જામ ખંભાળિયા, તા. ૧૨-૦૧-૨૦૨૫
ખંભાળિયા શહેરમાં મકરસંક્રાંતિને અનુલક્ષીને હાલ ઉમંગ ભર્યા માહોલ વચ્ચે બજારોમાં રંગબેરંગી પતંગો જોવા મળી રહી છે. ત્યારે છેલ્લા બે-ત્રણ દિવસ આકાશમાં પણ મોટી સંખ્યામાં પતંગો જોવા મળે છે. પતંગની દોરીથી નિર્દોષ પક્ષીઓ ન ઘવાય તે માટેની સાવચેતી કેળવવા લોકોને સંસ્થાઓ તેમજ સરકાર દ્વારા અનુરોધ કરવામાં આવી રહ્યો છે. આમાં કોઈ પણ રીતે ઘવાયેલા પક્ષીને 1962 એમ્બ્યુલન્સ મારફતે સારવાર આપવામાં આવે છે.
ત્યારે ખંભાળિયામાં પતંગની દોરીના કારણે એક કબૂતર ઈજાગ્રસ્ત બનતા 1962 ના એનિમલ ડોક્ટર દ્વારા ઘવાયેલા આ કબૂતરને આઠ જેટલા ટાંકા લઈને જરૂરી સારવાર આપવામાં આવી હતી.
(ફોટો:- કુંજન રાડિયા)
