WR@125 : વાર્ષિક રાઉન્ડ અપ – પશ્ચિમ રેલવે 2024
રેલવે યાત્રાના અનુભવને ઉત્તમ બનાવવાની સાથે ઈન્ફ્રાસ્ટ્રક્ચરલ અપગ્રેડેશનને મુખ્ય પ્રોત્સાહન
ચર્ચગેટ ખાતેના પશ્ચિમ રેલવેના મુખ્યમથક બિલ્ડીંગનું બાંધકામ 1899 માં થયું હતું,
તેણે જાન્યુઆરી, 2024 માં 125 વર્ષ પુરાં કર્યાં
આ ઐતિહાસિક સિદ્ધિનો ઉત્સવ એક મહીના સુધી મનાવવામાં આવ્યો
પશ્ચિમ રેલવેની પ્રથમ નમો ભારત રેપિડ રેલવે ભુજ અને અમદાવાદ વચ્ચે શરૂ થઈ
અમદાવાદ અને મુંબઈ વચ્ચે એક અન્ય વંદે ભારત એક્સપ્રેસ શરૂ કરવામાં આવી, અમદાવાદ-જામનગર વંદેભારત એક્સપ્રેસને ઓખા સુધી વધારવામાં આવી
ટ્રેન નંબર 10115/16 બાન્દ્રા ટર્મિનસ-મડગાંવ એક્સપ્રેસની શરૂઆત
આ ટ્રેનના શરૂ થવાથી મુંબઈના પશ્ચિમી ઉપનગરોથી કોંકણ સુધી ટ્રેન શરૂ કરવાની લાંબા સમયથી થઈ રહેલી માંગણી પૂરી થઈ ગઈ છે
શંભુ સિંહ – ભાવનગર
પશ્ચિમ રેલવે પર ઉપનગરીય સેવાઓ 1394 થી વધીને 1406 થઈ ગઈ છે
એસી લોકલ સેવાઓ પણ સદીના આંકડાને પાર કરી ગઈ છે, જે 96 થી વધીને 109 થઈ ગઈ છે, જ્યારે 15 કોચવાળી સેવાઓ વધીને 209 થઈ ગઈ છે.
સૂરત, સોમનાથ, સાબરમતી, ન્યુ ભુજ અને અમદાવાદ સ્ટેશનોના પુનઃવિકાસનું કામ ઝડપથી ચાલી રહ્યું છે
પશ્ચિમ રેલવે એ લગભગ 502 કિલોમીટરના લોકો ટ્રાયલ સફળતાપૂર્વક પૂર્ણ કરી લીધા છે અને 81 લોકોને કવચ સિસ્ટમથી સુસજ્જિત કરવામાં આવ્યા છે
કેટલીયે મહત્વપૂર્ણ અને અત્યંત જરૂરી પરિયોજનાઓ ઝડપી ગતિથી આગળ વધી રહી છે
352 કિલોમીટર નવી લાઈનો, ગેજ રૂપાંતરણ અને દ્વિકરણનું કામ શરૂ કરવામાં આવ્યું
પશ્ચિમ રેલવે બ્રોડ ગેજ માર્ગનું 97% થી વધુનું વિદ્યુતીકરણ થઈ ચુક્યું છે
ખાર રોડ-ગોરેગાંવ-મલાડ-કાંદિવલી વચ્ચે છઠ્ઠી લાઈનનું કામ પૂર્ણ થઈ ગયુ છે. તમામ પ્લેટફોર્મના રિનંબરીંગની સાથે મલાડમાં નવું પ્લેટફોર્મ નંબર 1 ચાલુ કરવામાં આવ્યું
પશ્ચિમ રેલવે દ્વારા જાન્યુઆરી થી ડિસેમ્બર, 2024 સુધી લગભગ 103 મિલિયન ટન માલનું લોડિંગ કરવામાં આવ્યું
ચાલુ નાણાંકિય વર્ષમાં પશ્ચિમ રેલવેએ ડિસેમ્બર 2024 સુધી 76 મિલિયન ટનથી વધુનું લોડિંગ પ્રાપ્ત કર્યું
પશ્ચિમ રેલવેના મુંબઈ મંડળે નરડાણામાં પ્રથમ ગતિ શક્તિ મલ્ટીમૉડલ કાર્ગો ટર્મિનલ ચાલુ કર્યું
