Sunday June 22, 2025

કલ્યાણપુર પંથકમાં ભોગાત ગામે તંત્રનું ડિમોલીશન: રહેણાંક પર ફર્યું બુલડોઝર

જામ ખંભાળિયા, તા. ૩૦-૦૩-૨૦૨૫       કલ્યાણપુર વિસ્તારમાં સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા અસામાજિક તત્વો સામે હાથ ધરવામાં આવેલી કાર્યવાહીમાં ભોગાત ગામે 14 વિઘા જેટલી જમીન માં રહેલું દબાણ દૂર કરવામાં આવ્યું છે.      આ અંગે જાણવા મળતી વિગત મુજબ કલ્યાણપુર તાલુકામાં અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલા દબાણ અંગેના સરવે બાદ કલ્યાણપુર તાલુકા મામલતદારની […]

કલ્યાણપુરના સતાપર ગામે શ્રમિક દંપત્તિએ સજોડે ઝેરી દવા પીધી: મૃત્યુ

જામ ખંભાળિયા, તા. ૩૦-૦૩-૨૦૨૫       કલ્યાણપુર તાલુકાના સતાપર ગામે પરપ્રાંતિય શ્રમિક દંપત્તિએ સજોડે ઝેરી દવા પી, આપઘાત કર્યાનો બનાવો પ્રકાશમાં આવ્યો છે.          આ કરુણ ઘટના અંગે બિનઆધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ બારડોલી તાલુકાના મેવાછી ગામના મૂળ રહીશ અને હાલ કલ્યાણપુર તાલુકાના સતાપર ગામે રહી અને ખેત મજૂરી […]

ખંભાળિયા નજીક હાઈવે માર્ગ પરની હોટલમાં મોડી રાત્રે બે યુવતી, યુવાન વચ્ચે બઘડાટી

– હોટેલ સંચાલકને મળી મારી નાખવાની ધમકી: ત્રણ સામે ગુનો – જામ ખંભાળિયા, તા. ૩૦-૦૩-૨૦૨૫         ખંભાળિયા નજીકના હાઈવે માર્ગ પર માર્કેટિંગ યાર્ડની બાજુમાં આવેલી એક હોટલમાં રાત્રિના આશરે બારેક વાગ્યાના સમયે બે અજાણી યુવતી તેમજ એક યુવાન વચ્ચે કોઈ કારણોસર માથાકૂટ થઈ હતી. આ પછી અહીં હોટેલ સંચાલકને એક શખ્સ દ્વારા […]

શનિ અમાવસ્યા નિમિત્તે હાથલા શનિદેવ ખાતે ભક્તોની ભીડ

– હજારો ભક્તો ઉમટ્યા: ચપ્પલ, બુટનો કર્યો ત્યાગ – જામ ખંભાળિયા, તા. ૩૦-૦૩-૨૦૨૫         દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાથલા ગામે આવેલા ઐતિહાસિક એવા શનિદેવ મંદિર ખાતે ગઈકાલે શનિવારે શનિ અમાવસ્યા નિમિત્તે હજારોની સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી પડી હતી. અહીં મોટી સંખ્યામાં લોકોએ પોતાના ચપ્પલ-બુટને ત્યજી દીધા હતા.         ભાણવડ નજીક આવેલા […]

ઓખા મંડળમાં વધુ છ ગેરકાયદેસર દબાણ પર ફર્યું સરકારી બુલડોઝર

જામ ખંભાળિયા, તા. ૨૯-૦૩-૨૦૨૫         દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મંડળમાં અગાઉ હાથ ધરાયેલા ઓપરેશન ડિમોલિશનના વધુ એક રાઉન્ડમાં ગઈકાલે સ્થાનિક પ્રશાસન દ્વારા ખાસ ટીમ મારફતે દબાણ હટાવ ઝુંબેશ હાથ કરવામાં આવી હતી.          આ કામગીરીમાં ઓખા વિસ્તારમાં કેટલાક આસામીઓ દ્વારા કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણ સંદર્ભે તંત્ર દ્વારા નોટિસ અંગેની […]

રિક્ષામાં ચોરખાનું બનાવીને લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

