Headlines

ખંભાળિયા નગરપાલિકાના કચરાના ડમ્પ યાર્ડમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ: લાંબી જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૭-૦૧-૨૦૨૫        ખંભાળિયા નગરપાલિકામાં દ્વારા શહેરમાંથી કચરો એકત્ર કરી અને અત્રેથી આશરે દશેક કિલોમીટર દૂર આવેલા તરઘડી દેવળીયા ગામ સ્થિત ડમ્પ યાર્ડમાં નાખવામાં આવે છે. અહીં વિપુલ પ્રમાણમાં એકત્ર થયેલા કચરાના ઢગલામાં ગઈકાલે રવિવારે સાંજે કોઈ કારણોસર એકાએક આગ ફાટી નીકળતા ભારે દોડધામ મચી જવા પામી હતી અને…

Read More

દ્વારકા, ભાણવડ તાલુકામાં પાંચ સ્થળોએ જુગાર દરોડામાં 9 મહિલા સહિત 20 ઝડપાયા

        કુંજન રાડિયા, જામ ખંભાળિયા દ્વારકા તાલુકાના મીઠાપુર તાબેના મોજપ ગામે આવેલી પ્રાથમિક શાળાની બાજુમાં રવિવારે સાંજે જાહેરમાં તીનપતી નામનો જુગાર રમી રહેલા કુંવરબાઈ લખુભા જેસાભા ભગાડ, લક્ષ્મીબેન વિરમભા કેર, પરમાબેન પોપટભાઈ માણેક, રતનબેન કરમણભા ભાયા, કમાબાઈ નથુભા હાથલ, રૂપાબાઈ શુક્લભા વાઘેલા, રાજબાઈ જેતાભા માણેક, સુમરીબેન ઝાખરાભા વાઘેલા અને હીરાબેન ભાયાભા વાઘેલાને…

Read More

ઓખામાં ખેંચ આવી જતા દરિયામાં પડી ગયેલા માછીમાર પ્રૌઢનું અપમૃત્યુ

        જામ ખંભાળિયા નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના મૂળ રહીશ અને હાલ ઓખા ખાતે રહેતા જયંતીભાઈ ઠાકોરભાઈ હળપતિ નામના 57 વર્ષના માછીમાર પ્રૌઢ ગત તારીખ 22 મી જાન્યુઆરીના રોજ ઓખાના આર.કે. બંદર વિસ્તારમાં આવેલી જેટીમાં અલ અતિક નામની બોટમાં આગળના ભાગે બેઠા હતા. ત્યારે તેમને એકાએક ખેંચ આવી જતા તેઓ બોટ પરથી દરિયાના…

Read More

જલદ એસિડ ગટગટાવી જતા દ્વારકાની મહિલાનું મૃત્યુ

કુંજન રાડિયા, જામ ખંભાળિયા         ખંભાળિયા તાલુકાના સલાયા ગામના મૂળ વતની અને હાલ દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાં આવેલા ખારા તળાવ ખાતે રહેતા નીલોફર ઉર્ફે નીલમ અબ્બાસભાઈ આમદભાઈ મોદી નામના 43 વર્ષના મહિલાએ થોડા દિવસો પૂર્વે કોઈ અકળ કારણોસર પોતાના હાથે એસિડ પી લીધું હતું. જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં…

Read More

મીઠાપુર નજીક રીક્ષા અકસ્માતમાં પરપ્રાંતિય યુવાનનું કરુણ મોત

અન્ય મુસાફરો પણ ઘવાયા: ચાલક સામે ગુનો કુંજન રાડિયા, જામ ખંભાળિયા          મીઠાપુરથી આશરે 10 કિલોમીટર દૂર મોજપ ગામ સ્થિત ગૌશાળા માર્ગ પર શનિવારે મુસાફરોને લઈને જઈ રહેલી જી.જે. 18 એ.એક્સ. 6325 નંબરની એક પેસેન્જર રીક્ષા ડિવાઇડર સાથે અથડાઈને પલટી ખાઈ ગઈ હતી. આ ગંભીર અકસ્માતમાં રિક્ષામાં જઈ રહેલા ખેડા જિલ્લાના મહેમદાબાદ…

Read More

કુરંગામાં RSPL દ્વારા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરાઈ: 40 શાળાના 800 બાળકોને કરાયા પુરસ્કૃત

– – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૬-૦૧-૨૦૨૫         દ્વારકા નજીકના કુરંગા સ્થિત RSPL ઘડી કંપનીએ આજરોજ પ્રજાસત્તાક પર્વે દ્વારકા જિલ્લાની 40 જેટલી શાળાઓના અંદાજે 800 જેટલા શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને ટ્રોફી એનાયત કરી સન્માનિત કર્યા હતા.        આજે 76 મા પ્રજાસત્તાક દિનના અવસરે દ્વારકા તાલુકાના કુરંગા સ્થિત આર.એસ.પી.એલ. (RSPL) ઘડી કંપની…

Read More

દ્વારકા સર્કિટ હાઉસમાં મોટી દુર્ઘટના: લગ્ન સમારંભના ફટાકડાની ચિનગારીથી બગીચામાં લાગી આગ

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૬-૦૧-૨૦૨૫      દ્વારકાના દરિયા કિનારે આવેલા સર્કિટ હાઉસના પ્રાંગણમાં આવેલા બગીચામાં ગંભીર અકસ્માત સર્જાયો છે. ચર્ચાતી વિગત મુજબ બાજુમાં ચાલી રહેલા લગ્ન સમારંભમાં ફોડવામાં આવેલા ફટાકડાની ચિનગારીથી બગીચામાં આગ લાગવાની ઘટના બની છે.      આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, લગ્ન સમારંભમાં ફટાકડા ફોડવામાં આવી રહ્યા હતા. જેમાંથી એક…

Read More

અવસાન નોંધ: જામ ખંભાળિયા: બથિયા પરિવાર

જામ ખંભાળિયા, તા. ૨૬-૦૧-૨૦૨૫ જામ ખંભાળિયા: સ્વ. રાઘવજી ઓધવજી બથિયાના પુત્ર વ્રજલાલ રાઘવજી બથિયાના ધર્મપત્ની જમનાબેન વ્રજલાલ બથિયા (ઉ.વ. 87 વર્ષ), તે સ્વ. પ્રદીપભાઈ વ્રજલાલ બથિયા, જયશ્રીબેન હસમુખલાલ મશરૂ, જ્યોતિબેન અશ્વિનભાઈ ગાંધી, નીલાબેન વિજયભાઈ ઠક્કર, ઉષાબેન ભદ્રેશભાઈ અઢિયા અને ગં. સ્વ. રેણુકાબેન ભરતભાઈ બદિયાણીના માતુશ્રી તેમજ મગનલાલ છગનલાલ દતાણીના પુત્રી અને જીનલબેન દીપેશભાઈ બદિયાણી, તૃપ્તિબેન…

Read More

ખંભાળિયામાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પ્રજાસત્તાક પર્વની આન, બાન અને શાન સાથે ઉજવણી

– જિલ્લા કલેકટરએ ધ્વજવંદન કરી, પરેડ નિરીક્ષણ કર્યું – – ઉત્કૃષ્ટ કામગીરી કરનારા અધિકારીઓ, કર્મચારીઓ પ્રશસ્તિપત્ર વડે સન્માનિત – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૬-૦૧-૨૦૨૫                પ્રજાસતાક પર્વ નિમિતે જિલ્લાવાસીઓને શુભકામના પાઠવતા કલેકટર જી.ટી. પંડ્યાએ જણાવ્યું હતું કે, આજના પાવન દિવસે દેશની આઝાદી માટે પોતાનું બલિદાન આપનારા નામી અનામી…

Read More

ગણતંત્ર દિવસની દ્વારકામાં વિશિષ્ટ ઉજવણી: ભગવાન દ્વારકાધીશ તિરંગે રંગાયા

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૬-૦૧-૨૦૨૫        76 માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી ભારતભરમાં કરવામાં આવી રહી છે. ત્યારે દ્વારકામાં પણ વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી હતી. ભારતના પશ્ચિમ ક્ષેત્રમાં બિરાજીત ભગવાન દ્વારકાધીશના જગત મંદિરના શિખર પર આજે તિરંગા રંગની ધ્વજનું આરોહણ કરવામાં આવ્યું હતું. એવું પ્રતિક થતું હતું કે જાણે ભગવાન દ્વારકાધીશ તિરંગે રંગે…

Read More