ચોમાસા દરમિયાન પાટાઓ, નાળાઓ અને પુલોની કુશળ દેખરેખ માટે રિમોટ સંચાલિત ફ્લોટર કેમેરરાઅને પલ્સ રડાર આધારિત જળ સ્તર દેખરેખ સિસ્ટમને અપનાવવામાં આવી. આ ભારતીય રેલવેમાં પ્રથમ વાર કરવામાં આવ્યું
વર્ષ 2024 માં 8 એસ્કેલેટર અને 21 લિફ્ટ ચાલુ કરવામાં આવી
વાપી, વલસાડ, અંકલેશ્વર, ચાંદલોડિયા, રાજકોટ, રતલામ અન મહેસાણા સ્ટેશનો પર પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર ખોલવામાં આવ્યા. વહેલી તકે એવા અન્ય કેન્દ્રો ખોલવામાં આવશે
સીએસઆર પ્રવૃત્તિ હેઠળ પશ્ચિમ રેલવેના મુંબઈ ઉપનગરીય સેક્શન પર
22 સ્ટેશનો પર ઓટોમેટેડ એક્સટર્નલ ડિફાઈબ્રિલેટર (AED) આપવામાં આવ્યા
ચર્ચગેટથી વિરાર સુધી ‘નમસ્તે હેલ્થ એપ’ લોન્ચ કરવામાં આવી. આ યાત્રીઓને ચર્ચગેટ-વિરાર સેકશનના ઉપનગરીય સ્ટેશનો પર વિના મૂલ્યે તાત્કાલિક સલાહ મેળવવા4માં સક્ષમ બનાવે છે. આનો ઉદ્દેશ ગોલ્ડન ઑવર દરમિયાન મહત્વપૂર્ણ સલાહ આપવાનો છે.
પશ્ચિમ રેલવેએ 69મા રેલવે સપ્તાહ સમારંભમાં વર્ષ 2024 માટે ત્રણ કાર્યક્ષમતા શિલ્ડ અને આઠ વ્યક્તિગત અતિ વિશેષ રેલવે સેવા પુરસ્કાર જીતીને પોતાને ઝંડો ફરકાવ્યો
વર્ષ 2024 વાસ્તવમાં એક મહત્વપૂર્ણ વર્ષ રહ્યું છે, જેમાં પશ્ચિમ રેલવેએ કેટલાય ક્ષેત્રોમાં પ્રગિત કરી અને નવી ઊંચાઈઓને સ્પર્શ કર્યો છે. આ વર્ષ વિવિધ ક્ષેત્રોમાં કેટલાય નોંધપાત્ર વિકાસનું સાક્ષી રહ્યું છે.
ઈન્ફ્રાસ્ટ્રક્ચરલ વિકાસ
• પશ્ચિમ રેલવે વિવિધ મહત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચરલ પરિયોજનાઓની સાથે આગળ વધી રહ્યું છે અને તેનું લક્ષ્ય દૂરસુદૂરના સ્થળો સુધી પણ રેલવે કનેક્ટિવિટી ઉપલબ્ધ કરાવવાનું છે અને આ ક્ષેત્રોના લોકોને દેશના અન્ય ભાગોથી જોડવાનું છે.
• આ કેલેન્ડર વર્ષમાં પશ્ચિમ રેલવેએ 352 કિલોમીટરથી વધુ નવી લાઈનો, ગેજ રૂપાંતરણ અને દ્વિકરણના કામ શરૂ કર્યા છે, જ્યારે 238 રૂટ કિલોમીટરની વિદ્યુતીકરણ કરવામાં આવ્યું છે. પશ્ચિમ રેલવે બ્રોડગેજ માર્ગના 97% થી વધુનું વિદ્યુતીકરણ થઈ ગયું છે.
• આ કેલેન્ડર વર્ષમાં પશ્ચિમ રેલવેએ મહેસાણા-પાલનપુર દ્વિકરણ, ભુજ-નલિયાની સાથે-સાથે કલોલ-કડી-કટોસણ ગેજ રૂપાંતરણ પરિયોજના જેવી મહત્વાકાંક્ષી પરિયોજનાઓને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી.
