Friday June 20, 2025

સાસણના સિંહ સદન ખાતે સિંહ સરક્ષણ જાગૃતિ સેમિનાર યોજાયો

સેમિનારમાં ભાવનગર જિલ્લાના પ્રકૃતિ પ્રેમીઓ જોડાયા

હરેશ જોષી, સાસણ ગીર
વાઈલ્ડ લાઇફ ડિવિઝન સાસણના ઉપક્રમે આજે સિંહ સદન સાસણગીરના ઓડિટોરિયમમાં સિંહ સંરક્ષણ જાગૃતિ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું ઉદઘાટન વન્ય પ્રાણી વિભાગ સાસણના નાયબ વંશરક્ષક ડો. મોહન રામે કર્યું હતું. તેઓએ જણાવ્યું કે આજનો આ માર્ગદર્શન કાર્યક્રમ આવતા દિવસોમાં સિંહ સરક્ષણ અને સિંહ જાગૃતિ માટે મહત્વનો સાબિત થશે. હું આપ સૌની સાથે ભલે પ્રત્યક્ષ રીતે ન મળતા હો પરંતુ પરોક્ષ રીતે હંમેશા જોડાયેલો છો. સને 2025માં યોજાનાર સિંહ ગણતરીનો આગામી કાર્યક્રમ યોજાશે તેમાં કેવી રીતે કામ કરવું તે આજે વિગતો અપાશે.
આ કાર્યક્રમમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર રાઠોડ, મેસવાણિયા તથા સિંહ દિવસના મહત્વનું સંકલન કરતા કરસનભાઈ વાળા તથા પર્યાવરણ અને પ્રાણી તજજ્ઞ રોહિત વ્યાસ અને ભાવનગર જિલ્લાના સિંહ દિવસના સંયોજક તખુભાઈ સાંડસુર વગેરે જોડાયાં હતા. ભાવનગર જિલ્લાના સિંહ દિવસ સાથે જોડાયેલાં કાર્યકર્તાઓ, બીઆરસી, સીઆરસી તથા તાલુકા કોર્ડીનેટર વગેરેની પણ વિશેષ હાજરી રહી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top