ઈશ્વરિયા શુક્રવાર તા.૧૩-૧૨-૨૦૨૪
સણોસરા લોકભારતી લોકસેવા મહાવિદ્યાલય ગ્રામીણ અભ્યાસક્રમ સ્નાતક ત્રીજા વર્ષનાં વિદ્યાર્થીઓ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેવામાં આવી. અધ્યાપક શ્રી કુમારગૌરવ પુરોહિત સાથે આરોગ્ય કેન્દ્રનાં તબીબી અધિકારી શ્રી આશિયાબેન હુનાણી દ્વારા દર્દીઓ અને સારવાર પ્રક્રિયા વિશે માહિતી આપવામાં આવી. અંહિયા શ્રી મિતેશભાઈ ગોસ્વામી તથા શ્રી ભરતભાઈ લુણી દ્વારા પણ વિગતો આપવામાં આવી.
