Friday June 20, 2025

Like Hollywood: યે આગ કબ બૂઝેગી?: ભાવનગરના હસ્તગીરી ડુંગરોમાં આગથી અનેક અબોલ પશુ-પંખીઓ, વૃક્ષો ખાખ : આગ છઠ્ઠા દિવસે યથાવત

આગ હજુ પણ છઠ્ઠા દિવસે યથાવત રહેતા પસંદગી નાના મોટા પશુ પક્ષીઓ ઉપર સંકટ યથાવત રહેતા જીવ દયા પ્રેમીઓમાં તંત્ર પ્રત્યે રોષ ની લાગણી: જૈન સમાજ દ્વારા નવકાર  મંત્રના જાપ કરાશે

વિપુલ હિરાણી, ભાવનગર તા.૨

ભાવનગર જિલ્લાના પાલિતાણા ખાતે આવેલ હસ્તગીરીના ડુંગરોની હારમાળામાં લાગેલી આગ  છઠ્ઠા દિવસે પણ આ આગ યથાવત છે. હસ્તગીરીના ડુંગરાઓમાં લાગેલી આગથી અનેક પશુ-પક્ષીઓ તેમજ વૃક્ષો આ આગમાં હોમાય ગયા હોવાથી જીવદયા પ્રેમીઓમા તંત્ર વિરૂદ્ધ રોષની લાગણી જન્મી છે. આગને કારણે નાના-મોટા પશુ પક્ષીઓ ઉપર સંકટ તોરાઈ રહ્યું હોય જૈન સમાજ દ્વારા નવકાર મંત્રના જાપ કરાશે.

પ્રાપ્ત થતી માહિતી મુજબ પાલિતાણા ખાતે આવેલ હસ્તગીરી ડુંગરોમાં લાગેલી આગ હજુ પણ કાબુ માંઆવી નથી .સરકારી તંત્ર વૃક્ષો ઉછેરવાની જોરશોરથી જાહેરાતો કરે છે પરંતુ પાલિતાણાના ડુંગરોની હારમાળામાં લાગેલી આગ છઠ્ઠા દિવસથી પણ જૈસે થે છે. છતાં સરકારી તંત્ર દ્વારા કોઇ નક્કર તેમજ કડક પગલાં લેવામાં ન આવતા આ હસ્તગીરીના ડુંગરાઓની હારમાળામાં લાગેલી આગને કારણે હજારો નાના – મોટા પશુ-પક્ષીઓના મોત થયા છે અને હજુ પણ કેટલાં પશુ-પક્ષીઓના જીવ સંકટમાં મુકાયા છે. અને અનેક વૃક્ષો તેમજ ઔષધિઓ પણ આ આગમાં બળીને ખાક થઇ જવા પામી છે.

પાલિતાણા તેમજ તળાજા ફાયર ફાયટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા પરંતુ ફાયર ફાયટરના વાહનો ડુંગરોમાં પહોંચી ન શકતા તેઓ પણ આ આગમાં મુક પ્રેક્ષક હોય તેમ લાગી રહ્યું છે. સરકારી તંત્ર જો ઇચ્છે ત તો આ આગમાં હેલીકોપ્ટર બોલાવીને પણ કેમિકલ છાંટીને આ આગને બુઝાવી નાંખી હોત પરંતુ તેઓ પણ આગને બુઝાવવામાં કોઇપણ જાતનો રસ ન દાખવતા લોકોમાં ભારે રોષની લાગણી પ્રવર્તી રહી છે.

આ આગ દરમિયાન તળાજા, પાલિતાણાના ફાયટરો, પાલિતાણા પોલીસ સ્ટાફ તેમજ મામલતદાર સહિતના અધિકારીઓ જોડાયા હતા પરંતુ તમામ અધિકારીઓના આગ બુઝાવવાના પ્રયાસો નિષ્ફળ ગયા હતા. જો કે, આ આગ હજુ પણ અવિરતપણે શરૂ છે. ક્યારે બુઝાય તે જોવું રહ્યું. આ આગ દરમિયાન અનેક પશુ-પક્ષીઓએ તેમના માળા છોડી અન્ય જગ્યાએ હજરત કરવી પડી હતી અનેક પક્ષીઓ આગમાં હોમાઇ ગયા છે.

આગ બુઝાવવાના પ્રયાસો નિષ્ફળ ગયા હતા. જો કે, આ આગ હજુ પણ અવિરતપણે શરૂ છે. ક્યારે બુઝાય તે જોવું રહ્યું. આ આગ દરમિયાન અનેક પશુ-પક્ષીઓએ તેમના માળા છોડી અન્ય જગ્યાએ હજરત કરવી પડી હતી અનેક પક્ષીઓ આગમાં હોમાઇ ગયા છે.

ભાવનગર તેમજ જિલ્લામાં બે ફોરેસ્ટ વિભાગ કાર્યરત છે ભાવનગર ફોરેસ્ટ વિભાગ તેમજ શેત્રુંજય વન વિભાગ કાર્યરત છે પરંતુ હસ્તગીરી ડુંગરાઓની હારમાળા આ બંન્ને ફોરેસ્ટ વિભાગની હેઠળ ન આવતું હોય અને રેવન્યુ વિસ્તાર હોવાથી કોઇ પણ વન વિભાગના અધિકારીઓએ અંગત રસ દાખવ્યો ન હોવાનું લોકો જણાવી રહ્યા છે અને આ આગમાં મૌન રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.

જૈન સમાજ દ્વારા નવકાર મંત્રના જાપ કરાશે

શેત્રુંજીય મહાતીર્થની એક ટુંક ગણાય તેવી પાલિતાણા નજદીક આવેલ હસ્તગીરી પર્વત પર લાગેતી આગ દરમિયાન અસંખ્ય નાના-મોટા પશુ-પક્ષીઓ ઉપર સંકટ તોળાઇ રહ્યું છે અને કેટલાંક મુંગા જીવોએ તો જીવ પણ ગુમાવ્યો છે જેને લઇને જૈન સમાજમાં દુ:ખની લાગણી પ્રસરી છે. ભવિષ્યમાં ડુંગરમાં આગ ન લાગે અને હાલ પશુ-પક્ષીઓ આગમાં બચી જાય તે માટે જૈન સમાજ દ્વારા નવકાર મંત્રના જાપ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top