• આ કેલેન્ડર વર્ષ દરમિયાન પૂર્ણ અને ચાલુ કરવામાં આવેલા અન્ય મુખ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરલ કામ આ મુજબ છે :
o રાઊ-ડૉ. આમ્બેડકરનગર સેક્શનનું દ્વિકરણ
o બરાયલાચોર્યાસી-ધૌસવાસ અને નીમચ-હર્કિયાલ સેક્શન, નીમચ-રતલામ દ્વિકરણનો ભાગ
o રાજકોટ-પડધરી સેક્શન, રાજકોટ-કાનાલુસ દ્વિકરણ પરિયોજનાનો ભાગ
o ડૉ.આમ્બેડકરનગર-પાતાળપાની સેક્શન અને ઓમકારેશ્વર-સાણંદ સેકશન, રતલામ-મઊ-ખંડવા-અકોલા ગેજ રૂપાંતરણ પરિયોજનાનો ભાગ
o આણંદ-ઓડ-ઠાસરા-સેવાલિયા સેક્શન અને વાવડીખુર્દ-ગોધરા સેકશન, આણંદ-ગોધરા દ્વિકરણ પરિયોજનાનો ભાગ
• ઈન્દોર-દાહોદ નવી લાઈન પરિયોજનામાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ ત્યારે પ્રાપ્ત થઈ જ્યારે તિહી-પીથમપુર સુરંગનું ખોદકામ પૂર્ણ થયું. 2967 મીટર લાંબી આ સુરંગ પરિયોજનામાં મોટો પડકાર હતો.
• મુંબઈ ઉપનગરીય સેક્શનમાં પશ્ચિમ રેલવેએ ખાર રોડ-ગોરેગાંવ-મલાડ-કાંદિવલી વચ્ચે છઠ્ઠી લાઈનું કામ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું. મલાડમાં નવું પ્લેટફોર્મ નંબર 1 શરૂ કરવામાં આવ્યું, સાથે જ પ્લેટફોર્મનું રિનંબરીંગ પણ કરવામાં આવ્યું.
• માનનીય વડાપ્રધાન દ્વારા ગાંધીધામ-આદિપુર રેલવે લાઈનને ચારગણી કરવાનો અને સામાખિયાળી-ગાંધીધામ રેલવે લાઈન ચારગણી કરવાનો શિલાન્યાસ કરવામાં આવ્યો.
• આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ રેલવે મંત્રાલયની 6 (છ) પરિયોજનાઓને મંજૂરી આપી, જેની કુલ અંદાજિત પડતર 12,343 કરોડ રૂપિયા (લગભગ) છે. આ 6 પરિયોજનાઓમાંથી લૂણી-સમદડી-ભીલડી અને અજમેર-ચંદેરીયા પશ્ચિમ રેલવેના અધિકારક્ષેત્રમાં આવે છે. આનાથી ભારતીય રેલવેના સૌથી વ્યસ્ત રહેતા સેક્શનમાંથી એક ઉપર ભીડભાડ ઓછી થશે.
• સંચાલન વિઘ્નો અને અડચણોને દૂર કરવા સંબંધિત મુખ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરલ કામોએ ટ્રેન સંચાલનમાં ગતિશિલતા અને સુરક્ષામાં વધારો કર્યો છે.
મુસાફરોની આરામમાં વધારો
• માનનીય વડાપ્રધાને ભુજ અને અમદાવાદ વચ્ચે પશ્ચિમ રેલવેની પ્રથમ નમો ભારત રેપિડ રેલના ઉદ્ઘાટનને લીલી ઝંડી બતાવી. બિનઅનામત કોચ સાથે આ સ્વદેશી રીતે વિકસિત ટ્રેન સંપૂર્ણપણે એર-કન્ડિશન્ડ છે અને આધુનિક મુસાફરીનો અનુભવ આપે છે.
• અમદાવાદ અને મુંબઈ વચ્ચે બીજી વંદે ભારત એક્સપ્રેસ શરૂ કરવામાં આવી
• અમદાવાદ-જામનગર વંદે ભારત એક્સપ્રેસ ઓખા સુધી લંબાવવામાં આવી
• સુરત, સોમનાથ, સાબરમતી, ન્યુ ભુજ અને અમદાવાદ સ્ટેશનોને વિશ્વ કક્ષાના સ્ટેશનોમાં પુનઃવિકાસ કરવાનું કામ ઝડપી ચાલુ છે અને ટૂંક સમયમાં તે વાસ્તવિકતામાં પરિવર્તિત થશે. આ ઉપરાંત ઘણા સ્ટેશનોને અમૃત સ્ટેશનો તરીકે પણ વિકસાવવામાં આવી રહ્યા છે.
