Saturday June 21, 2025

ખંભાળિયાની બદીયાણી હોસ્પિટલ ખાતે રવિવારે નેત્ર યજ્ઞ તથા સર્વરોગ નિદાન કેમ્પ

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૩-૦૧-૨૦૨૫

     ખંભાળિયામાં જામનગર માર્ગ પર આવેલી જાણીતી માનવ સેવા સમિતિ સંચાલિત એલ પી બદીયાણી હોસ્પિટલ ખાતે આગામી રવિવાર તારીખ 26 જાન્યુઆરીના રોજ સવારે 9:00 થી 11:30 સુધી વિના મૂલ્યે નેત્ર નિદાન, સારવાર, દવા વિતરણ તેમજ શસ્ત્રક્રિયા કેમ સાથે સર્વરોગ નિદાન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
   દાતા શ્રી સુરેન્દ્રભાઈ તથા શ્રીમતી લલીતાબેન પટેલ (હ. અરવિંદભાઈ બદીયાણી - ટોરેન્ટો કેનેડા) તેમજ દાતાઓના આર્થિક સહયોગથી યોજવામાં આવેલા આ કેમ્પમાં રાજકોટની જાણીતી શ્રી રણછોડદાસજી બાપુ હોસ્પિટલના ડોક્ટરો અને ટેકનીશીયનો તેઓની સેવાઓ આપશે. ઓપરેશનની જરૂરિયાતવાળા દર્દીઓને આ સ્થળેથી રાજકોટ લઈ જઈને વિનામૂલ્યે નેત્રમણી સાથેનું ઓપરેશન કરી આપવામાં આવશે.
     આ સાથે યોજાયેલા સર્વરોગ નિદાન કેમ્પમાં અહીંના નિષ્ણાંત ડો. નિલેશભાઈ રાયઠઠ્ઠા દર્દીઓને તપાસીને દવાઓ આપશે. આ કેમ્પનો લાભ લેવા ખંભાળિયા શહેર તથા આસપાસના દર્દીઓને સંસ્થાના પ્રમુખ ધીરેનભાઈ બદીયાણી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top