જામ ખંભાળિયા
ઉતરાયણ પર્વને અનુલક્ષીને કોઈ ગંભીર વીજ દુર્ઘટના ન બને તે હેતુથી પીજીવીસીએલ તંત્ર દ્વારા મંગળવાર તારીખ 14 મી જાન્યુઆરીના રોજ ખંભાળિયા સબ સ્ટેશનમાંથી નીકળતા તમામ અર્બન તથા જ્યોતિગ્રામ ફીડરોનો વીજ પુરવઠો સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી બંધ રહેનાર હોવાનું વીજસૂત્રોની એક યાદીમાં જણાવાયું છે.