વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને તરકપાલડી ગામે ભાગવત સપ્તાહ
ઈશ્વરિયા, મૂકેશ પંડિત શ્રી વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને તરકપાલડી ગામે આગામી ગુરુવારથી ભાગવત સપ્તાહ યોજાશે. શ્રી શિવકુંજ આશ્રમ જાળિયાનાં શ્રી વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન સિહોર તાલુકાનાં તરકપાલડી ગામે ગોહિલ પરિવાર દ્વારા થયું છે. આગામી ગુરુવાર તા.૨થી બુધવાર તા.૮ દરમિયાન આ ભાગવત સપ્તાહમાં સંતો મહંતો સાથે ધાર્મિક અને સામાજિક અગ્રણીઓ જોડાશે.
