તાલાલા
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા ખાતે પદ્મશ્રી એવોર્ડ વિજેતા અને મહિલા ઉત્થાન માટે વિરાટ પ્રવૃત્તિઓ કરનાર હીરબાઈ લોબીનું અવસાન થયું છે. હિરબાઈ લોબી તાલાલાના સીદી બાદશાહના ગામ જાંબુરના રહેવાસી હતા અને તેમણે વર્ષો સુધી મહિલા જાગૃતિની પ્રવૃત્તિઓ કરીને લોકપ્રિયતા મેળવી હતી અને તેમના આ ઉમદા કાર્યોને લીધે ભારત સરકારે તેમને પદ્મશ્રી એવોર્ડ અર્પણ કર્યો હતો.
