Saturday June 21, 2025

સંતો- મહંતો, શહેર ભાજપ સંગઠન અને ચૂંટાયેલા પ્રતિનિધિઓએ ભાવનગરના રામભકતોને લઈને અયોધ્યા જતી આસ્થા ટ્રેનને પ્રસ્થાન કરાવ્યું

ભાવનગર
તારીખ ૧૯ ફેબ્રુઆરી ૨૦૨૪ અને સોમવારના રોજ સાંજે ૪-૦૦ કલાકે, સંતો-મહંતોના આશીર્વાદસહ, ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણ, મહામંત્રીઓ પાર્થભાઈ ગોંડલિયા, અલ્પેશભાઇ પટેલ, નરેશભાઇ મકવાણા, મેયર શ્રી ભરતભાઇ બારડ તેમજ સમગ્ર શહેર અને વોર્ડ સંગઠને, રામભકતોને લઈને અયોધ્યા જતી આસ્થા ટ્રેનનું પ્રસ્થાન કરાવ્યુ. યાત્રીઓના ઉતારા, ભોજન, ચા-પાણી જેવી સુખાકારી વ્યવસ્થાના પ્રભારીઓ હેમરાજસિંહ સોલંકી અને રાજુભાઇ ઉપાધ્યાએ કાર્યક્રમનું સંચાલન કરેલ. સંતો-મહંતોએ રામભક્તોને આશીર્વાદ આપેલ જ્યારે શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણે મંગલમય તેમજ સુખરૂપ યાત્રા માટે શુભેચ્છાઓ પાઠવેલ, તેમ ભાવનગર શહેર ભાજપ મીડિયા કન્વીનર હરેશભાઈ પરમારની યાદી જણાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top