Saturday June 21, 2025

અવસાન નોંધ: જામ ખંભાળિયા: બથિયા પરિવાર

જામ ખંભાળિયા, તા. ૨૬-૦૧-૨૦૨૫

જામ ખંભાળિયા: સ્વ. રાઘવજી ઓધવજી બથિયાના પુત્ર વ્રજલાલ રાઘવજી બથિયાના ધર્મપત્ની જમનાબેન વ્રજલાલ બથિયા (ઉ.વ. 87 વર્ષ), તે સ્વ. પ્રદીપભાઈ વ્રજલાલ બથિયા, જયશ્રીબેન હસમુખલાલ મશરૂ, જ્યોતિબેન અશ્વિનભાઈ ગાંધી, નીલાબેન વિજયભાઈ ઠક્કર, ઉષાબેન ભદ્રેશભાઈ અઢિયા અને ગં. સ્વ. રેણુકાબેન ભરતભાઈ બદિયાણીના માતુશ્રી તેમજ મગનલાલ છગનલાલ દતાણીના પુત્રી અને જીનલબેન દીપેશભાઈ બદિયાણી, તૃપ્તિબેન ધિરેનભાઈ પટેલ, નિધિ માનવભાઈ તન્ના અને જીત (શ્યામ) પ્રદીપભાઈ બથિયા ના દાદીમાં તારીખ 25 રોજ શ્રીજી ચરણ પામ્યા છે.

       તેમની પ્રાર્થનાસભા તથા પિયરપક્ષની સાદડી સોમવાર તા. 27 ના રોજ સાંજે 4 થી 4:30 સુધી ભાઈઓ તથા બહેનો જલારામ મંદિર, પ્રાર્થના હોલ ખંભાળિયા ખાતે રાખેલ છે.

____________________________________________________________________________

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top