોસ્પિટલ ખાતે લાયન્સ ક્લબના સંયુક્ત ઉપક્રમે આગામી રવિવાર તારીખ 30 ના રોજ નેત્ર નિદાન, સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. યુ.કે. સ્થિત નિરંજનાબેન ચંદ્રવદન મોદી પરિવારના આર્થિક સહયોગી યોજવામાં આવેલા આ કેમ્પમાં રાજકોટની […]
Category: KALYANPUR
દ્વારકામાં વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: સપ્લાયરની શોધખોળ
જામ ખંભાળિયા, તા. ૨૮-૦૩-૨૦૨૫ ઓખા મંડળના દ્વારકા વિસ્તારમાં ડીવાયએસપી સાગર રાઠોડના માર્ગદર્શન હેઠળ સ્થાનિક પોલીસની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન હેડ કોન્સ્ટેબલ ખીમાણંદભાઈ આંબલીયા અને રવિરાજસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે મીઠાપુર વિસ્તારના પ્રોહિ. બુટલેગર રણમલભા સામરાભા સુમણીયા રહે. નાગેશ્વર, ઉ. 30) દ્વારા ભાણવડ તાબેના રાણપર ગામના રહીશ ધના […]
ઓખા મંડળમાં ચાર જુગારીઓ ઝડપાયા
જામ ખંભાળિયા, તા. ૨૮-૦૩-૨૦૨૫ ઓખામાં રેલ્વે ગોડાઉનની પાછળના ભાગેથી પોલીસે યાકુબ જુનસ બેતારા અને રાહુલ મૂળજીભાઈ તાવડીવાલાને તેમજ મીઠાપુર પોલીસે સુરજકરાડી વિસ્તારમાંથી કનૈયાભા ગગાભા માણેક અને આસપારભા સીદીભા માણેકને તીનપત્તીનો જુગાર રમતા ઝડપી લઇ, મુદ્દામાલ કબજે કર્યો હતો. ____________________________________________________________________________ (કુંજન રાડિયા)
રાજ્યસભા સાંસદ પરિમલભાઈ નથવાણીનો દ્વારકા પ્રવાસ
– દ્વારકામાં ભગવાન દ્વારકાધીશ હાજરાહજૂર છે : પરીમલભાઈ – જામ ખંભાળિયા, તા. ૨૭-૦૩-૨૦૨૫ સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા ભગવાન શ્રી દ્વારકાધીશ વિશે તાજેતરમાં કરવામાં આવેલા કેટલાક વિવાદિત સાહિત્ય – નિવેદનના પગલે સનાતન હિન્દુ ધર્મનાં લોકો દ્વારા સ્વામીનારાયણ સંપ્રદાયનો ભારે વિરોધ થઇ રહ્યો છે. જે દરમ્યાન આજે રાજ્યસભા સાંસદ તથા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કોર્પોરેટ […]
ખંભાળિયામાં નકલી અધિકારી બનીને ફરતા જીલ પંચમતીયા સામે છેતરપિંડી, હથિયાર સહિતના આઠ ગુના નોંધાયા
– માસ્ટર માઈન્ડ શખ્સની ખુલી સિલસિલાબદ્ધ વિગતો – – નકલી સ્ટેમ્પ તેમજ ભારત સરકારના બનાવટી દસ્તાવેજો પણ તૈયાર કર્યા..!! – અધિકારીઓ, નેતાઓ સાથે ફોટા પડાવી પોતાનું સન્માન દર્શાવતો કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૭-૦૩-૨૦૨૫ ખંભાળિયામાં ઉચ્ચ અધિકારીના હોદાની પ્લેટ સાથે ફરતી મોટરકારને પોલીસે શંકાના આધારે ઝડપી લઇ, આ પ્રકરણના માસ્ટર માઈન્ડ એવા […]
કલ્યાણપુરની સરકારી આર્ટસ કોલેજ ગુરુવારે યુથ પાર્લામેન્ટ સ્પર્ધા યોજાશે
