જામ ખંભાળિયા, તા. ૦૮-૦૫-૨૦૨૫ જામ જોધપુર નિવાસી સ્વ. હસમુખભાઈ જમનાદાસ ગંઢેચા ના પુત્ર અમિતભાઈ (ઉ.વ. 43) તે કનકભાઈ, મહેશભાઈ અને ભદ્રેશભાઈના ભત્રીજા તથા નવ્યા અને ધ્યેયના પિતાશ્રી તેમજ પૂજાબેન અને શ્વેતાબેનના ભાઈ તથા સ્વ. અમૃતલાલ કરસનદાસ સામાણી (ખંભાળિયા)ના જમાઈ તા. 8 ના રોજ અવસાન પામ્યા છે. તેમનું બેસણું તથા સસરા પક્ષને સાદડી શુક્રવાર તારીખ 9 […]
Category: KALYANPUR
ખંભાળિયામાં યુવતી પર છરી વડે જીવલેણ હુમલો કરવાના ગુનાના ત્રણેય આરોપીઓ ઝડપાયા
– ધરાર પ્રેમ સંબંધ રાખવાનું કહી યુવાને કર્યો હતો હુમલો – જામ ખંભાળિયા, તા. ૦૫-૦૫-૨૦૨૫ ખંભાળિયામાં રહેતી એક યુવતી પર ગત સપ્તાહમાં એક યુવાન દ્વારા પોતાની સાથે પ્રેમ સંબંધ રાખવાનું દબાણ કરી, યુવતીએ ના કહેતા તેણી ઉપર છરી વડે જીવલેણ હુમલો કરવાના ગુનામાં ઉપરોક્ત યુવાન તેમજ તેના ભાઈ અને પિતાની પોલીસે […]
કમોસમી વરસાદની આગાહી સંદર્ભે તંત્ર દ્વારા કૃષિકારોને માર્ગદર્શન
જામ ખંભાળિયા, તા. ૦૫-૦૫-૨૦૨૫ હવામાન વિભાગની આગાહી મુજબ તા. 9 મે સુધી રાજ્યના તમામ જિલ્લાઓમાં વેસ્ટર્ન ડિસ્ટેબન્સને પગલે વાતાવરણમાં પલટો જોવા મળશે. રાજયના તમામ જિલ્લાઓમાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદની આગાહી કરવામાં આવી છે. વાદળ છાયું વાતાવરણ અને વરસાદને અનુલક્ષી ખેડૂતોને પાકના રક્ષણ માટે તકેદારીનાં પગલા લેવા ખેડૂતોને સંદેશ આપવામાં […]
ટોકન મેળવ્યા વગર માછીમારી કરવા ગયેલા ઓખાના બે શખ્સો સામે કાર્યવાહી
જામ ખંભાળિયા, તા. ૦૫-૦૫-૨૦૨૫ ઓખામાં માછીમારી કરવા માટે ફિશિંગ વિભાગમાંથી ટોકન મેળવ્યા વગર ફિશીંગ કરવા ગયેલા શકુર અબ્દુલભાઈ શેખ (ઉ.વ. 45) અને સલીમ ફકીરાભાઈ ઉચાણી (ઉ.વ. 40) નામના બે માછીમારોને પોલીસે કનકાઈ જેટી પાસેથી ઝડપી લઈ, આ બંને સામે ગુજરાત ફિશરીઝ એક્ટ હેઠળ ઓખા મરીન પોલીસે કાર્યવાહી કરી હતી. […]
ખંભાળિયાની શાળા ખાતે ચિત્ર પ્રદર્શન યોજાયું : ગ્રામજનો થયા મંત્રમુગ્ધ
જામ ખંભાળિયા, તા. ૦૪-૦૫-૨૦૨૫ ખંભાળિયા નજીક આવેલા હર્ષદપુર સ્થિત શ્રી વી.એચ. હાઈસ્કૂલમાં ફરજ બજાવતા અને જામનગરના વતની નીલાબેન ચાવડા જેઓ છેલ્લા ઘણા વર્ષોથી જુદા – જુદા પ્રોફેશનલી પેઇન્ટિંગસ તૈયાર કરે છે, અને તેઓની ટીમ દ્વારા જુદા – જુદા શહેરોમાં આવા ચિત્રોનું વિનામૂલ્યે એક્સિબ્યુશન પ્રદર્શન પણ કરાય છે. ત્યારે ગત […]
