Saturday June 21, 2025

આર્થિક સંકડામણથી વ્યથિત દ્વારકાના યુવાને જિંદગી ટૂંકાવી

કુંજન રાડિયા, જામ ખંભાળિયા
દ્વારકામાં નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા યુસુફભાઈ હાજીભાઈ ચૌહાણ નામના 36 વર્ષના મુસ્લિમ યુવાને કામ ધંધા માટે એક વાહન લીધું હતું. આ વાહનનો તેમજ અન્ય બાબતના બેંક લોનના હપ્તા તેમને ચાલુ હોય, અને તેમનો ધંધો સારી રીતે ચાલતો ન હોવાથી તેમના પર ભરવાના હપ્તા વધી ગયા હતા. આ રીતે સર્જાયેલી આર્થિક સંકળામણથી વ્યથિત હાલતમાં તેમણે ગઈકાલે મંગળવારે પોતાના રહેણાંક મકાનમાં પોતાના હાથે ગળાફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પત્ની સલમાબેન યુસુફભાઈ ચૌહાણએ દ્વારકા પોલીસને કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top