જામ ખંભાળિયા, તા. ૦૭-૦૧-૨૦૨૫
દ્વારકા ઓખા માર્ગ પર દ્વારકાથી આશરે વીશ કિલોમીટર દુર મીઠાપુર પાસે આવેલ ભીમરાણાના પુલ પાસે આજરોજ બપોરના સમયે એક કાર તથા સામેથી આવી રહેલા એક ટ્રકની વચ્ચે સર્જાયેલી ટક્કરમાં કાર ચાલકનું ધટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે કારની અંદર બેઠેલા અન્ય ત્રણ લોકોને ઇજા થવા પામી હતી. આ બનાવ અંગેની જાણ ઈમરજન્સી 108 ને કરવામાં આવતા ઘવાયેલાઓને આ એમ્બ્યુલન્સ મારફતે મીઠાપુરની ટાટા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માતના આ બનાવ અંગે પોલીસે મૃતકનું હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવા સહિતની જરૂરી કાર્યવાહી કરી હતી.
(ફોટો:- કુંજન રાડિયા)


