પોરબંદર જિલ્લામાં તા.૨૫ જાન્યુઆરી સુધી માવઠાની આગાહી
બાગાયતી અને રવિ પાકોની જાળવણી માટે કૃષિ વિભાગની માર્ગદર્શિકા પોરબંદર, તા.૨૨:હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી તા. ૨૫-૧-૨૬ સુધીમાં પોરબંદર જિલ્લામાં કમોસમી વરસાદ (માવઠું) થવાની શક્યતા છે. આ વાદળછાયા વાતાવરણ અને ભેજને કારણે ખાસ કરીને આંબાના પાકમાં ભૂકીછારો, કાલવ્રણ જેવી ફૂગજન્ય બીમારીઓ, મોર (ફૂલ) ખરી પડવા, પરાગનયનની ક્રિયામાં અવરોધ અને મધિયાનો ઉપદ્રવ વધવાની ભીતિ રહેલી છે….
