Headlines

જગતગુરુ શંકરાચાર્યના દર્શન આશીર્વાદ સાથે દેવભૂમિ હોમગાર્ડ કમાન્ડન્ટનો કાર્યવર્ષારંભ

દ્વારકા યાત્રાધામ દ્વારકા ખાતે દેવભૂમિ જિલ્લા હોમ ગાર્ડઝના કમાન્ડન્ટ સંદિપ ખેતિયા પરિવારે તાજેતરમાં નૂતન વર્ષના પ્રારંભ નિમિત્તે શારદાપીઠના જગદ્‌ગુરૂ શંકરાચાર્ય પૂ. શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજના આશીર્વાદ અને માર્ગદર્શન મેળવીને ધન્યતા અનુભવી હતી.

Read More

ખંભાળિયાની દ્વારકાધીશ હવેલીમાં આજે અન્નકૂટ દર્શન

જામ ખંભાળિયા, તા. ૩૧-૧૦-૨૦૨૫       ખંભાળિયામાં ન્યુ રામનાથ સોસાયટી ખાતે આવેલા શ્રી હરિવલ્લભ માર્ગ ઉપર સ્થિત શ્રી દ્વારકાધીશજીની હવેલી ખાતે શનિવાર તા. 1 નવેમ્બરના રોજ શ્રી દ્વારકાધીશ પ્રભુનો અન્નકૂટ મહોત્સવ યોજવામાં આવ્યો છે.       વિજયભાઈ ગોપાલદાસ દાવડા તથા કલ્પનાબેન અજીતભાઈ દાવડા (ઠક્કર વિલા) પરિવારના સહયોગથી યોજવામાં આવેલા આ આયોજનમાં સવારે 10…

Read More

ખંભાળિયામાં રવિવારે બ્રહ્મ સમાજની મહત્વની બેઠક

જામ ખંભાળિયા, તા. ૩૧-૧૦-૨૦૨૫      ખંભાળિયામાં આગામી રવિવાર તા. 2 નવેમ્બરના રોજ સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખની વરણી કરવા બાબતે ખાસ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અહીંના રામ મંદિરની બાજુમાં આવેલી ઔદીચ્ય બ્રાહ્મણ જ્ઞાતિની બ્રહ્મપુરીમાં રવિવારે સાંજે 4 થી 6 વાગ્યા સુધી આ બેઠક યોજવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્ર – કચ્છના બ્રહ્મ સમાજના સભ્યોને…

Read More

અવસાન નોંધ: જામ ખંભાળિયા

જામ ખંભાળિયા, તા. ૩૦-૧૦-૨૦૨૫ જામ ખંભાળિયા: ઔદીચ્ય ગઢિયા બ્રાહ્મણ પ્રવિણચંદ્ર વલ્લભજી પંડિત (ઉં.વ. 81) તે કેતનકુમાર પંડિત, વર્ષાબેન દિપકકુમાર વ્યાસ, સંગીતાબેન હિતેષભાઈ વ્યાસ અને કીર્તિબેન વિપુલકુમાર પાઠકના પિતાશ્રી તથા હરસિદ્ધના દાદા તા. 30 ના રોજ અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા શનિવાર તા. 1 ના રોજ સાંજે 4:30 થી 5 અત્રે શરણેશ્વર મહાદેવના મંદિર ખાતે રાખવામાં…

Read More

ભાવનગર રેલવે મંડળમાં ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ પ્રતિજ્ઞા સમારોહ ઉજવાયો

શંભુ સિંહ, ભાવનગર “ભારતના લૌહ પુરુષ” સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિના અવસર પર, 31 ઓક્ટોબર, 2025ના રોજ પશ્ચિમ રેલવે, ભાવનગર મંડળમાં રાષ્ટ્રીય એકતા દિવસ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવાયો હતો. આ અવસર પર મંડળ કચેરી પરિસરમાં પ્રતિજ્ઞા સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના અધ્યક્ષ મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્મા હતા.આ પ્રસંગે મંડળ રેલ પ્રબંધક શ્રી…

Read More

રિલાયન્સ અને ગૂગલ વચ્ચે કન્ઝ્યુમર્સ અને એન્ટરપ્રાઇઝીસમાં ભારતની એઆઇ ક્રાંતિને વેગ આપવા માટે ભાગીદારી : જિયો યુઝર્સને રૂ. 35,100 પ્રતિ યુઝરની કિંમતવાળા 18 મહિનાનું ગૂગલ એઆઇ પ્રો નિઃશુલ્ક મળશે