નવી સેવાઓ શરૂ કરી:
• ટ્રેન નં. 10115/10116 બાંદ્રા ટર્મિનસ – મડગાંવ એક્સપ્રેસ [દ્વિ-સાપ્તાહિક] આ ટ્રેનની શરૂઆત સાથે મુંબઈના પશ્ચિમ ઉપનગરોથી કોંકણ સુધી ટ્રેનો શરૂ કરવાની લાંબા સમયથી ચાલતી માંગ પૂરી થઈ છે.
• ટ્રેન નંબર 22543/22544 બાંદ્રા ટર્મિનસ-લાલકુઆન સુપરફાસ્ટ એક્સપ્રેસ [સાપ્તાહિક]
• મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવેએ આ વર્ષે 12 લોકલ ટ્રેન સેવાઓ શરૂ કરી, જેમાં મુંબઈ ઉપનગરીય વિભાગ પર સેવાઓની સંખ્યા 1394 થી વધારીને 1406 થઈ.
• એસી લોકલ સેવાઓએ પણ સદીનો આંકડો પાર કર્યો, 96 થી વધીને 109 થયો, જ્યારે 15 કોચવાળી સેવાઓની સંખ્યા વધીને 209 થઈ.
• “ઈટ રાઈટ ઈન્ડિયા” પહેલ હેઠળ, આજ સુધીમાં પશ્ચિમ રેલવેના 34 સ્ટેશનો અને 10 જગ્યાઓ (હોસ્પિટલો, સ્ટાફ કેન્ટીન, રનિંગ રૂમ સહિત)ને FSSAI દ્વારા “ઈટ રાઈટ” માન્યતા આપવામાં આવી છે.
• મુંબઈમાં પશ્ચિમ રેલવે નું પ્રથમ ‘રેસ્ટોરન્ટ ઓન વ્હીલ્સ’ અંધેરી રેલ્વે સ્ટેશન પર અને બીજું બોરીવલી સ્ટેશન પર ખોલવામાં આવ્યું હતું. આ ઉપરાંત રતલામ રેલવે સ્ટેશન પર ‘રેસ્ટોરન્ટ ઓન વ્હીલ્સ’ પણ ખોલવામાં આવી હતી.
• રેલવે સ્ટેશનો પર પણ સસ્તી અને ગુણવત્તાયુક્ત જેનરિક દવાઓ પૂરી પાડવા માટે, પશ્ચિમ રેલવેએ વાપી, વલસાડ, અંકલેશ્વર, ચાંદલોડિયા, રાજકોટ, રતલામ અને મહેસાણા સ્ટેશનો પર પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્રો ખોલ્યા. ટૂંક સમયમાં આવા વધુ કેન્દ્રો ખોલવામાં આવશે.
હંગરી ફોર કાર્ગો
• પશ્ચિમ રેલવેએ જાન્યુઆરીથી ડિસેમ્બર 2024ના સમયગાળા દરમિયાન 103 મિલિયન ટનથી વધુનું નૂર લોડિંગ હાંસલ કર્યું હતું.
• માનનીય વડાપ્રધાન દ્વારા ઉધના, અસારવા, નરોડા, રાધનપુર, ધૌસવાસ અને નીમચ ખાતે છ (6) માલના શેડ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યા હતા.
• પશ્ચિમ રેલવેના મુંબઈ વિભાગે નરડાણા ખાતે પ્રથમ ગતિ શક્તિ મલ્ટિમોડલ કાર્ગો ટર્મિનલ શરૂ કર્યું.
સલામતી: અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા
• વર્ષ 2024માં સ્ટેશનો પર 21 લિફ્ટ અને 8 એસ્કેલેટર પણ કાર્યરત કરવામાં આવ્યા હતા, જેમાં મુંબઈ ઉપનગરીય વિભાગમાં 8 લિફ્ટ અને 7 એસ્કેલેટરનો સમાવેશ થાય છે.
• પશ્ચિમ રેલ્વે સ્વદેશી રીતે વિકસિત ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન (ATP) ટેક્નોલોજી ‘કવચ’ના સ્થાપનામાં સતત પ્રગતિ કરી રહ્યું છે, જે ટ્રેન સુરક્ષા અને ઓપરેશનલ કાર્યક્ષમતામાં નોંધપાત્ર રીતે વધારો કરે છે. કવચ ટેકનોલોજી 789 કિલોમીટર અને 90 લોકોમાં લાગુ કરવામાં આવી રહી છે.