– ભાગ લેવા ઇચ્છુકોએ 26 માર્ચ સુધીમાં અરજી કરવી – જામ ખંભાળિયા, તા. ૨૬-૦૩-૨૦૨૫ દેવભૂમિ દ્વારકા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક કચેરી દ્વારા સંચાલિત ચાલુ વર્ષ દરમ્યાન યુથ પાર્લામેન્ટ સ્પર્ધાનું આયોજન થનાર છે. યુથ પાર્લામેન્ટ સ્પર્ધા તા. 27 માર્ચના રોજ જામ કલ્યાણપુરની ગવર્નમેન્ટ આર્ટસ કોલેજ ખાતે સવારે શાળા નવ વાગ્યે યોજાશે. આ સ્પર્ધામાં […]
ચોખંડાના આહીર સમાજનું ગૌરવ જામનગરની આયુર્વેદિક યુનિવર્સિટીમાંથી ડોકટર(બીએચએમએસ)ની ડિગ્રી મેળવતા ઋષિકા ગોજીયા
જામ ખંભાળિયા, તા. ૨૬-૦૩-૨૦૨૫ ખંભાળિયા તાલુકાના ચોખંડા ગામની રહીશ ઋષીકા સોમાતભાઈ ગોજીયાએ એચ.એસ.સી. સુધીનો અભ્યાસ રાજકોટ ખાતે પૂર્ણ કરી, તાજેતરમાં જામનગરની ગુલાબકુંવરબા આયુર્વેદીક યુનિવર્સિટીમાંથી 14 માં ક્રમ સાથે ડોક્ટર (બી.એચ.એમ.એસ.) ની ડીગ્રી પ્રાપ્ત કરી છે. તેમણે સમસ્ત આહીર સમાજ તેમજ નાના એવા ચોખંડા ગામનું ગૌરવ વધાર્યું છે. પોતાની આ […]
ઓખામાં ખુલ્લા પ્લોટમાં રાખવામાં આવેલી સૂકી માછલીની ચોરી
જામ ખંભાળિયા, તા. ૨૬-૦૩-૨૦૨૫ કેન્સરની બીમારીના કારણે કલ્યાણપુરના મહિલાનું મૃત્યુ કલ્યાણપુરમાં રહેતા સદફબેન રફિકભાઈ મામદભાઈ રવસીયા નામના 36 વર્ષના મહિલાને છેલ્લા આઠેક મહિલાથી ગળાના કેન્સરની બીમારી હોય, આ બીમારીના કારણે તેમનું મૃત્યુ નિપજ્યું હોવા અંગેની જાણ મૃતકના પતિ રફિકભાઈ રવસીયાએ કલ્યાણપુર પોલીસને કરી છે. ____________________________________________________________________________ બેટ દ્વારકામાં યાત્રાળુના લેપટોપ મોબાઈલની ચોરી […]
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતો માટે ટેકાના ભાવે ઘઉંની ખરીદી અંગે યાદી
જામ ખંભાળિયા, તા. ૨૫-૦૩-૨૦૨૫ ખેડૂતોને તેઓના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવિ માર્કેટીંગ સીઝનમાં ઘઉંના લઘુત્તમ ટેકાના ભાવ રૂ. 2,425 પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યા છે. ઘઉંની ખરીદી માટે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી. મારફતે કરવામાં આવનાર છે. જેમાં નોંધણીની મુદત વધારીને તા. 5 એપ્રિલ સુધીની કરવામાં આવી […]
સ્વામિનારાયણના કહેવાતા સંતોની ભગવાન દ્વારકાધીશ તથા ગુગળી જ્ઞાતિ વિષે કથિત વિવાદિત ટિપ્પણી બાદ દ્વારકામાં સખત વિરોધ
– ગુગળી બ્રાહ્મણ યુવા ટીમ દ્વારા 48 કલાકનું અલ્ટીમેટમ – ગુગળી બ્રાહ્મણ તથા અન્ય સમાજ દ્વારા સરઘસ કાઢી, આવેદન અપાયું કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૫-૦૩-૨૦૨૫ સ્વામિનારાયણના કહેવાતા સંતો દ્વારા અવારનવાર હિન્દુ દેવી દેવતાઓ વિશે અભદ્ર ટિપ્પણી મુદ્દે હિન્દુ સમાજ રોષે ભરાયો છે. ત્યારે હાલમાં ભગવાન દ્વારકાધીશ વિશે કરવામાં આવેલ વિવાદિત […]
