જામ ખંભાળિયા
દેવભૂમિ દ્વારકા જિલ્લા તિજોરી કચેરી તેમજ પેટા તિજોરીઓ મારફત પેન્શન મેળવતા પેન્શનરોને નાણાકીય વર્ષ 2025-26માં પેન્શનની આવક કરપાત્ર હોય તેવા પેન્શનરોએ તેમની રોકાણની વિગતો તેમજ પેન્શનમાંથી આવકવેરાની જૂની પધ્ધતિ અથવા નવી પધ્ધતિ મુજબ આવકવેરો માસિક પેન્શનમાંથી કપાત કરાવવા બાંહેધરી પત્ર 15 જાન્યુઆરી સુધીમાં જમાં કરાવી જવાના રહેશે. નિયત સમયમર્યાદામાં પેન્શનર દ્રારા કોઇ જાણ ન કરાતા નવી પધ્ધતિ મુજબનો વિકલ્પ પસંદ કરેલ છે, તેમ માનીને ઇન્કમટેક્ષની આકારણી કરવામાં આવશે.
આ રોકાણ નીલ ગણીને સરખા ભાગે પેન્શનમાંથી આવકવેરાની માસિક કપાત કરવામાં આવશે તેમ જિલ્લા તિજોરી અધિકારીની યાદીમાં જણાવાયું છે.