• આ કેલેન્ડર વર્ષમાં નવેમ્બર 2024 સુધી, પશ્ચિમ રેલવે એ લગભગ 502 કિમીના લોકો ટ્રાયલ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે અને 81 લોકો ને કવચ સિસ્ટમથી સજ્જ કર્યા છે.
ચોમાસા સંબંધિત તૈયારીઓ
• પશ્ચિમ રેલ્વેએ ટ્રેક પર ભારે વરસાદ દરમિયાન પાટા પર પૂરને રોકવા અને ટ્રેનોના સરળ સંચાલનની સુવિધા માટે મિશન મોડ પર ઉપનગરીય વિભાગમાં ચોમાસા સંબંધિત વિવિધ મહત્વપૂર્ણ કાર્યોનું કાળજીપૂર્વક આયોજન અને અમલીકરણ કર્યું.
• આ વર્ષે પશ્ચિમ રેલવે એ પુલ અને પુલોની ફોટો કેપ્ચર કરવા માટે રિમોટ ઓપરેટેડ ફ્લોટર કેમેરા લગાવ્યા છે, જ્યાં સુધી મેન્યુઅલ રૂપે પહુંચવું શક્ય નથી. ભારતીય રેલવે આ પ્રથમ વખત કરવામાં આવ્યું છે. આ રિમોટ ઓપરેટેડ કેમેરામાં ઇનબિલ્ટ લાઇટિંગ સિસ્ટમ છે, જે અંધારામાં પણ ભૂગર્ભ કલ્વર્ટની સ્પષ્ટ છબીઓ આપી શકે છે. આ ફોટોગ્રાફ્સના આધારે આ પુલની સફાઈ કરવામાં આવી હતી.
• પશ્ચિમ રેલવે એ સંવેદનશીલ પુલો પર પલ્સ રડાર આધારિત જળ સ્તરની દેખરેખ સિસ્ટમ પણ સ્થાપિત કરી છે. ઈન્ટેલિજન્ટ ફિલ્ડ ડિવાઈસ સાથે પાણી લેવલ મોનિટરિંગ ઉપકરણ દર 15 મિનિટે GPRS મારફતે પાણી લેવલ ના આંકડાઓ એક સેન્ટ્રલ સર્વર પર મોકલે છે. તેની મદદથી ગમે ત્યાંથી નદીના પાણીના સ્તરને સતત મોનિટર કરી શકાય છે.
• પશ્ચિમ રેલવેના મુંબઈ સેન્ટ્રલ ડિવિઝનમાં કુલ 17 આવા ઉપકરણો લગાવવામાં આવ્યા છે, જેમાં મુંબઈ ઉપનગરીય વિભાગ પર 04 ઉપકરણોનો સમાવેશ થાય છે, એટલે કે માહિમ અને બાંદ્રા વચ્ચે બ્રિજ નંબર 20, બોરીવલી અને દહિસર વચ્ચે બ્રિજ નંબર 66, દહિસર અને મીરા રોડ વચ્ચે બ્રિજ નંબર 72 અને ભાયંદર અને નાયગાંવ વચ્ચે બ્રિજ નંબર 75.
• આ સતત પ્રયત્નોને લીધે, પશ્ચિમ રેલવે એ ચોમાસા દરમિયાન ભારે વરસાદ છતાં સામાન્ય અને વિક્ષેપ મુક્ત સેવાઓ સાથે અવિરત જોડાણ સુનિશ્ચિત કર્યું.
અમારા સુરક્ષા પગલાંને મજબૂત બનાવવું
• ઓપરેશન જીવન રક્ષા હેઠળ, પશ્ચિમ રેલ્વેના RPF કર્મચારીઓની સતર્કતા અને હિંમતભર્યા પગલાંને કારણે 32 અમૂલ્ય જીવો બચાવવામાં આવ્યા.
• ઓપરેશન નન્હે ફરિશતે હેઠળ આ વર્ષે 790 ભાગેડુ/ગુમ થયેલા બાળકોને બચાવી લેવામાં આવ્યા અને તેમના પરિવારો સાથે પુનઃમિલન કરવામાં આવ્યા.
