Headlines

પાલિતાણા નું નોઘણવદર ગામને નંદનવન સરીખું બનાવવા આયોજન

કેન્દ્રીય મંત્રી ડો મનસુખભાઇ માંડવીયા ની પેરણાથી નોઘણવદર ગામના વતની સર્વે જ્ઞાતિની એક મિટિંગ નુ સુરત ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમા આવનારા દિવસોમાં નોઘણવદર ગામમાં સ્વચ્છતા અભિયાન સાથે ગામને હરિયાળુ બનાવવા તમામ ગ્રામજનો ને ખંભે ખંભો મિલાવીને ને કામ કરવા આયોજન થયું છે. ટુક સમયમાં આયોજન કરવામાં આવશે જેમા આગામી દિવસોમાં સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. ખાસ બાવળીયા નો નીકાલ, અમ્રુત સરોવર સાથે વૃક્ષારોપણ જેવા કાર્યક્રમો યોજાશે. તમામ ગ્રામજનો સાથે મળીને આ સદકાર્ય કરશે.
આ કાર્યક્રમ ને સફળ બનાવવા સુરત નોઘણવદર સાથે નોઘણવદર ગામમા ચાલતા તમામ મંડળો પણ જોડાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *