ગોરધનભાઈ ઝડફિયાના અધ્યક્ષ સ્થાને યોજાનારા અધિવેશનમાં પત્રકારો મોટી સંખ્યામાં રહેશે ઉપસ્થિત
ઓશન બારૈયા – વડોદરા
વડોદરામાં 19 જાન્યુઆરી,રવિવારે, સવારે 10/00 થી 1/00 દરમિયાન વડોદરા જિલ્લા, તાલુકા,નગર ના નાના – મોટા તમામ પત્રકારોનું વડોદરા જિલ્લા અધિવેશન એમ એસ યુનિવર્સિટીના સી.સી મહેતા હોલમાં યોજાવા જઈ રહ્યું છે.
પત્રકાર એકતા પરિષદ 33 જિલ્લા માં 34 કારોબારી,પ્રદેશ કારોબારી,12 ઝોન,252 તાલુકા કારોબારી,સ્ટેટ મહિલા વિંગ,લીગલ વિંગ અને 10000 પત્રકારો સાથેનું સંગઠન છે,જે ગુજરાત નું સૌથી મોટું,ભારતના કોઈપણ રાજ્ય થી મોટું અને વિશ્વમાં સૌથી વધુ સભ્ય સંખ્યા ધરાવતું સંગઠન છે.
આ અધિવેશનના અધ્યક્ષ સ્થાને ગોરધનભાઈ ઝડફીયા ઉપસ્થિત રહેવાના છે,અનેક સામાજિક સંસ્થાઓ,સેવાભાવી સંગઠનોના વડા,પણ પધારશે. આ અધિવેશનમાં જિલ્લાના મુખ્ય અધિકારીઓ, ધારાસભ્યો, સાંસદ ,મેયર, પ્રમુખ જિલ્લા પંચાયત, રાજસ્થ મહેમાનો પણ ખાસ આમંત્રિત કરાયા છે.
સાત વર્ષ થી સતત પ્રગતિ કરતું, પત્રકારોના પ્રશ્નો માટે લડતું, સમસ્યાઓ સામે બાથ ભીડતું આ સંગઠન 31 જિલ્લા માં અધિવેશનો પૂર્ણ કરી વડોદરા જિલ્લામાં અધિવેશનનું આયોજન કરેલ હોય ત્યારે બીજા ને મોટા કરવા સતત લડતા પત્રકારો પોતાના સંગઠન ને મજબૂત કરવા મોટી સંખ્યામાં ઉમટી પડવા આહવાન કરવામાં આવેલ છે.
આ કાર્યક્રમ માં આમંત્રિત મહેમાનો નું સન્માન,શ્રેષ્ઠીઓ નું સન્માન,સાથે ઉપસ્થિત રહેનાર તમામ નાના મોટા પત્રકારો નું પણ સ્મૃતિ ભેટ સાથે સન્માન કરવામાં આવશે..કાર્યક્રમ ના અંતે સમૂહ ભોજન કરી,”અન્ન ભેળાં એના મન ભેળાં” કહેવત ને સાર્થક કરાશે, તેમ પત્રકાર એકતા પરિષદના પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડીયાએ જણાવ્યું છે.