• ઓપરેશન અમાનત હેઠળ વર્ષ 2024 દરમિયાન, RPF એ મુસાફરોના છૂટી ગયેલ સામાનને પુનઃપ્રાપ્ત કર્યો, જેની કિંમત રૂ. 9 કરોડથી વધુ હતી અને યોગ્ય ચકાસણી કર્યા પછી તેમને પરત કર્યા.
તબીબી ક્ષેત્રે સિદ્ધિઓ
• પશ્ચિમ રેલવેની જગજીવન રામ હોસ્પિટલ, મુંબઈને હોસ્પિટલો માટે નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર હોસ્પિટલ્સ (NABH) દ્વારા માન્યતા આપવામાં આવી છે, જે “જગજીવન રામ હોસ્પિટલને આ પ્રતિષ્ઠિત ગુણવત્તા નિયંત્રણ માન્યતા પ્રાપ્ત કરનાર પ્રથમ ભારતીય રેલ્વે હોસ્પિટલ” બનાવે છે. NABH માન્યતા એ NABH ના ઉચ્ચતમ ગુણવત્તાના ધોરણોને અનુરૂપ JRH માં પૂરી પાડવામાં આવેલ ઉચ્ચ સ્તરની દર્દી સંભાળ અને સલામતીનું સૂચક છે.
• ડિજિટલ સબટ્રેક્શન એન્જીયોગ્રાફી (DSA) કેથ લેબની સ્થાપના જગજીવન રામ હોસ્પિટલમાં કરવામાં આવી હતી. આ અત્યાધુનિક સુવિધા લાંબા ગાળે રેલવે લાભાર્થીઓને જીવનરક્ષક ગુણવત્તાયુક્ત સંભાળ પૂરી પાડશે.
• CSR પ્રવૃત્તિ તરીકે પશ્ચિમ રેલવેના મુંબઈ ઉપનગરીય વિભાગ પર 22 સ્ટેશનો પર ઑટોમેટેડ એક્સટર્નલ ડિફિબ્રિલેટર (AED) પ્રદાન કરવામાં આવ્યા. આ સ્ટેશનોના તમામ સંબંધિત કર્મચારીઓને CPR તાલીમ આપવામાં આવી હતી. પશ્ચિમ રેલ્વેના હેડક્વાર્ટર ઓફિસમાં પણ AED સ્થાપિત કરવામાં આવ્ય છે.
• ચર્ચગેટથી વિરાર સુધીના પશ્ચિમ રેલવેના મુસાફરોના લાભ માટે તાજેતરમાં ‘નમસ્તે હેલ્થ એપ’લોન્ચ કરવામાં આવી હતી. હવે, મુસાફરો આ વિભાગના કોઈપણ ઉપનગરીય સ્ટેશન પર આ એપ્લિકેશન દ્વારા મફત ઇમરજન્સી એડવાઇઝરી મેળવી શકે છે. તેનો હેતુ કટોકટીની સ્થિતિમાં ગોલ્ડન ઓવર દરમિયાન મહત્વપૂર્ણ સલાહ આપવાનો છે.
ડિજિટલ પહેલ
• કેશલેસ વ્યવહારોને પ્રોત્સાહન આપવા પશ્ચિમ રેલવેના મુંબઈ વિભાગના 412 UTS અને 95 PRS કાઉન્ટરો પર ડાયનેમિક QR કોડ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. આનાથી ટિકિટ ખરીદવાની પ્રક્રિયા ઘણી હદ સુધી સરળ બની છે અને મુસાફરો ડિજિટલ ચુકવણી પદ્ધતિઓનો ઉપયોગ કરીને ટિકિટ ખરીદવા સક્ષમ બન્યા છે.
• ડિજિટલ ઈન્ડિયા ઝુંબેશને બીજા મોટા પ્રોત્સાહન આપતા, “UTSAV” (UTS App Vapara) લોન્ચ કરવામાં આવી, જેનો ઉદ્દેશ્ય મુસાફરોની વચ્ચે UTS એપ્લિકેશનના ફાયદાઓ વિશે જાગૃતિ વધારવાનો છે, જે ટિકિટના ડિજિટલ બુકિંગની સુવિધા આપે છે.
