Saturday July 26, 2025

કવિઓના કેકારવ સાથે મુંબઈમાં રેખ્તા ગુજરાતી ઉત્સવે પ્રેક્ષકોનાં મન મોહી લીધાં

કુંજન રાડિયા, મુંબઈ મુંબઈમાં શહેરમાં પહેલીવાર સંસ્થાનો ગુજરાતી કાર્યક્રમ – ખીચોખીચ ભરાયેલા સભાગૃહમાં મહાનુભાવોની ઉપસ્થિતિ વચ્ચે મુશાયરો અને સંગીતોત્સવ યોજાયો તુષાર મહેતાએ મુંબઈને ગુજરાતી સાહિત્યની અસલી રાજધાનીની ઉપમા આપી આપણા સર્વોત્તમ સાહિત્યનો પણ ઉત્તમ અનુવાદ થયો હોત તો આજે નર્મદને આખી દુનિયા ઓળખતી હોત: તુષાર મહેતા નર્મદને નવી પેઢી સુધી લઈ જવાની સેવા રેખ્તા કરી […]

ગઝલ રહેવું છે – ભરત વાળા

રોજથી સમય સંગાથે રહેવું છે,હરઘડી સફળ મિનારે રહેવું છે. મૌનમાં મજા દિલ દરિયે નગરમાં,વિશ્વના જગતના હૈયે રહેવું છે. સત્ય જાગરણ વર્તુળમાં વહાવું છે,સૂર્યના કિરણ માફક થૈ રહેવું છે. જીવને હવે સાચો શિવ માર્ગી રે,પ્રેમથી ભજન વિશ્વાસે રહેવું છે. જાત ખુદ “ભરત”તારી તું જગાડી દે,ભાવના શહર ઠેકાણે રહેવું છે.

ગઝલ : ગિરીશ રઢુકિયા – ગ્લોબલ

સ્હેજ અસમંજસ હજી એ વાતમાં છે.સાથમાં છે, એ ખરેખર સાથમાં છે? હાથતાળી આપતી એ સૌ ક્ષણો પણ,ક્યાંક પકડાશે, અમારા લાગમાં છે. કો’ક દાડો ફૂટશે ફણગાં મજાના,બીજ મેં વાવી દિધેલા ચાસમાં છે. આગ ભડ- ભડ થાય પણ સળગે નહિ જો,જીવ કોનો આ પુરાયો લાશમાં છે? તોય શાંને આટલા વિખવાદ થાતાં?બુધ્ધમાં છે એજ સારપ રામમાં છે.

ગઝલ

જો ગયો વિશ્વાસ, પાછો ના જ આવ્યો.આ સમય પણ રાસ, પાછો ના જ આવ્યો. સુખમાં પાછળ રહે, હો દુઃખમાં આગળ,મિત્ર એવો ખાસ પાછો ના જ આવ્યો. એ પરત આવ્યા ખરાં એની જ મેળે,જે હતો સહવાસ, પાછો ના જ આવ્યો. ખૂબ પજવે છે મને શાંતિ હવે તોમીઠડો કંકાસ પાછો ના જ આવ્યો. રાજ – સત્તા ભોગવીને […]

કાવ્ય આસ્વાદ (તપાસ)

– નારન બારૈયા કવિ સ્નેહલ જોશીનો એક અદભુત, અદ્વિતીય, અમર, ખતરનાક શેર… બાટલો ચડતો રહ્યો ટીપે ટીપે,સાવ ખાલી હું અહીં થાતો રહ્યો. બાટલામાંથી નીકળતી નળી કવિના શરીરમાં જોડવામાં આવી હતી. પરંતુ કવિના શરીરમાંથી નીકળેલી નળી ક્યાં જોડવામાં આવી હતી તે તપાસનો વિષય છે કારણ કે કવિ અહીં પોતે સાવ ખાલી થયા અંગે સ્ટેટમેન્ટ આપે છે. […]

ગઝલ

– ગિરીશ રઢુકિયા ખોટી પડે ચોપડીની, સાંભળેલી વારતા ખોટી પડે.આપમેળે ના કળેલી વારતા ખોટી પડે. શાનમાં સમજાય એવી વારતા ખોટી પડે.કાન મારા આમળેલી વારતા ખોટી પડે. અંત લગ જાઓ પરંતુ રસ પછી ઘટતો જતો,જૂઠમાં થોડી ભળેલી વારતા ખોટી પડે. હો મગરના આંસુ એના કોણ એવું જાણતું?આંખમાંથી ખળખળેલી વારતા ખોટી પડે. શિષ્ટતાના નામ પર ચળ ભાંગવાની […]

પ્રેમગ્રંથ

આતો તારા પ્રેમ નો નશો હતોનહિતર દુનિયા મારી પાછળ દીવાની હતી…. શબ્દ અધૂરો કહાની પણ અધૂરી તોય જિંગદી નથી થાતી પુરી. પ્રેમ નું જયારે નામ આવે ને ત્યારે શ્રી કૃષ્ણ ને રાધા ની છવી નજર સમક્ષ ઉભરાય આવે. પણ શું કોઈ કરી શકે રાધાકૃષ્ણ જેવો પ્રેમ? કે એમ કહું કે કોઈ ને થઈ શકે રાધા […]

Back to Top