Saturday June 21, 2025

રાજકોટ શહેરની સરકારી કચેરીઓમાં બિનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ

રાજકોટ
રાજકોટ શહેરની સરકારી કચેરીઓમાં બિનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ પ્રતિબંધ ફરમાવ્યો છે.
શહેર પોલિસ કમિશનરેટ વિસ્તારમાં આવેલી સરકારી કચેરીઓ જેવી કે પોલીસ કમિશનરની કચેરી, જિલ્લા કલેક્ટરની કચેરી, જિલ્લા ન્યાયાલયની કચેરી, જિલ્લા પંચાયત કચેરી, બહુમાળી ભવનની કચેરીઓ, નાયબ પોલીસ મહાનિરીક્ષકની કચેરી, પોલીસ અધિક્ષકશ્રી રાજકોટ ગ્રામ્યની કચેરી, પંડિત દિનદયાળ સિવિલ હોસ્પિટલ, રાજકોટ શહેર મહાનગરપાલિકા હેઠળની કચેરીઓ, ઝોન ઓફિસો, પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી, પ્રાંત અધિકારીની કચેરીઓ, શહેર અને તાલુકા મામલતદારની કચેરીઓમાં દરરોજ મોટા પ્રમાણમાં જાહેરજનતા પોતાના કામ માટે આવતી હોય છે. આ તમામ કચેરીઓમાં સરકારી ફરજ પર કે કામ માટે આવતા નાગરિકો સિવાયના અનઅધિકૃત ઈસમો કે ઈસમોની ટોળીઓ, જનતાને ગેરમાર્ગે દોરી જનારી પ્રવૃત્તિઓ કરતા બિનઅધિકૃત ઈસમોને સરકારી કચેરીઓમાં પ્રવેશ પર પ્રતિબંધ છે. આ આદેશો ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૫ સુધી અમલમાં રહેશે. જેનો ભંગ કરનાર દંડ અથવા સજાને પાત્ર ઠરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top