Saturday June 21, 2025

તળાજા: મોટાઘાણા શાળાના બાળકોનો યોજાયો દક્ષિણ ગુજરાતનો પ્રવાસ

હરેશ જોષી – તળાજા

પ્રવાસ પર્યટન એ શિક્ષણનો એક ભાગ છે, ત્યારે તળાજા તાલુકાની મોટાઘાણા પ્રાથમિક શાળાના ધોરણ 6 થી 8 ના બાળકોનો ત્રણ દિવસનો દક્ષિણ ગુજરાતનો પ્રવાસ યોજાયો. જેમાં
બાળકોએ સ્ટેચ્યુ ઓફ યુનિટી,પોઇચા નીલકંઠધામ,
, વડોદરા કમાટી બાગ- મ્યુઝિયમ ગેલેરી ,આજવા ફનવર્લ્ડ
પાવાગઢ મહાકાળી માતાનું મંદિર -ડુંગર પર્વતારોહણ , પૂર્ણિમાના દર્શન,ટુવા ટીંબા ગરમ પાણીના કુંડ, ગલતેશ્વર મહાદેવનું પ્રાચીન 12 મી સદીનું મંદિર જે મહી નદીના કાંઠે આવેલ ,ડાકોરમાં પૂર્ણિમાના રણછોડરાય દર્શન આવી રીતે ત્રણ દિવસમાં પ્રવાસ આયોજિત થયેલ.પ્રવાસને સફળ બનાવવા માટે શાળાના આચાર્યશ્રી તથા શિક્ષકોએ જહેમત ઉઠાવેલ. પ્રવાસ દરમિયાન બાળકોએ ઐતિહાસિક, ધાર્મિક, મનોરંજક સ્થળોની મુલાકાત લીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top