– 84 બોટલ સાથે જામનગરનો શખ્સ ઝબ્બે – જામ ખંભાળિયા, તા. ૨૯-૦૩-૨૦૨૫            ખંભાળિયામાં ડીવાયએસપી કચેરીના સ્ટાફ દ્વારા આજરોજ ચેકિંગ કાર્યવાહી દરમિયાન જામનગરના શખ્સને મુસાફર રિક્ષામાં ચોરખાનું બનાવીને વિદેશી દારૂની હેરાફેરી કરતા ઝડપી લીધો હતો.       આ અંગે પોલીસ સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ અહીંના ડીવાયએસપી હાર્દિક […]

ખંભાળિયાનો નકલી અધિકારી જીલ પંચમતીયા વધુ ત્રણ દિવસના રિમાન્ડ પર

– ગાડી પરની લાલ લાઇટ, ખોટી નંબર પ્લેટ સહિતના મુદ્દે સાત દિવસના મંગાયા હતા રિમાન્ડ – જામ ખંભાળિયા, તા. ૨૯-૦૩-૩૦૨૫         ખંભાળિયામાં રહેતો અને ભેજાબાજ સાબિત થયેલો જીલ પંચમતીયા વિવિધ ગુનાઓમાં પોલીસના હાથ લાગ્યો છે. ત્યારે તાજેતરમાં પોલીસ દ્વારા તેના ત્રણ દિવસના રિમાન્ડ પૂર્ણ કરી વિવિધ માહિતીઓ મેળવી અને જેલ હવાલે કરાયા […]

સ્વામીનારાયણના અમુક સંતોના વિવાદિત શબ્દપ્રયોગ પ્રત્યે દ્વારકા સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામિ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

જામ ખંભાળિયા, તા. ૨૮-૦૩-૨૦૨૫         છેલ્લા કેટલાક સમયથી સ્વામિનારાયણ સંપ્રદાયના કહેવાતા સાધુઓ દ્વારા હિન્દુ ધર્મના દેવી દેવતાઓ વિશે અભદ્ર ટિપ્પણી તેમજ ભગવાન દ્વારકાધીશ દ્વારકામાં નથી તેમજ ભગવાન દ્વારકાધીશ જગત મંદિરની સેવા પૂજા કરતા ગૂગળી બ્રાહ્મણો વિશે નિમ્ન કક્ષાની વાતો કરતા અનેક વિવાદોએ જન્મ લીધો છે. સનાતન ધર્મ વિશે ઘસાતું બોલાતા ફક્ત દ્વારકાના […]

અફસોસ…દ્વારકા સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી માધવ સ્વરૂપદાસે સ્પષ્ટ કહ્યું: એ વિવાદી પુસ્તકમાં છેડછાડ થઈ છે

સ્વામીનારાયણના અમુક સંતોના વિવાદિત શબ્દપ્રયોગ પ્રત્યે દ્વારકા સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામિ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૮-૦૩-૨૦૨૫         છેલ્લા કેટલાક સમયથી સ્વામિનારાયણ સંપ્રદાયના કહેવાતા સાધુઓ દ્વારા હિન્દુ ધર્મના દેવી દેવતાઓ વિશે અભદ્ર ટિપ્પણી તેમજ ભગવાન દ્વારકાધીશ દ્વારકામાં નથી તેમજ ભગવાન દ્વારકાધીશ જગત મંદિરની સેવા પૂજા કરતા ગૂગળી બ્રાહ્મણો […]

ખંભાળિયા કેનેડી બ્રિજના વૈકલ્પિક ડાયવર્ઝનની કામગીરી સંપન્ન: વાહન ચાલકોમાં રાહત

જામ ખંભાળિયા, તા. ૨૭-૦૩-૨૦૨૫        ખંભાળિયા શહેરના પાદરમાં આવેલા ખામનાથ મહાદેવ મંદિર નજીકના આશરે સવા સદી જુના એવા કેનેડી બ્રિજ (ખામનાથ પુલ)ની જર્જરિત હાલતના કારણે છેલ્લા ઘણા સમયથી આ બ્રિજને આમ જનતા તેમજ વાહન ચાલકોના ઉપયોગ પર પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો. અહીંથી અવરજવર કરતા આસપાસના ગ્રામ્ય વિસ્તારના તેમજ પોરબંદર, ભાણવડ આવતા-જતા વાહન ચાલકો, […]

Back to Top