Headlines

શિવરાજપુર બિચ પર વાહનોની અવર-જવર તથા કચરો ફેંકવા પર પ્રતિબંધ

જામ ખંભાળિયા, તા. ૨૯-૦૧-૨૦૨૫         દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા અને બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ ધરાવતા શિવરાજપુર બિચની નિયમાનુસાર જાળવણીના હેતુથી દેવભૂમિ દ્વારકાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ કેટલાક પ્રતિબંધો લગાવ્યાં છે. જેમાં શિવરાજપુર બિચ પર પાંચ કિલોમીટરની ત્રિજયામાં નિર્ધારિત વિસ્તાર પર પ્લાસ્ટીકના ઉપયોગ કે વપરાશ, વાહનોની અવર-જવર, કચરો ફેંકવા, કેમ્પેઇન કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે….

Read More

સંત નગા લાખા ઠાકર જગ્યાના મહંત રામબાપુને મહામંડલેશ્વરની પદવી મળતા શહેર ભાજપ દ્વારા સન્માન- સ્વાગત કાર્યક્રમ

ભાવનગર સંત શિરોમણી નગા લાખા ઠાકર જગ્યાના મહંત અનંતવિભૂષિત શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર મહંત તીર્થરાજ પ્રયાગ ખાતેના મહાકુંભમાં શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વરની પદવી એનાયત કરવામાં આવેલ. ૨૮-૦૧-૨૦૨૫ ના રોજ શ્રી રામબાપુના સ્વાગત- સન્માન અર્થે શહેરમાં શોભાયાત્રા રાખવામાં આવેલ. ભાવનગર શહેર ભાજપ કાર્યાલય ખાતે ભાજપ સંગઠન દ્વારા શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર મહંત શ્રી રામબાપુનું મંડપ સજાવીને, ધર્મગીતોનો…

Read More

મહાકુંભ 2025 ની પરિવર્તનશીલ યાત્રા: તીર્થયાત્રા અનુભવને સરળ બનાવશે ભારતીય રેલવે

રવિન્દ્ર ગોયલ,ભૂતપૂર્વ સભ્ય – સંચાલન અને વ્યવસાય વિકાસરેલવે બોર્ડ મહાકુંભ 2025 માં લાખો તીર્થ યાત્રાળુઓ ને પવિત્ર નગરી પ્રયાગરાજ પહોંચાડવામાં ભારતીય રેલવે એ તેની ભૂમિકાને ફરીથી વ્યાખ્યાયિત કરી છે. પરિવહન પૂરું પાડવા ઉપરાંત,રેલવે વિશ્વ કક્ષાની આતિથ્ય સેવાઓ પણ સફળતાપૂર્વક ચલાવી રહી છે. નોંધપાત્ર અપગ્રેડેશન, નવીન ઉકેલો અને સમાવેશકતા પ્રત્યે પ્રતિબદ્ધતા સાથે, રેલવે આ વ્યાપક ધાર્મિક…

Read More

રાજવી કવિ કલાપીની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે જયંતોર્મિ સાહિત્ય સંસ્થા અને કલાપી ફરસાણ વડોદરા દ્વારા કલાપી મહોત્સવની ભવ્ય ઉજવણી

વડોદરા, તા.૨૬વડોદરા શહેર સાંસ્કૃતિક નગરી તરીકે સમગ્ર દેશમાં પ્રખ્યાત છે અને તેની સાબિતી રૂપે શહેરમાં રોજબરોજ કંઇક ને કંઇક સાહિત્ય, કલા અને સંગીતના કાર્યક્રમો યોજાતા રહેતા હોય છે. જયંતોર્મિ સાહિત્ય સેવા ટ્રસ્ટ સાહિત્ય ક્ષેત્રે ખૂબ નામના ધરાવતી સાહિત્ય સંસ્થા છે. અનેક કલાકસબીઓ, સાહિત્ય રત્નોના સન્માન સાથે ઘણાં સાહિત્યિક કાર્યક્રમો યોજ્યા છે. તેમાં મોરપીછ સમાન ગણી…

