મેયર ભરતભાઇ બારડ સહિત સંગઠન અને ચૂંટાયેલાલેવા પદાધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા
ભાવનગર
કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા તેમજ કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણીયા અને ભાજપ સંગઠને ત્રાપજ નજીક ગમખ્વાર અકસ્માત અંગે સંવેદના વ્યક્ત કરતા સર ટી અને તળાજાની હોસ્પિટલોને તાત્કાલિક પગલાં લેવા અનુરોધ કર્યો છે.
આજે ત્રાપજ નજીક બંધ પડેલ ડમ્પર ટ્રકની સાથે ખાનગી બસનો હૃદય વલોવાઈ જાય એવો ગમખ્વાર અકસ્માત બનવા પામેલ. ઘાયલોને તાત્કાલિક સારવાર મળી રહે તેની ચિંતા કરતા કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઇ માંડવીયા અને કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી નિમુબેન બાંભણીયાએ સંવેદના વ્યક્ત કરતા ભાવનગરના સર ટી હોસ્પિટલ અને તળાજાના હોસ્પિટલમાં પીડિતોને તાત્કાલીક સારવાર મળે તેમ જણાવેલ. સાથે સત્ર શરૂ હોવા છતાં ઘટનાની તાજી જાણકારી અને સૂચનો માટે બંને મંત્રીશ્રીઓ જરૂરી લોકો સાથે સતત સંપર્ક કરી રહ્યા છે, તેમજ ભાવનગર શહેર ભાજપ સંગઠન, ભાવનગર પશ્ચિમ અને પૂર્વના ધારાસભ્યશ્રીઓ તેમજ મેયર ભરતભાઇ બારડ, સ્ટે. કમિટીના ચેરમેન શ્રી રાજુભાઇ રાબડીયા સહિત ચૂંટાયેલા અન્ય જનપ્રતિનિધિઓઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે જવા રવાના થઈ ગયા હતા. સત્ર શરૂ હોવા છતાં મનસુખભાઇ અને નિમુબેન થોડી થોડી વારે સંપર્ક કરીને ચિંતા જતાવી રહ્યા છે, ત્યારે શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણ સહિત શહેર ભાજપ સંગઠન અને ચૂંટાયેલા સૌ જનપ્રતિનિધિઓ પણ પીડિતોને યોગ્ય સારવાર મળે તે અંગે પ્રયત્ન કરી રહ્યા છે, તેમજ સૌ સાથે મળીને આ ગમખ્વાર અકસ્માત અંગે દુઃખ અને સંવેદના વ્યક્ત કરીને પોતપોતાની માનવીય જવાબદારીઓ સંભાળવા લાગ્યા હતા.