અવસાન નોંધ: જામ ખંભાળિયા
જામ ખંભાળિયા, તા. ૦૪-૦૫-૨૦૨૫ જામ ખંભાળિયા: મૂળ રાવલ નિવાસી સારસ્વત બ્રાહ્મણ સ્વ. મહેન્દ્રભાઈ દયારામ વાકાણીના ધર્મપત્ની અંજનાબેન (ઉ.વ. 75) તે હિમાંશુભાઈ (ગોર) ના તેમજ સ્વ. પ્રીતિબેન હરેશભાઈ વડીયા, મીતાબેન અને મોનાલીબેન જતીનભાઈ પુરખાના માતુશ્રી તથા બાલકૃષ્ણ અમૃતલાલ બલભદ્ર (બાલુભાઈ જોશી) ના બહેન તા. 3 ના રોજ અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તથા સાદડી સોમવાર તા. […]
બદલાતા વાતાવરણ વચ્ચે ચઢતા પહોરની આહલાદક તસવીર
જામ ખંભાળિયા, તા. ૦૫-૦૫-૨૦૨૫ સૌરાષ્ટ્રમાં પશ્ચિમે અચાનક ભર ઉનાળે વાતાવરણમાં પલટો આવ્યો છે. જુદા જુદા વિસ્તારોમાં માવઠા સાથે ભારે વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે… કમોસમી આગાહીથી જગતનો તાત ખેતરે ચિંતાતુર બન્યો છે, ત્યારે આકાશે દોડતા વાદળોની ભરમાર સાથે સોમવારના સૂર્યોદયની ટ્રેનમાંથી લેવાયેલી ગતિશીલ તસવીર… ફોટો: જીતુ જામ (જામ ખંભાળિયા.)
પેટમાં દુખાવો ઉપડ્યા બાદ રાણ ગામના યુવાનનું સારવાર દરમિયાન મોત
જામ ખંભાળિયા, તા. ૦૩-૦૫-૨૦૨૫ કલ્યાણપુર તાલુકાના રાણ ગામે રહેતા મોહનભાઈ દેવશીભાઈ કણજારીયા નામના 23 વર્ષના સતવારા યુવાનને ગત તારીખ 28 એપ્રિલના રોજ પોતાના ઘરે એકાએક ઉલટી થઈ હતી. ત્યાર બાદ તેમને પેટના ભાગે અસહ્ય દુખાવો ઉપાડતા તેમને વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. […]
ખંભાળિયાના કંચનપુર કરમદી ગામે સોમવારે ઉર્ષ મુબારકનો કાર્યક્રમ
જામ ખંભાળિયા, તા. ૦૩-૦૫-૨૦૨૫ ખંભાળિયા તાલુકાના કંચનપુર ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ હઝરત નાથનશાહ વલી આશહાબા પીરના ઉર્ષ મુબારકનો કાર્યક્રમ સોમવાર તા. 5 ના રોજ યોજવામાં આવ્યો છે. ઉર્ષ મુબારકના કાર્યક્રમની પૂર્વ સંધ્યાએ રવિવાર તા. 4 ના રોજ રાત્રે ઈસાની નમાઝ બાદ મજલીસનું આયોજન કરાયું છે. […]
દંપતિ વચ્ચે થયેલી બોલાચાલીમાં વ્યથિત આધેડે જિંદગી ટૂંકાવી
જામ ખંભાળિયા, તા. ૦૨-૦૫-૨૦૨૫ દ્વારકા તાલુકાના વાંચ્છુ ગામની સીમ વિસ્તારમાં રહેતા માંડણભા આલાભા માણેક નામના 50 વર્ષના આધેડે ગત તારીખ 16 એપ્રિલના રોજ પોતાના હાથે ઝેરી દવા પી લેતા તેમનું જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે દ્વારકા પોલીસ મથકમાં જાહેર કરવામાં આવેલી વિગત […]