સ્વચ્છતા અને હરિયાળી પહેલ
• વર્ષ 2024 દરમિયાન, પશ્ચિમ રેલ્વે પર 13 પ્રાકૃતિક વોટર કૂલર સ્થાપિત અને ચાલુ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં સમગ્ર પશ્ચિમ રેલવેમાં કુલ 74 પ્રાકૃતિક વોટર કૂલર આપવામાં આવ્યા છે.
• ભારતીય રેલવે તેની તમામ વીજ જરૂરિયાતો માટે 100% આત્મનિર્ભર બનવા અને ઉદ્દેશ્યને હાંસલ કરવા અને રાષ્ટ્રીય સૌર ઉર્જા લક્ષ્યાંકોમાં યોગદાન આપવાના માટે, 2024 માં 1.48 મેગાવોટ ક્ષમતાના રૂફટોપ સોલર પ્લાન્ટ્સ સ્થાપિત કરવામાં આવ્યા હતા. આ પ્લાન્ટ ચાલુ થઈ ગયા છે અને ગ્રીડ સાથે જોડાયેલા છે, જેના પરિણામે રૂ. 7 કરોડની બચત થઈ છે.
પુરસ્કારો અને સન્માન
• પશ્ચિમ રેલ્વેએ 69મો રેલવે સપ્તાહની ઉજવણીમાં વર્ષ 2024 માટે ત્રણ કાર્યક્ષમતા શિલ્ડ અને આઠ વ્યક્તિગત વિશિષ્ટ રેલ્વે સેવા પુરસ્કારો જીત્યા.
• પશ્ચિમ રેલવેને લેવલ ક્રોસિંગ અને રોડ ઓવર/અંડર બ્રિજ સુરક્ષા કામ, નોન ફેર રેવન્યુ (NFR) શિલ્ડ અને સિવિલ એન્જિનિયરિંગ શિલ્ડના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી માટે પ્રતિષ્ઠિત અતિ વિશિષ્ટ રેલ સેવા એવોર્ડ શિલ્ડ પ્રાપ્ત થઈ છે.
• તેમની પ્રશંસનીય કામગીરી માટે આઠ અધિકારીઓ/કર્મચારીઓને વ્યક્તિગત રીતે “અતિ વિશિષ્ઠ રેલ્વે સેવા પુરસ્કાર” પ્રાપ્ત થયો.
• પશ્ચિમ રેલવે એ ભારત સરકારના પાવર મંત્રાલય, બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી (BEE) દ્વારા આયોજિત પ્રતિષ્ઠિત નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડ (NECA) 2024માં તેની જીતનો દોર ચાલુ રાખ્યો. પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનને ‘ઓટોમેશન ઑફ અંડરગિયર લાઇટ્સ’ પ્રોજેક્ટ માટે પરિવહન ક્ષેત્ર માં માન્યતાનું પ્રમાણપત્ર મળ્યું.
• વટવા શેડે માર્ચ 2024માં પટિયાલા લોકમોટિવ ફેક્ટરીમાં આયોજિત ઓલ ઈન્ડિયા કેબ અપગ્રેડેશન કોમ્પિટિશનમાં પ્રથમ રેન્ક મેળવીને બેન્ચમાર્ક સ્થાપિત કર્યો.
રમતગમતને પ્રોત્સાહન
• પશ્ચિમ રેલવેના પ્રતિભાશાળી ખેલાડીઓએ હંમેશા આપણા દેશ અને ભારતીય રેલવેને ગૌરવ અપાવ્યું છે.
• પશ્ચિમ રેલવેના બે ખેલાડીઓ, સુશ્રી. અંતિમ પંઘાલ અને સુશ્રી પારુલ ચૌધરી પેરિસ ઓલિમ્પિક ગેમ્સ 2024માં ભાગ લેનારી ભારતીય ટીમનો ભાગ હતા.
• સુશ્રી મારિયાના કુજુર ભારતીય મહિલા હોકી ટીમનો ભાગ હતી જેણે મસ્કતમાં મહિલા હોકી વર્લ્ડ કપ 2024માં સિલ્વર મેડલ જીત્યો હતો.
• શ્રી પી. સુરેશ અને સુશ્રી રશ્મિ વાય. સુવર્ણ ચંદ્રક જીત્યા, જ્યારે સુશ્રી સમૃદ્ધિ દેવલેકરે હોંગકોંગમાં યોજાયેલી એશિયન પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં પોતપોતાની કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો.


