ઓશન બારૈયા – જસદણ
ભારતીય જનતા પાર્ટી દ્વારા છેલ્લા ઘણા સમયથી કોળી સમાજની અવગણના થઈ રહી છે અને કોળી હિતોને સાઈડમાં મૂકવામાં આવી રહ્યા છે તેમજ અનેક વખત કોળી નેતાઓને અપમાનિત અવસ્થામાં પણ મૂકવામાં આવી રહ્યા છે તેવા સંજોગોમાં સમગ્ર રાજ્યમાં વિવિધ કોળી આગેવાનો દ્વારા એક જાગૃતિ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે એવા સંજોગોમાં રાજકોટ જિલ્લામાં જસદણ ખાતે વિછીયા રોડ બાયપાસ સર્કલ નજીક ઇન્ડિયન સ્પાઇસ હોટલ ખાતે તાપ. 5 જાન્યુઆરી, રવિવારે સવારે 9:30 કલાકે કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાન અને પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશની વિશેષ ઉપસ્થિતિમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.
આ બેઠકના અનુસંધાને કોંગ્રેસ ૫ક્ષની વિચારધારા સાથે જોડાયેલા રાજકોટ શહેર અને જિ૯લાના સમસ્ત કોળી સમાજના આગેવાનો અને કાર્યકર્તાઓને જણાવાયું છે કે, સાંપ્રત સમયમાં સમસ્ત કોળી સમાજની સામાજિક તથા રાજકીય ૫રિસ્થિતિ સંદર્ભે કોંગ્રેસ ૫ક્ષના વરિષ્ઠ આગેવાન અને પૂર્વ ધારાસભ્ય પુંજાભાઇ વંશની વિશેષ ઉ૫સ્થિતિમાં એક બેઠકનું આયોજન કરવામાં આવેલ છે. આ બેઠકમાં સમસ્ત કોળી સમાજના તમામ આગેવાનો અને કાર્યકર્તાઓને ખાસ ઉ૫સ્થિત રહેશે. પૂર્વ ધારાસભ્ય અને કોળી સમાજના દિગ્ગજ આગેવાન મનુભાઈ ચાવડાએ જણાવ્યું કે તેઓ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહેવાના છેકાર્યક્રમ પૂર્ણ થયે એક વિરાટ ભોજન સમારંભ પણ યોજાશે તેમ જણાવાયું છે.