Read More

ટીમાણામાં ત્રણ ભાઈઓ ઉપર કૌટુંબિક કાકા અને ભાણેજનો છરી વડે હુમલો

જમીન બાબતે ચાલતા મતભેદની દાઝ રાખી કરાયેલા હુમલામાં એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલ ખસેડાયો તળાજા તળાજા તાલુકાના ટીમાણા ગામમાં રહેતા યુવાન અને તેના ભાઈઓ પર જમીન બાબતે થયેલ મતભેદની દાજ રાખીને યુવાનના કૌટુંબિક કાકા અને તેના ભાણેજે છરી વડે હુમલો કરી જ્યાં પહોંચાડી હતી. આ બનાવ અંગે જાગ્રસ્ત યુવાને તળાજા પોલીસ…

Read More

તળાજાના રોયલ ગામ ખાતે પ્રાથમિક શિક્ષકોની તાલીમ સમ્પન્ન

ધો 1 અને 2 ની નવનિર્મિત અધ્યયન પુસ્તિકા વિશે માહિતી અપાઇ હરેશ જોષી, કુંઢેલી તળાજા તાલુકાની તાલુકા કક્ષાની અધ્યયન સંપુટ ગુજરાતી ધોરણ 1/2 તાલીમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.રોયલ પ્રાથમિક શાળા ખાતે તળાજા તાલુકાના ધોરણ 1 અને 2 માં અભ્યાસ કરાવતા તમામ શિક્ષક બહેનો ભાઈઓને ગુજરાતી અને ગણિત અધ્યયન સંપુટ કામગીરી અન્વયે નીપણ ભારત મિશન,NCERT અને…

Read More

શાખપુર(લાઠી)માં જગદીશ ત્રિવેદી દ્રારા નિર્મિત પુસ્તકાલયનું ઉદ્ઘાટન

હરેશ જોષી, અમરેલીઅમરેલી જિલ્લાના લાઠી તાલુકાના શાખપુર ગામમાં પદ્મશ્રી ડો. જગદીશ ત્રિવેદી દ્વારા નિર્મિત પુસ્તકાલયનું તા.૨૭/૧/૨૫ સોમવારે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પુસ્તકાલયમાં ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં લાઠી તાલુકાના યુવાનોને કેન્દ્રમાં રાખીને એ પ્રકારના પુસ્તકો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.આ પુસ્તકાલયનું ઉદ્ઘાટન હીપાવડલીનાં લટુરીયા હનુમાનજી આશ્રમના સંત પૂજ્ય જશુબાપુએ કરેલું હતું તેમજ વડોદરાના માર્ગીસ્મિત…

Read More

કુંઢેલી ગામે પ્રજાસત્તાક દિને માજી સૈનિકને હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું

હરેશ જોષી, કુંઢેલી તળાજા તાલુકાના કુંઢેલી ગામની પ્રાથમિક શાળામાં ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો હતો.આ 76 માં પ્રજાસત્તાક દિને કુંઢેલી ગામના માજી સૈનિક ધર્મેન્દ્રસિંહ રાણાના હસ્તે ધ્વજ વંદન થયું હતું. સુરત સ્થિત શિક્ષણ પ્રેમી દાતા પટેલ છગનભાઈ ઓધાભાઈ ગોટી તરફથી બાળકોને બટુક ભોજન કરાવવામાં આવ્યું હતું.સ્વ.વૈભવગીરી ગોસ્વામી ની યાદમાં મહેશગીરી દયાળગીરી ગોસ્વામી પરિવાર દ્વારા તમામ 211…

Read More

તળાજા તાલુકાના દાંત્રડ ગામે પ્રજાસત્તાકદિને દાનની સરવાણી વહી

હરેશ જોષી, દાંત્રડ દાંત્રડ ગામ ખાતે 26મી જાન્યુઆરી નિમિત્તે શાળામાં ધ્વજવંદન ઉપસરપંચ વિપુલભાઈ ગઢાદરા દ્વારા કરવામાં આવ્યું હતું. SMC અધ્યક્ષ ભીમજીભાઇ પંડ્યા, સરપંચ દિલીપભાઈ પંડ્યા સહિત ગમજનોબહાજર રહ્યા હતા . સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવેલ. તેમાં ભુતપૂર્વ આચાર્ય કનુભાઈ પી જાની ( માખણીયાવાળા) તરફથી રુપિયા10000/- નુ દાન થકી મધ્યાહન ભોજનમાં 120 સ્ટીલ ની ડીશ તેમજ…

Read More