Headlines

ખંભાળિયાની લેબોરેટરીમાંથી રોકડની ચોરી

જામ ખંભાળિયા       ખંભાળિયા માં નવાપરા શેરી નં. 2 ખાતે આવેલી શ્રેય લેબોરેટરીના ટેબલના ખાનામાંથી કોઈ તસ્કરો રૂપિયા 17,000 ની રોકડ રકમ ચોરી કરીને લઈ ગયા હોવાની ફરિયાદ રાહુલભાઈ નરેન્દ્રભાઈ વ્યાસ (ઉ.વ. 45, રહે. ગાયત્રીનગર) દ્વારા અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

Read More

ઓખામાં પરપ્રાંતિય માછીમાર યુવાનનો આપઘાત

ઓખા         મહારાષ્ટ્ર રાજ્યના પાલઘર જિલ્લાના તલાસરી તાલુકામાં રહેતા સંતોષભાઈ જેઠુભાઈ દદોડા નામના 45 વર્ષના મરાઠી માછીમાર યુવાને ઓખામાં જીલાની ફૂડ નામના દંગાના રૂમમાં આવેલા પંખાના હુકમાં બ્લેન્કેટ બાંધીને ગળાફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ સંદીપભાઈ દેવુભાઈ ફરલે ઓખા મરીન પોલીસને કરી છે. 

Read More

કલ્યાણપુર પંથકમાં દરિયાઈ રેતી ચોરી પ્રકરણમાં આરોપીને ત્રણ વર્ષની સખત કેદ તથા દંડ

– જિલ્લામાં દરિયાઈ રેતી ચોરી પ્રકરણમાં સૌપ્રથમ વખત સજાનો હુકમ –  કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૧- ૦૨- ૨૦૨૫         દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર વિસ્તારમાં ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર મોહમ્મદ સોહેલ ઝાકીરહુસેન મેમણ તથા તેમની ટીમ દ્વારા ગત તારીખ 8 માર્ચ 2020 ના રોજ હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન હેમત રામદે…

Read More

સગીરાના અપહરણના કેસમાં રાજકોટના શખ્સને 7 વર્ષની કેદ ફટકારતી ખંભાળિયા સ્પેશિયલ પોકસો કોર્ટ

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૧-૦૨-૨૦૨૫          રાજકોટ તાલુકાના સાપર વિસ્તારમાં હાલ રહેતા અને મૂળ અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના રહીશ જયદીપ કાનાભાઈ ભેડા નામના શખ્સ દ્વારા થોડા સમય પૂર્વે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા વિસ્તારમાં રહેતી એક સગીરાને લલચાવી, ફોસલાવીને લગ્ન કરવાની લાલચ આપી, અને તેણીના માતા-પિતાના કાયદેસરના વાલીપણામાંથી મોટરકાર મારફતે અપહરણ કરીને…

Read More

ખંભાળિયાના સિદ્ધપુર ગામે પવનચક્કી પરથી પટકાતા ભાટિયાના યુવાનનું મૃત્યુ

જામ ખંભાળિયા            ખંભાળિયાથી આશરે 25 કિલોમીટર દૂર આવેલા સિદ્ધપુર ગામના વાડી વિસ્તારમાં સુઝલોન કંપનીની પવનચક્કીનું સાફ-સફાઈ તેમજ મેન્ટેનન્સનું કામ કરવા માટે લિફ્ટ મારફતે પવનચક્કી ઉપર ગયેલા ભાટીયા ગામના રહીશ વિક્રમભાઈ રામશીભાઈ ગોજીયા નામના 24 વર્ષના યુવાન અકસ્માતે પવનચક્કી ઉપરથી જમીન પર પટકાઈ પડ્યા હતા. જેના કારણે તેમનું મૃત્યુ નીપજ્યું હતું….

Read More

ભરાણામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: આરોપી ઝડપાયો

– મુદ્દામાલ કબજે: અન્ય એકની શોધખોળ –  જામ ખંભાળિયા, તા. ૨૦-૦૨-૨૦૨૫         ખંભાળિયા તાલુકાના ભરાણા ગામે ગત તારીખ 8 ના રોજ એક આસામી લગ્ન પ્રસંગે ગયા હતા. ત્યારે ત્રણેય કલાકના સમયગાળામાં કોઈ તસ્કરોએ તેમના ઘરમાં પ્રવેશી અને રોકડ સહિતના મુદ્દામાલની ચોરી થયાનો બનાવ વાડીનાર મરીન પોલીસ મથકમાં નોંધાયો હતો. આ પ્રકરણ સંદર્ભે…

Read More

વિદેશી દારૂના વેપલા સાથે સંડોવાયેલા દ્વારકાના બે શખ્સોને પાસા તળે ધકેલાયા

જામ ખંભાળિયા, તા. ૧૮-૦૨-૨૦૨૫        દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સાબુદ બની રહે તે હેતુથી જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા કરવામાં આવી રહેલી કાર્યવાહીમાં કાયદાનું અવારનવાર ઉલ્લંઘન કરતા શખ્સો સામે પાસાનું શસ્ત્ર ઉગામવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત દ્વારકા વિસ્તારમાં ગુનાહિત ઇતિહાસ કરાવતા શખ્સો અંગેની માહિતી એકત્ર કરી અને અસરકારકતાપૂર્વક…

Read More

ભાણવડના રાણપર ગામેથી વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ ઝડપાયા

જામ ખંભાળિયા, તા. ૧૮-૦૨-૨૦૨૫        દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ વિસ્તારમાં ડીવાયએસપી ડો. હાર્દિક પ્રજાપતિની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહીમાં એ.એસ.આઈ. શક્તિરાજસિંહ જાડેજા તેમજ સુખદેવસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે રાણપર ગામે વિદેશી દારૂ અંગેનો દરોડો પાડવામાં આવ્યો હતો.       આ પ્રકરણમાં રૂપિયા 46,800 ની કિંમતની જુદી જુદી બ્રાન્ડની 72 બોટલ…

Read More

વિદેશી દારૂના વેપલા સાથે સંડોવાયેલા દ્વારકાના બે શખ્સોને પાસા તળે ધકેલાયા

Crime Report જામ ખંભાળિયા, તા. ૧૮-૦૨-૨૦૨૫        દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સાબુદ બની રહે તે હેતુથી જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા કરવામાં આવી રહેલી કાર્યવાહીમાં કાયદાનું અવારનવાર ઉલ્લંઘન કરતા શખ્સો સામે પાસાનું શસ્ત્ર ઉગામવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત દ્વારકા વિસ્તારમાં ગુનાહિત ઇતિહાસ કરાવતા શખ્સો અંગેની માહિતી એકત્ર કરી…

Read More

તળાજાના જાણીતા કવયિત્રી રક્ષા શુક્લના પુસ્તક ‘તેજસ્વિની’ને મુખ્યમંત્રી સન્માન

હરેશ જોષી, તળાજા જાણીતા કવયિત્રી રક્ષા શુક્લના પુસ્તક ‘તેજસ્વિની’ને ગુજરાત સરકારની ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ૨૦૨૨નું શ્રેષ્ઠ ચરિત્રનિબંધનું પ્રથમ પારિતોષિક જાહેર થયું છે. આગામી ૨૧ ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિવસે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે એમને એવોર્ડ અર્પણ થશે. ‘તેજસ્વિની’ પુસ્તક પદ્મશ્રી સન્માનિત મહિલાઓની સંઘર્ષ ગાથાને આલેખે છે. ટૂંક સમયમાં આ પુસ્તકનો હિન્દી…

Read More