
ગ્રહોની દુનિયા
-લલિત રાજ્યગુરુ
જન્મ કુંડળીમાં એવા યોગ જે પાગલપન આપી શકે છે
જ્યોતિષ અનુસાર કુંડળીમાં ઘણા એવા યોગ હોય છે જે વ્યકિતને પાગલ થવાની સંભાવના જણાવે છે.ચંદ્ર મનનો કારક ગ્રહ છે,દુષિત ચંદ્ર,નબળો ચંદ્ર, ચંદ્ર પર ક્રુર ગ્રહોની દ્રષ્ટિ કે રાહુ સાથે સંબંધ(યુતિ) માનસિક સ્થિતી ડામાડોળ કરી શકે છે. ગાંડપણની બીમારી કોઈ ને બચપણથી હોય છે તો કોઈને મોટી ઉમરે આ પરેશાનીનો સામનો કરવો પડતો હોય છે.જો કોઈ વ્યકિતની કુંડળીમાં આવા યોગ બનતા હોય એમને સાવધાન રહેવાની જરુર હોય છે.આવા યોગોના પ્રભાવને નિયંત્રિત કરવા માટે જ્યોતિષ શાસ્ત્રોમાં જણાવેલ ઉપાય પણ કરવા જોઈએ.આમ તો કુંડળીમાં બધા જ ગ્રહો પોતાની પ્રકૃતિ અનુસાર રોગનો સંકેત આપે છે,પરંતુ કુંડળીમાં બે અથવા બેથી વધારે ગ્રહોની યુતિ પોતાનો અલગ પ્રભાવ પ્રગટ કરે છે.આ યુતિ રોગોને વધુ જટીલ બનાવે છે.કુંડળીમાં ગ્રહો એવા પણ યોગ બનાવે છે જે પાગલપનની બીમારીના યોગ બનાવે છે.
જ્યારે કોઈ વ્યક્તિની કુંડળીમાં જો બુધ-મંગળ એક સાથે હોય એવા વ્યક્તિને લોહી સંબંધિત બિમારી થઈ શકે છે.સાથોસાથ મંગળને કારણે બુધ જો વધારે ખરાબ હોય તો તે બ્લડપ્રેશરની પરેશાની આપે છે.મંગળ અને બુધ બન્નેની વધારે ખરાબ હોવાની સ્થિતિથી વ્યક્તિને પાગલપનની બિમારી થઈ શકે છે.
જો કોઈ વ્યક્તિની કુંડળીમાં ચંદ્ર,બુધની યુતિ કેન્દ્ર સ્થાનમાં બની રહી હોય અથવા આ બન્ને ગ્રહો લગ્ન ભાવમાં સ્થિત હોય તો વ્યક્તિ ઉન્માદી અથવા અલ્પ બુદ્ધિવાળી હોય શકે છે.
જ્યારે વ્યક્તિની કુંડળીમાં ભાગ્ય અને સંતાન ભાવમાં સૂર્ય અને ચંદ્ર હોયતો વ્યક્તિનો માનસિક વિકાસ યોગ્ય રીતે થઈ શકતો નથી.તે વ્યક્તિ માનસિક રીતે નબળી રહી જાય છે.
જો કુંડળીમાં મંગળ સાતમાં સ્થાનમાં હોય તથા ગુરુ લગ્ન સ્થાનમાં હોય તો વ્યક્તિ કોઈ આઘાતના કારણે પાગલ થવાની સંભાવના છે.
જો કુંડળીમાં ગુરુ અને શનિ કેન્દ્રમાં સ્થિત હોય અને શનિવાર અથવા મંગળવારનો જન્મ હોય તો વ્યક્તિની માનસિક સ્થિતી નબળી હોય શકે છે.જો કુંડળીમાં સૂર્ય-મંગળ એક સાથે હોય અથવા સૂર્ય-શનિ એક સાથે હોય અથવા સૂર્ય,શનિ અને મંગળ એકસાથે હોય તો આવી વ્યક્તિને ક્રોધ ઘણો વધારે આવતો હોય છે.અને આવી સ્થિતીમાં વ્યક્તિ પોતાના ક્રોધને કાબુ કરી શકતી નથી.આ ઉપરાંત શનિ અને ચંદ્રનો વિષયોગ અને ચંદ્ર રાહુનો ગ્રહણદોષ પણ માનસિક રોગોને ઉત્પન્ન કરી શકે છે. આ યોગોની સાથે ઘણી બાબતોમાં બીજા અન્ય ગ્રહોના શુભ પ્રભાવના કારણે આવા અશુભ ફળ આપોઆપ નાશ પણ પામે છે.આખી કુંડળી અને ગ્રહોનો અભ્યાસ કર્યા વગર કોઈ પણ કુંડળીમાં ચોક્કસ કહી શકાય નહી.
આ ઉપાયો માનસિક સ્થિતિને યોગ્ય કરી શકવામાં સહાયક બને છે.
- જન્મ કુંડળીના અશુભ યોગોનું જ્યોતિષીય નિરાકરણ કરાવવું જોઈએ.
- રોજ ગૌમૂત્રનું સેવન કરવુ લાભદાયક રહે છે.
- બુધના મંત્રના જાપ કરવા જોઈએ.
4.રોજ શિવજીની વિધી વિધાનથી પૂજા કરવી. એનાથી માનસિક શાંતિ મળે છે.
- બુધવારે ગાયને લીલો ચારો નાખવો જોઈએ.
- હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી સારુ પરિણામ પ્રાપ્ત થાય છે.
7.આ ઉપરાંત યોગ અને પ્રાણાયામ દ્વારા પણ માનસિક સ્થિતિ યોગ્ય થઈ શકે છે.