Headlines

રેલવેમાં વિદ્યુતીકરણના 100 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમા ભાવનગર ડિવિઝનમાં પ્રભાતફેરી નીકળી

ભારતીય રેલવેમાં વિદ્યુતીકરણના 100 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમા ભાવનગર ડિવિઝનમાં 29.01.2025 ના રોજ ડિવિઝનલ રેલ્વે મેનેજર રવીશ કુમારના માર્ગદર્શન હેઠળ પ્રભાતફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું. ડિવિઝનના તમામ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓએ આ કાર્યક્રમમાં સક્રિયપણે ભાગ લીધો હતો અને તેની સફળતામાં સહયોગ આપ્યો હતો. ભાવનગર ડિવિઝનના સીનીયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર માશૂક અહમદના જણાવ્યા અનુસાર, ભારતીય રેલ્વે…

Read More

દિલ્હી ખાતે ગણતંત્ર દિવસની પરેડમાં બાયોમેડિકલ વિભાગના વિદ્યાર્થીઓ ચમક્યા.

મૂકેશ પંડિત, નવી દિલ્હી બાયોમેડિકલ વિભાગ, સરકારી પોલિટેકનિક ગાંધીનગરના વિદ્યાર્થીઓએ 26મી જાન્યુઆરી 2025ના રોજ કર્તવ્ય પથ, દિલ્હી ખાતે આયોજિત પ્રતિષ્ઠિત ગણતંત્ર દિવસ પરેડમાં ભાગ લઈને તેમની પ્રતિભા અને ઉત્સાહ દર્શાવ્યો હતો. અમારા વિદ્યાર્થીઓને મહિલા અને બાળ વિકાસ મંત્રાલય અને પશુપાલન વિભાગ દ્વારા પ્રસ્તુત વાઇબ્રન્ટ ટેબ્લોમાં યોગદાન આપવાનો વિશેષાધિકાર મળ્યો હતો. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની…

Read More

પ્રયાગરાજ મહાકુંભમેળામાં ગોહિલવાડ ખાલસામાં મુલાકાત લઈ પ્રસન્નતા વ્યક્ત કરતાં મોરારિબાપુ

મહંત ગરીબરામબાપાનાં સાનિધ્યમાં સંતો અને સેવકો જોડાયાં ઈશ્વરિયા મંગળવાર તા.૨૮-૧-૨૦૨૫(મૂકેશ પંડિત) સંગમક્ષેત્ર પ્રયાગરાજ મહાકુંભમેળામાં ગોહિલવાડ મંડળ ખાલસામાં મુલાકાત લઈ મોરારિબાપુએ પ્રસન્નતા વ્યક્ત કરી હતી. મહંત ગરીબરામબાપાનાં સાનિધ્યમાં સંતો અને સેવકો જોડાયાં હતાં. અખિલ ભારતીય ગોહિલવાડ વિરક્ત મંડળ ખાલસામાં શ્રી મોરારિબાપુએ મુલાકાત લઈ ભાવિકો માટેની ભંડારા તથા અન્ય વ્યવસ્થા અંગે જાણી પ્રસન્નતા વ્યક્ત કરી હતી. સંગમક્ષેત્ર…

Read More

વાહ, મહાકુંભમેળામાં ભીડ વચ્ચે પરમશાંતિ!

તસવીર કથા મહાકુંભમેળામાં ભીડ વચ્ચે પણ પરમ શાંતિ…! ઈશ્વરિયા મંગળવાર તા.૨૮-૧-૨૦૨૫ (તસવીર – મૂકેશ પંડિત) પ્રયાગરાજમાં મહાકુંભમેળા પર્વે હૈયે હૈયું દળાઈ રહ્યું છે. વિશ્વનાં સૌથી વિરાટ સનાતન પર્વમાં સંન્યાસી સાધુ અને ધર્માચાર્યો તો મુખ્ય છે, ભાવિક શ્રદ્ધાળુઓ કરોડોમાં ઉમટી રહ્યાં છે. સંગમ સ્નાનનો આનંદ તો છે જ પણ સામાન્ય યાત્રિકોને ભીડભાડ માં વ્યક્તિગત વ્યવસ્થા માટે…

Read More

પ્રયાગરાજમાં કરોડો યાત્રિકોની સલામતી માટે ચુસ્ત બંદોબસ્તની વ્યવસ્થા

ઈશ્વરિયા મંગળવાર તા.૨૮-૧-૨૦૨૫(મૂકેશ પંડિત દ્વારા) કરોડો યાત્રિકોની સુરક્ષા માટે મહાકુંભમેળામાં ભારે બંદોબસ્ત વ્યવસ્થા રાખવામાં આવી છે. પ્રયાગરાજક્ષેત્રમાં સલામતી માટે ચુસ્ત નિયંત્રણ રખાયેલ છે. મહાકુંભમેળામાં દેશ અને દુનિયામાંથી આવતાં ભાવિક શ્રદ્ધાળુઓની સલામતી એક રીતે સ્થાનિક તંત્ર માટે પડકાર રૂપ છે. સાધુ સંતો અને અખાડા સાથે કરોડો ભાવિક યાત્રિકોની સુરક્ષા માટે મહાકુંભમેળામાં ભારે બંદોબસ્ત વ્યવસ્થા રાખવામાં આવી…

