રાજકોટ
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજયના નાગરીકોના ગ્રામ્યકક્ષા કે તાલુકાકક્ષાના પ્રશ્નોનો અસરકારક અને ન્યાયીક રીતે ઉકેલ થાય, તે માટે તાલુકાકક્ષાએ સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ અમલી બનાવ્યો છે. જે અંતર્ગત વિંછીયા તાલુકા માટે તાલુકાકક્ષાના ગ્રામ્ય વિસ્તાર તથા શહેરી વિસ્તારના પ્રશ્નો માટે આગામી તા.૨૨ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ સવારે ૧૧ કલાકે વિંછીયામાં મામલતદાર કચેરી ખાતે મામલતદારના અધ્યક્ષસ્થાને તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવશે, તેમ મામલતદાર, વિંછીયાની યાદીમાં જણાવાયું છે.