કુંજન રાડિયા જામ ખંભાળિયા, તા. ૩૧-૧૦-૨૦૨૫        રિલાયન્સ ઇન્ટેલિજન્સ ભારતમાં ઓર્ગેનાઇઝેશન્સને એઆઇ હાર્ડવેર એક્સેલરેટર્સની વધુ સારી સુવિધા પૂરી પાડવા માટે ગૂગલ ક્લાઉડ માટે વ્યૂહાત્મક ભાગીદાર બન્યું છે.         રિલાયન્સ ઇન્ટેલિજન્સ લિમિટેડ થકી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઇએલ) અને ગૂગલે આજે ભારતભરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની સ્વીકૃતિને વેગ આપવા માટે એક વિસ્તૃત વ્યૂહાત્મક ભાગીદારીની…

Read More

પાછોતરા વરસાદના કારણે ખેડૂતોને નુકસાન: “ભાઈ”એ કહ્યું- ખેડૂતો ચિંતા ના કરે કેબિનેટમાં તમારો “ભાઈ” બેઠો છે

ઘ ગ્રેટ વર્લ્ડ, ભાવનગરપાછોતરા વરસાદના કારણે રાજ્યના વિવિધ વિસ્તારોની સાથોસાથ ભાવનગર તાલુકા અને જિલ્લામાં થયેલા વ્યાપક વરસાદના કારણે ખેડૂતોને થયેલા ભારે નુકસાનના કારણે ભારે તબાહી મરચી જતા ધારાસભ્ય અને મંત્રી પુરુષોત્તમ સોલંકી એ મતવિસ્તારના ખેડૂતો સાથે એક બેઠક કરીને સાંત્વના આપી હતી.આ બેઠકમાં ખેડૂતો સાથેની વાતચીતમાં પુરુષોત્તમ સોલંકીએ ખેડૂતોને જણાવ્યું હતું કે પોતે મુખ્યમંત્રીને અને…

Read More

સરકાર વચન પ્રમાણે મગફળીના ટેકાના ભાવ ન આપે તો ગુજરાત વ્યાપી આંદોલન કરવાની ચીમકી આપતા ખેડૂત નેતા ભરતસિંહ

ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગરસરકારે અગાઉ જાહેરાત કરી હતી કે તેઓ 1 નવેમ્બરથી ટેકાના ભાવે મગફળી ખરીદશે પરંતુ આ જાહેરાતનું અમલીકરણ કોઈ કારણસર મોકૂફ રહ્યું છે અથવા તો બંધ રહ્યું છે. તેના કારણે ખેડૂત કલ્યાણ સમિતિના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહ પોપટભાવ વાળા ખેડૂતો વતી તરેડી ભારે ગુસ્સામાં આવી ગયા છે. તેમણે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું છે…

Read More

કારમાં દારૂની હેરાફેરી કરતા પ્રફુલને 2.13 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લેતી રાણાવાવ પોલીસ: નહીં પકડાયેલ ખંભાળા અને મેલાણના 2 સહિત 3 સામે ગુનો દાખલ

ધ ગ્રેટ વર્લ્ડ, રાણાવાવપોરબંદર જિલ્લાની રાણાવાવ પોલીસના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પીએસઆઇ આર.વી.મોરીને મળેલ હકિકત આધારે બીલેશ્વર ગામ ફોરેસ્ટની ઓફીસ સામે રોડ પરથી પ્રકુલ બાબુભાઇ હુંણ (ઉ.વ.૨૭ રહે.મેલાણગામ વાડી વિસ્તાર તા.જામજોધપુર જી.જામનગર)ના હવાલાવાળી કાર નંબર- GJ-1-RG-૦૧૩૭ (કિ.રૂ.૧,૦૦,૦૦૦/-)માંથી દેશી દારૂ લીટર ૫૪૦ (કિ.રૂ.૧,૦૮,૦૦૦/-) તથા મોબાઈલ ફોન નંગ-૧ (કિ.રૂ.૪૦૦૦/-)ના મુદામાલ સાથેનો પ્રોહીબીશનનો કેશ શોધી કાઢી કુલ…

Read More

ઘરકામ બાબતે સાસુએ ઠપકો આપતા આરંભડાની પરિણીતાએ આપઘાત કર્યો

જામ ખંભાળિયા, તા. ૩૦-૧૦-૨૦૨૫ પથરીના દુખાવાથી કંટાળીને સણખલા ગામની નવપરિણીતાએ જિંદગી ટૂંકાવી       ભાણવડ તાલુકાના સણખલા ગામે રહેતી અને વીરાભાઈ દેવાભાઈ વારોતરીયાની 21 વર્ષની પરિણીત પુત્રી દક્ષાબેન કેશુભાઈ ખીમાભાઈ કરમુરને છેલ્લા એકાદ વર્ષથી પથરીની બીમારી હોય, અને તેમને વારંવાર પથરીનો દુખાવો થતો હોવાથી કંટાળી ગયા હતા. આ વચ્ચે ગત તા. 15 ઓક્ટોબરના રોજ…

Read More