Read More

તળાજાના કૂંઢેલી ગામે ઠાકર દુવારા ખાતે જ્યોત દર્શન સાથે પાટોત્સવ યોજાશે

વાર્ષિક પાટોત્સવની ઉજવણી સાથે સંતવાણી, મહા પ્રસાદ જેવા કાર્યક્રમોનું ભાવભેર આયોજન હરેશ જોષી, કુંઢેલી તળાજા તાલુકાના કૂંઢેલી ગામે આવેલા પુરાણ પ્રસિદ્ધ અને દેવાયત પંડિત તથા સતિ દેવલદે ના કરકમલો દ્વારા સ્થાપિત 500 વર્ષ પુરાણા ઠાકર દુવારાનો વાર્ષિક પાટોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવશે.પ્રતિવર્ષ મહા સુદ બીજના રોજ સમસ્ત માલધારી સમાજ તથા ગામ લોકો દ્વારા અહી પાટોત્સવ ભક્તિમય…

Read More

મંડેર ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક દ્વારા 12 વર્ષની છાત્રા ઉપર ચાર વાર બળાત્કાર

પોતાના શિક્ષણ કાર્યના સમય દરમિયાન પોતાની જ શાળામાં પોતાની જ વિદ્યાર્થીની ઉપર શિક્ષક વિપુલ ગોહિલે અપકૃત્ય કર્યું હોવાની એફઆઇઆર પોરબંદરશિક્ષકોની ભરતી કરતી વખતે સરકાર તેના માર્ગ તો તપાસે છે પરંતુ ચરિત્ર તપાસતી નથી. વધુ એકવાર શિક્ષણ જગતને બદનામ કરતો એક કિસ્સો પોરબંદર તાલુકાના મંડેર ગામે બહાર આવ્યો છે જેમાં શાળાના શિક્ષકે પોતાના પ્રાથમિક શાળાના શિક્ષણ…

Read More

સેતુબંધ માણેકવાડી મિત્ર મંડળ દ્વારા ભારત માતા પૂજન યોજાયું

ભાવનગર 76 માં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી સાથે સાથે ભાવનગરના ક્રેસન્ટ ચોક, સરદાર સ્મૃતિ પાસે સેતુબંધ માણેકવાડી મિત્ર મંડળ દ્વારા ધારાસભ્ય શ્રીમતી સેજલબેન પંડ્યા તથા પૂર્વ શહેર પ્રમુખ રાજીવભાઈ પંડ્યા તેમજ અનેક વરિષ્ઠ અગ્રણીઓ રાજકીય આગેવાનો વિશ્વ હિન્દુ પરિષદ તથા આર.એસ.એસ ના પદાધિકારીઓ તેમજ કાર્યકર્તાઓ સાથે ભારત માતા પૂજનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો જેમાં નાની…

Read More

દ્વારકા નગરપાલિકામાં ઉમેદવારી માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા લેવાઈ: સાત વોર્ડની 28 સીટ માટે 155 દાવેદારો

જામ ખંભાળિયા, તા. ૨૯-૦૧-૨૦૨૫        દ્વારકા નગરપાલિકાની આગામી માસમાં યોજાનારી સામાન્ય ચૂંટણી અંગે ભાજપ દ્વારા પક્ષમાંથી ચૂંટણી લડવા ઈચ્છતા ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. નગરપાલિકાના સાત વોર્ડમાં કુલ 28 સભ્યોની ચૂંટણી માટે 155 જેટલા દાવેદારોએ ભાજપ પાસે ટીકીટની માંગણી કરી છે.          નિરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરી…

Read More

અવસાન નોંધ: જામ ખંભાળિયા : ટાચકાણી

જામ ખંભાળિયા: સ્વ. ચંદુલાલ વીરજી ટાચકાણી (જોશી)ના પુત્ર ગૌરીશંકરભાઈ તે મહેન્દ્રભાઈ અને નિલેશભાઈ શાંતિલાલ ટાચકાણી (જોશી), ભાવનાબહેન લાલજીભાઈ ખીરા, ધીરજલાલ રેવાશંકર ટાચકાણીના મોટાભાઈ તા. ૨૮ ના રોજ અવસાન પામ્યા છે. તેમનું બેસણું ગુરૂવાર તા. ૩૦ ના રોજ સાંજે ૪ થી ૫ વાગ્યા સુધી અત્રે સારસ્વત મહાસ્થાન (બ્રહ્મપૂરી), ખાતે રાખવામાં આવેલ છે.

Read More