ધ ગ્રેટ વર્લ્ડ, ચંદીગઢ
આમ આદમી પાર્ટી (AAP) ની અંદર છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલો આંતરિક અસંતોષ હવે જાહેરમાં આવી ગયો છે. પૂર્વ ભારતીય ક્રિકેટર અને પંજાબથી આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ હરભજન સિંહે પોતાની જ પાર્ટીના ઉચ્ચ નેતૃત્વ એટલે કે હાઇકમાન્ડ સામે ગંભીર સવાલો ઉઠાવતા રાજકારણ ગરમાયું છે. તેઓએ આક્ષેપ કર્યો છે કે પાર્ટીમાં લોકશાહી ખતમ થઈ ગઈ છે અને તેમની સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે. હરભજન સિંહે આક્રોશ વ્યક્ત કરતા પૂછ્યું છે કે, “રાજ્યસભાની સીટો કેટલા કરોડ રૂપિયામાં વેચવામાં આવી છે?” આ સાથે જ તેમણે પોતાને ગદ્દાર કહેવા બદલ પાર્ટીના વલણની આકરી ટીકા કરી છે. આ આંતરિક બળવાખોરીના કારણે આમ આદમી પાર્ટીની પ્રતિષ્ઠાને મોટો ધક્કો લાગ્યો છે અને વિરોધી પક્ષોને પણ સરકાર પર પ્રહારો કરવાની તક મળી ગઈ છે. પક્ષના સૂત્રોના જણાવ્યા અનુસાર, હાઇકમાન્ડ આ મામલે શિસ્તભંગના પગલાં લેવાની તૈયારી કરી રહ્યું છે, જ્યારે બીજી તરફ આ વિવાદના કારણે આગામી દિવસોમાં પક્ષમાં મોટા ભંગાણના એંધાણ દેખાઈ રહ્યા છે.
