Headlines

કલ્યાણપુરમાં વધુ એક બોગસ તબીબ ઝડપાયો

જામ ખંભાળિયા, તા. ૦૫-૧૧-૨૦૨૫ ખંભાળિયામાં બે બાળકોના અપહરણ: અજાણ્યા શખ્સ સામે ફરિયાદ      ખંભાળિયા વિસ્તારમાં રહેતા એક શ્રમિક યુવાનના બે બાળકોના અપહરણ થયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.       આ સમગ્ર પ્રકરણની પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ જામનગર તાલુકાના હાપા વિસ્તારના મૂળ રહીશ અને હાલ ખંભાળિયામાં રેલવે સ્ટેશન અંડર બ્રિજ ખાતે…

Read More

ખંભાળિયાના ફાફડેશ્વર મહાદેવના મંદિરે આજે પાટોત્સવ દર્શન

જામ ખંભાળિયા, તા. ૦૩-૧૧-૨૦૨૫        ખંભાળિયાના ખત્રીવાડ વિસ્તારમાં આવેલા પ્રાચીન અને પ્રખ્યાત શ્રી ફાફડેશ્વર મહાદેવના મંદિર ખાતે બુધવાર તા. 5 ના રોજ પૂનમના પવિત્ર દિને પાટોત્સવ દર્શનનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સાંજે 5 થી 9:30 વાગ્યા સુધી દર્શનનો લાભ લેવા ધર્મપ્રેમી જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે.  ____________________________________________________________________________ (કુંજન રાડિયા)

Read More

બેટ દ્વારકા ખાતે મરીન ટાસ્ક ફોર્સ ઓખા દ્વારા દરિયાઈ સુરક્ષા અંગે સેમિનાર યોજાયો

જામ ખંભાળિયા, તા. ૦૩-૧૧-૨૦૨૫      રાજ્યના વિશાળ દરિયાકિનારા તેમજ તેને સ્પર્શતા જમીન વિસ્તારની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સરકાર દ્વારા મરીન ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. જે અંતર્ગત મરીન ટાસ્ક ફોર્સના કમાન્ડો અને તેના અધિકારીઓ કાર્યરત છે. જેનો હેતુ દરિયાઈ તેમજ તેને સ્પર્શતા જમીન વિસ્તારમાં કટોકટીની સ્થિતિને પહોંચી વળવાનો તેમજ દરિયાકિનારાના વિસ્તારની સુરક્ષા સુનિશ્ચિત…

Read More

ખંભાળિયામાં રવિવારે વિના મૂલ્યે સર્વરોગ નિદાન, સારવાર તથા દવા વિતરણ સાથે રક્તદાન કેમ્પનું આયોજન

– રેડક્રોસ સંસ્થા દ્વારા નવી મહાજન વાડીમાં આયોજન – જામ ખંભાળિયા, તા. ૦૪-૧૧-૨૦૨૫      ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા આગામી રવિવાર તા. 9 ના રોજ દાતા પરિવારના સહયોગથી વિનામૂલ્યે મેગા સર્વરોગ નિદાન કેમ્પ તથા દવા વિતરણ અને રક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.        ખંભાળિયામાં બેઠક રોડ પર…

Read More

ખંભાળિયા તાલુકાના ખેડૂતોને નુકસાની વળતર સાથે પશુઓ માટેની સહાય ચૂકવવા પણ રજૂઆત જામ ખંભાળિયા, તા. ૦૩-૧૧-૨૦૨૫       ખંભાળિયા સહિત સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તાજેતરમાં વરસી ગયેલા કમોસમી માવઠાથી ઠેર ઠેર હાલાકીભરી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ખાસ કરીને ખેતરોમાં ઊભા મોલ ધોવાઈ જતા ધરતીપુત્રો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.        ખંભાળિયા તાલુકાના કોલવા…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માવઠાનો કહેર અવિરત: ભાણવડમાં દોઢ, ખંભાળિયામાં સવા ઈંચ વરસાદ

– ખેડૂતો માટે પડ્યા પર પાટુ જેવી પરિસ્થિતિ – જામ ખંભાળિયા, તા. ૦૧-૧૧-૨૦૨૫        દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ત્રણેક દિવસ થયા કુદરત જાણે રૂઠી હોય તેમ માવઠાની પરિસ્થિતિ વચ્ચે ગતરાત્રે જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસતા ખાસ કરીને ધરતીપુત્રો કફોડી હાલતમાં મુકાઈ ગયા છે. ગઈકાલે રાત્રે ભાણવડ તાલુકામાં દોઢ અને ખંભાળિયા તાલુકામાં સવા ઈંચ…

Read More

સલાયા ગામે ઘરફોડ ચોરી: રોકડ, દાગીના સહિત કુલ રૂ. 3.30 લાખનો મુદ્દામાલ ઉસેડી જતા તસ્કરો

જામ ખંભાળિયા, તા. ૩૦-૧૦-૨૦૨૫        ખંભાળિયા તાલુકાના સલાયા ગામે એક રહેણાંક મકાનમાં તસ્કરોએ ખાતર પાડી, મકાનમાં રાખવામાં આવેલા સોનાના દાગીના તેમજ રોકડ રકમ સહિત કુલ રૂપિયા 3 લાખ 30 હજારના મુદ્દામાલ ચોરી કરીને લઈ ગયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.      આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયા તાલુકાના સલાયા…

Read More

ખંભાળિયામાં રઘુવંશી જ્ઞાતિજનોના સમૂહ ભોજનનું આયોજન ભવ્ય રીતે સંપન્ન: રાજ્ય સભાના સાંસદ પરિમલભાઈ નથવાણીની ખાસ ઉપસ્થિતિ

– હજારો રઘુવંશીઓએ સમૂહ પ્રસાદ લીધો – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૩૦-૧૦-૨૦૨૫       જલારામ બાપાની 226 મી જન્મ જયંતી નિમિત્તે ખંભાળિયામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રઘુવંશી જ્ઞાતિજનોના સમુહ પ્રસાદ (નાત)નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખંભાળિયાના મૂળ વતની પરિમલભાઈ નથવાણી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને હજારો રઘુવંશી ભાઈઓ-બહેનોએ…

Read More

ખંભાળિયા રેલવે કોલોનીમાં પાણી ભરાવાની લાંબા ગાળાની સમસ્યાનું કાયમી નિરાકરણ: રાજકોટ રેલવે ડિવિઝનની મોટી સિદ્ધિ

– કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૯-૧૦-૨૦૨૫        રાજકોટ રેલવે ડિવિઝનના ખંભાળિયા સ્ટેશન ખાતેની રેલવે કોલોનીમાં છેલ્લા આશરે દોઢેક દાયકાથી સતત પાણી ભરાવા (જળભરાવ)ની સમસ્યા રહેતી હતી. દર વર્ષે ચોમાસા દરમિયાન કોલોનીના ક્વાર્ટર્સમાં પાણી ભરાઈ જવાથી રહેવાસીઓને બિન-આરોગ્યપ્રદ અને અસુવિધાજનક પરિસ્થિતિઓનો સામનો કરવો પડતો હતો. આ લાંબા ગાળાની સમસ્યાના નિરાકરણ માટે કોલોનીમાં એક…

Read More

દ્વારકા તાલુકાના સાત ગામોનો દ્વારકા ઓખા અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટીમાં સમાવેશ: મુખ્યમંત્રી દ્વારા દ્વારકાને દિવાળી ભેટ

– વસઈ, ભીમરાણા, મેવાસા, ટોબર, મકનપુર, મોજપ, મીઠાપુર DOUDAમાં સમાવાયા – જામ ખંભાળિયા, તા. ૧૮-૧૦-૨૦૨૫          ગુજરાત રાજયના નવા મંત્રી મંડળની રચના સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા દ્વારકા પંથકને દિવાળીની ભેટ આપતા દ્વારકા તાલુકાના વસઈ, ભીમરાણા, મેવાસા, ટોબર, મકનપુર, મોજપ અને મીઠાપુરને દ્વારકા ઓખા અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી (DOUDA)માં સમાવેશ કરાયો છે. દ્વારકા…

Read More