પદ્મશ્રી દુલાભાઈ ભાયાભાઈ કાગ ની જન્મ ભૂમિ માં – કાગચોથની ઉજવણી થશે

પુજ્ય મોરારીબાપુની નિશ્રામાં તા. ૦૩.૦૩.૨૦૨૫ કાગધામ (મજાદર) ખાતે યોજાશે કાગ ઉત્સવ (કાગ ચોથ) (હરેશ જોશી-કૂંઢેલી)તા.4/2/2025, મંગળવાર પ્રતિવર્ષ પુજ્ય કાગબાપુની જન્મભુમી કાગધામ (મજાદર) ખાતે કાગબાપુની પુણ્યતિથિ (કાગ ચોથ), ફાગણ સુદ ચોથના દિવસે પુજ્ય મોરારીબાપુની નિશ્રામાં વિવિધ કાર્યક્રમ યોજાય છે. જેમાં “ કાગ ના ફળિયે કાગ ની વાતું “, કવિ કાગબાપુ એવોર્ડ અર્પણવિધિ અને કચ્છ-કાઠિયાવાડ ગુજરાત ના…

Read More

ગઝલ સંગ્રહ ‘’તો તમે રાજી?”રિન્કુ રાઠોડને મળ્યો રાષ્ટ્રીય યુવા ગૌરવ પુરસ્કાર

રિન્કુ આ રાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત કરનાર ગુજરાતના પ્રથમ આદિવાસી મહિલા બન્યા હરેશ જોષી, નવી દિલ્હી તાજેતરમાં જાણીતા કવયિત્રી રિન્કુ વજેસિંહ રાઠોડને કેન્દ્રીય સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા ગુજરાતી ભાષા માટે યુવા પુરસ્કાર – 2024 ભુવનેશ્વર, ઓરિસ્સા ખાતે એનાયત થયો હતો. કાર્યક્રમના અધ્યક્ષ કેન્દ્રિય સાહિત્ય અકાદમીના પ્રમુખ માધવ કૌશિક હતા તથા મુખ્યઅતિથિ વિખ્યાત અંગ્રેજી લેખક જેરી પિન્ટો…

Read More

કવિઓના કેકારવ સાથે મુંબઈમાં રેખ્તા ગુજરાતી ઉત્સવે પ્રેક્ષકોનાં મન મોહી લીધાં

કુંજન રાડિયા, મુંબઈ મુંબઈમાં શહેરમાં પહેલીવાર સંસ્થાનો ગુજરાતી કાર્યક્રમ – ખીચોખીચ ભરાયેલા સભાગૃહમાં મહાનુભાવોની ઉપસ્થિતિ વચ્ચે મુશાયરો અને સંગીતોત્સવ યોજાયો તુષાર મહેતાએ મુંબઈને ગુજરાતી સાહિત્યની અસલી રાજધાનીની ઉપમા આપી આપણા સર્વોત્તમ સાહિત્યનો પણ ઉત્તમ અનુવાદ થયો હોત તો આજે નર્મદને આખી દુનિયા ઓળખતી હોત: તુષાર મહેતા નર્મદને નવી પેઢી સુધી લઈ જવાની સેવા રેખ્તા કરી…

Read More

ગઝલ રહેવું છે – ભરત વાળા

રોજથી સમય સંગાથે રહેવું છે,હરઘડી સફળ મિનારે રહેવું છે. મૌનમાં મજા દિલ દરિયે નગરમાં,વિશ્વના જગતના હૈયે રહેવું છે. સત્ય જાગરણ વર્તુળમાં વહાવું છે,સૂર્યના કિરણ માફક થૈ રહેવું છે. જીવને હવે સાચો શિવ માર્ગી રે,પ્રેમથી ભજન વિશ્વાસે રહેવું છે. જાત ખુદ “ભરત”તારી તું જગાડી દે,ભાવના શહર ઠેકાણે રહેવું છે.

Read More

ગઝલ : ગિરીશ રઢુકિયા – ગ્લોબલ

સ્હેજ અસમંજસ હજી એ વાતમાં છે.સાથમાં છે, એ ખરેખર સાથમાં છે? હાથતાળી આપતી એ સૌ ક્ષણો પણ,ક્યાંક પકડાશે, અમારા લાગમાં છે. કો’ક દાડો ફૂટશે ફણગાં મજાના,બીજ મેં વાવી દિધેલા ચાસમાં છે. આગ ભડ- ભડ થાય પણ સળગે નહિ જો,જીવ કોનો આ પુરાયો લાશમાં છે? તોય શાંને આટલા વિખવાદ થાતાં?બુધ્ધમાં છે એજ સારપ રામમાં છે.

Read More

ગઝલ

જો ગયો વિશ્વાસ, પાછો ના જ આવ્યો.આ સમય પણ રાસ, પાછો ના જ આવ્યો. સુખમાં પાછળ રહે, હો દુઃખમાં આગળ,મિત્ર એવો ખાસ પાછો ના જ આવ્યો. એ પરત આવ્યા ખરાં એની જ મેળે,જે હતો સહવાસ, પાછો ના જ આવ્યો. ખૂબ પજવે છે મને શાંતિ હવે તોમીઠડો કંકાસ પાછો ના જ આવ્યો. રાજ – સત્તા ભોગવીને…

Read More

કાવ્ય આસ્વાદ (તપાસ)

– નારન બારૈયા કવિ સ્નેહલ જોશીનો એક અદભુત, અદ્વિતીય, અમર, ખતરનાક શેર… બાટલો ચડતો રહ્યો ટીપે ટીપે,સાવ ખાલી હું અહીં થાતો રહ્યો. બાટલામાંથી નીકળતી નળી કવિના શરીરમાં જોડવામાં આવી હતી. પરંતુ કવિના શરીરમાંથી નીકળેલી નળી ક્યાં જોડવામાં આવી હતી તે તપાસનો વિષય છે કારણ કે કવિ અહીં પોતે સાવ ખાલી થયા અંગે સ્ટેટમેન્ટ આપે છે….

Read More

ગઝલ

– ગિરીશ રઢુકિયા ખોટી પડે ચોપડીની, સાંભળેલી વારતા ખોટી પડે.આપમેળે ના કળેલી વારતા ખોટી પડે. શાનમાં સમજાય એવી વારતા ખોટી પડે.કાન મારા આમળેલી વારતા ખોટી પડે. અંત લગ જાઓ પરંતુ રસ પછી ઘટતો જતો,જૂઠમાં થોડી ભળેલી વારતા ખોટી પડે. હો મગરના આંસુ એના કોણ એવું જાણતું?આંખમાંથી ખળખળેલી વારતા ખોટી પડે. શિષ્ટતાના નામ પર ચળ ભાંગવાની…

Read More

પ્રેમગ્રંથ

આતો તારા પ્રેમ નો નશો હતોનહિતર દુનિયા મારી પાછળ દીવાની હતી…. શબ્દ અધૂરો કહાની પણ અધૂરી તોય જિંગદી નથી થાતી પુરી. પ્રેમ નું જયારે નામ આવે ને ત્યારે શ્રી કૃષ્ણ ને રાધા ની છવી નજર સમક્ષ ઉભરાય આવે. પણ શું કોઈ કરી શકે રાધાકૃષ્ણ જેવો પ્રેમ? કે એમ કહું કે કોઈ ને થઈ શકે રાધા…

Read More