ભાવનગર જિલ્લાના ખેડૂતોએ કરેલ આંદોલનને મળેલી જબરદસ્ત સફળતા
ભાવનગર
ભાવનગરન માર્કેટીંગ યાર્ડમાં ગઈ કાલે યોજેલા સંમેલનમાં મુખ્ય મુદ્દાઓ ઉપર ચર્ચા થઈ તેમાં ભાવનગર માર્કેટીગ યાર્ડમાં ડુંગળીના બારદાને ૫૦૦ ગ્રામ કાપવાની પ્રથા નિયમની વિરુદ્ધ છે તે બાબતે ભરતસિંહે ડુંગળીની હરાજી બંધ કરાવી અને સ્થળ પર ઝાકાઝીક બોલી અંતે ત્રણ કલાક પછી ૫૦૦ ગ્રામ કાપવાની પ્રથા યાર્ડના ચેરમેને સેક્રેટરીને સ્થળ પર મેકલી જાહેરાત કરી તેથી ભાવનગર માર્કેટગ યાર્ડમાં ડુંગળી લાવતા ખેડુતોને રોજના ઓછામાં ઓછા પાચં લાખ થી પંદર લાખ રૂપિયાનો ફાયદો થશે તેથી ખેડુતોમા ખુશી છવાઈ હતી. છતાં અમુક લૂંટબાઝ વેપારીઓના ટાયાઓ અને ભાજપના ભક્તો નકલી ખેડુત બની હવનમાં હાડકાં નાખવાના પ્રયાસો કર્યા તેને ખેડુતો અને આગેવાનોએ વાઇટ કોલરોના ચમચા ગણી વખોડી કાઢ્યા હતા અને મચક આપી નહિ તે મહત્વનું ગણાયું તેમ છતાં ખેડુતોની કોઇપણ જણસીમા ૫૦૦ કે એક કિલો કાપવાની પ્રથા શરૂ કરાશે તો ભાવનગર માર્કેટીંગ યાર્ડમાં આંદોલનો કરી બીજા અનેક ચાલતાં ભષ્ટ્રાચારની પોલ ખોલાશે તેથી ડુગંળીના બારણાને ૫૦૦ ગ્રામ કાપવાની પ્રથા યુધ્ધના ધોરણે બંધ કરાવવાનો કડક આદેશ કરો તેમજ ખેડુતો ડુંગળી કતાન કે પ્લાસ્ટિકની થેલીમાં લાવે તે માન્ય રહેશે અમુક વેપારીઓ કે યાર્ડ તરફથી પ્લાસ્ટિકની થેલી હશે તો ભાવ ઓછા આપશું અને હરાજી નહિ થાય તેવી ગુપ્ત ધમકી આપે છે તે બંધ કરાવો તેમજ ભરતસિંહે યાર્ડોમા ચાલતી ગોલમાલોમા યાર્ડના નેતાઓ અને બાબુઓની મીલીભગત હોવાનો જાહેરમા ખુલ્લો પડકાર કર્યો તેમજ યાર્ડમાં અડધા ડાયરેક્ટરો વિરોધ પક્ષના છે તે ચુપ કેમ તે પોલ ખોલી અને વિરોધ પક્ષના નેતાઓ શંકાના દાયરામાં હોય તેવું જાહેરમા કહ્યુ તેમ વાળા ભરતસિંહ પોપટભા તરેડી પ્રદેશ પ્રમુખ ખેડુત કલ્યાણ સંગઠન ગુજરાત, નિકુંજસિહ ઝાલા ઉખરલા,રાજભા સોસીયા, વિગેરે આગેવાનો જણાવી રહ્યા છે