જામનગર
કિરીટ ગોસ્વામી એકવીસમી સદીના શ્રેષ્ઠ બાળસાહિત્યકાર છે. આધુનિક બાળસાહિત્યમાં નવાં ને મૌલિક સર્જન થકી તેઓ છવાઇ ગયા છે. નવા સમયનાં બાળકોના તેઓ પ્રિય બાળસાહિત્યકાર છે. બાળકો કિરીટ ગોસ્વામી નું સાહિત્ય વાંચવા માટે પડા પડી કરે છે.
તાજેતરમાં જ, તા. 5 જાન્યુઆરીના રોજ, અસાઇત સાહિત્ય સભા, ઊંઝા અને ત્રિપદા ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે અપાતા સાહિત્યના વિવિધ પુરસ્કારો પૈકી કિરીટ ગોસ્વામીના બાળવાર્તાનાં સંગ્રહ ‘ ઉંદરભાઇનો ઝૂલો’ને સર્જન સન્માન પુરસ્કાર ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, અમદાવાદ ખાતે યોજાયેલ એક ભવ્ય સમારંભમાં સુપ્રસિદ્ધ કવિ માધવ રામાનુજના હસ્તે એનાયત કરવામાં આવ્યો.
આ સમારંભમાં કિરીટ ગોસ્વામીએ પોતાની સર્જન કેફિયત રજુ કરી હતી.સતત બાળકમય જીવન જીવવાથી તેમને વાર્તાઓના વિષય વસ્તુ મળે છે.તેમણે ગુજરાતની લગભગ સાડા પાંચ સો જેટલી પ્રાથમિક શાળાઓમાં બાળસાહિત્યનાં કાર્યક્રમ રજુ કરેલ છે. બાળસાહિત્યમાં
સતત કંઇક નવું કરવા મથતા અને બાળભોગ્ય અને અભૂતપૂર્વ બાળસાહિત્ય આપનાર કિરીટ ગોસ્વામીને બાળસાહિત્યનો સર્વોચ્ચ એવો કેન્દ્રીય સાહિત્ય અકાદમી,દિલ્હીનો પુરસ્કાર તેમનાં ‘ખિસકોલીને કમ્પ્યૂટર છે લેવું!’ બાળગીતસંગ્રહ માટે પ્રાપ્ત થયેલ છે.
તેમનાં ‘ હાથીભાઇ તો હેન્ડસમ’ , ‘ ઉંદર પાંચ પૂંછડીવાળો’, ‘ ફૂલગુલાબી કિસ્સા’ જેવા બાળવાર્તાઓના જાણીતા પુસ્તકો છે.આ ઉપરાંત, બાળકોને ઇ-વેસ્ટની સમજ આપતી તેમની સળંગ બાળકથા ‘ ચૂંચૂંનગરમાં માઉસ’ ખૂબ જ લોકપ્રિય થયેલ છે.
ભારતભરમાં ફેલાયેલ પ્રથમ ઑપન સ્કૂલ અને ગુજરાત-મહારાષ્ટ્રના અભ્યાસક્રમમાં તેમની બાળવાર્તાઓ સમાવેશ પામેલ છે. સર્જન ઉપરાંત, તેઓ બાળવાર્તાઓ અને બાળગીતોની બાળભોગ્ય રજૂઆત માટે ખૂબ જાણીતા છે. કિરીટ ગોસ્વામીને સાંભળવા એ એક લ્હાવો છે. જો તમે કિરીટ ગોસ્વામીને ક્યારેય સાંભળ્યા નથી તો એમ કહી શકાય કે બાળ સાહિત્ય વિશેનું તમારું જ્ઞાન અપૂર્ણ છે. એક બાળ સાહિત્ય વિવેચકે જણાવ્યું કે કિરીટ ગોસ્વામી જેવા બાળસાહિત્યકાર ભૂતકાળમાં ક્યારેય થયા નથી અને ભવિષ્યમાં થવા અસંભવ છે.
