ખંભાળિયા શહેર ભાજપના તત્કાલીન પ્રમુખ અનિલભાઈ ગોરધનદાસભાઈ તન્નાનો આજે જન્મદિવસ છે. તારીખ 22-01-1964 ના દિને જન્મેલા અનિલભાઈ તન્ના છેલ્લા ત્રણ દાયકાથી ભારતીય જનતા પાર્ટીના એક અડગ સૈનિક તરીકે સેવાઓ આપી રહ્યા છે. બુથ પ્રમુખ તરીકેની જવાબદારીથી માંડીને લોકસભા અને રાજ્યસભા તથા નગરપાલિકાની ચૂંટણીમાં પણ તેઓએ પ્રચાર-પ્રસાર ઉપરાંત સ્લિપ વિતરણ સહિતના પણ કામો કર્યા છે. વર્ષ 2013 થી વર્ષ 2016 સુધીના સમયગાળા દરમિયાન તેઓએ ખૂબ જ મહત્વના સમયગાળા દરમિયાન તેઓએ ખંભાળિયા શહેર ભાજપના પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવી હતી. તેમની આગેવાની હેઠળ ભાજપે ખંભાળિયા નગરપાલિકામાં 27 માંથી 21 બેઠકો મેળવી હતી. વર્ષ 2019 ની લોકસભાની ચૂંટણીમાં શહેર ઇન્ચાર્જ તરીકે અનિલભાઈએ નિભાવેલી જવાબદારીમાં ફક્ત શહેરમાંથી જ ભાજપને નોંધપાત્ર મતોની લીડ મળી હતી. આ બાબતને ધ્યાને લઈ અને પાર્ટી દ્વારા નવેમ્બર 219 થી પુનઃ તેઓને ખંભાળિયા શહેર ભાજપના પ્રમુખ તરીકેની જવાબદારી સોંપી હતી. જેના ફળ સ્વરૂપે ભાજપને નગરપાલિકાની 28 માંથી 26 બેઠકની રેકોર્ડ રૂપ બહુમતી મળી છે.
ગત વિધાનસભાની ચૂંટણીમાં પણ અનિલભાઈની સક્રિય કામગીરીથી શહેરમાંથી ભાજપને 5,800 મતની નોંધપાત્ર લીડ સાંપડી હતી. ખંભાળિયામાં ભાજપના પાયાના પથ્થર સમાન અનિલભાઈ તન્ના અગ્રણી ઓઈલ મિલર તેમજ વિવિધ ધંધા-વ્યવસાય સાથે પણ સંકળાયેલા છે.
આજે તેમના દ્વારા જન્મદિવસની ઉજવણી સ્લમ વિસ્તારમાં મસાલા ખીચડી અને બ્લેન્કેટ આપીને સાદગીપૂર્ણ રીતે કરવામાં આવશે.
અનિલભાઈ તન્નાને આજે તેમના જન્મદિવસ નિમિત્તે તેમના મોબાઈલ નંબર 98790 04177 પર શુભકામનાઓની વર્ષા થઈ રહી છે.
(ફોટો:- કુંજન રાડિયા)
