Saturday June 21, 2025

જીયુવીએનએલ (GEB) વિજિલન્સ ભાવનગરમાં એએસઆઇ તરીકે ફરજ બજાવતા રાજેન્દ્રસિંહ ગોહિલનો આજે જન્મ દિવસ

ભાવનગર

જીયુવીએનએલ (GEB) વિજિલન્સ ભાવનગર ખાતે આસિસ્ટન્ટ પોલીસ સબ ઇન્સ્પેકટર તરીખે ફરજ બજાવતા રાજેન્દ્રસિંહ જે. ગોહિલ નો આજે શુભ જન્મ દિવસ છે. જીઇબી વિજિલન્સ વિભાગમાં આસિસ્ટન્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી તરીકે ફરજ બજાવતા રાજેન્દ્રસિંહ જસુભા ગોહિલ નો આજે ૨૩ મી ફેબ્રુઆરી ૨૦૨૫ ના રોજ ૫૨ મો જન્મદિવસ છે. તેવો ભાવનગર રાજ્યના પૂર્વ લશ્કરી કમાન્ડર અને ભાવેણાનું ગૌરવ એવા સ્વર્ગસ્થ કલાભા દેવીસિંહજી ગોહિલ – ભાવનગર ભાયાત રાજપીપળા ક્ષત્રિય ગોહિલ પરિવારના છે. રાજભા ગોહિલે પ્રાથમિક શિક્ષણ સોનગઢ ગુરુકુળ તથા શાળા નંબર ૭ ભાવનગર થી તેમજ હાઈસ્કૂલ નો અભ્યાસ ધનેશ મહેતા હાઈસ્કૂલ અને ત્યારબાદ એમ. જે. કોમર્સ કોલેજ – ભાવનગરમાંથી ગ્રેજ્યુએટ સુધીનો અભ્યાસ કર્યો છે. રાજભા આજરોજ ૫૨ વર્ષ પોતાના જીવનના પુરા કરી, ૫૩ મા વર્ષમાં પ્રવેશ કરશે.

ઉલ્લેખનીય છે કે રાજભા પોલીસ દળમાં સને ૧૯૯૩ થી ફરજ બજાવી રહ્યા છે , પોતે ભાવનગર જિલ્લામાં વિવિધ પોલીસ સ્ટેશનો ઉપરાંત ધારાસભ્યના કમાન્ડો તરીકે, ભાવનગર મહાનગરપાલિકાના કમિશનરના કમાન્ડો તરીકે, તેમજ ભાવનગર જિલ્લાના મુખ્ય વહીવટી વડા એવા કલેક્ટર સાહેબ ના કમાન્ડો તરીકે ખૂબ જ વિશ્વાસુ અને પ્રમાણિકતા પૂર્વક ફરજ બજાવી સૌના પ્રીતિપાત્ર બની રહ્યા, ઉત્તમ સેવા સાથે નિષ્ઠાપૂર્વકની ફરજ બજાવી‌ . રાજભા ગોહિલ ભાવનગર જિલ્લા પોલીસ કંટ્રોલરૂમ ખાતે કંટ્રોલ ઇન્ચાર્જ તરીકેની મહત્વની ફરજ પણ બજાવેલ , ફરજ દરમિયાન દરેક જગ્યાએ પોતાના સાથી કર્મચારીઓ સાથે પણ ખૂબ જ સુમેળતા દાખવી સૌ કોઈ સાથે સારા સંબંધો સ્થાપિત કરેલ છે. રાજભા હર હંમેશ અન્યને મદદરૂપ થનાર આનંદી અને હકારાત્મક વિચારો વાળા સરળ અને સહજ સ્વભાવનું પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવે છે. પોતાના અંગત જીવનમાં તેઓ અલગ અલગ સામાજિક અને રચનાત્મક પ્રવૃત્તિઓ કરતી અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. તેવો એલર્ટ યંગ ગ્રુપ ઓફ ઇન્ડિયા, અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભા, જય ગિરનારી સેવા સમાજ, સર્વેશ્વર ગૌ ધામ વિગેરે સંસ્થાઓ સાથે જોડાયેલા રહ્યા છે. વિશેષ રૂપે જોઈએ તો ગુજરાતની ખૂબ જાણીતી ગૌસેવા અને માનવસેવા નું કાર્ય કરતી સંસ્થા કૈલાશ ચેરીટેબલ ટ્રસ્ટના તેઓ સ્થાપક સભ્ય છે, ૧૭૫ થી વધુ સેવાભાવી સભ્યો સાથે તેવો કૈલાશ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નિરંતર અલગ અલગ ગૌ શાળાઓમાં જઈ ગૌ માતા ની વિવિધ સેવાઓ કરી રહ્યા છે, આ ઉપરાંત વૃદ્ધાશ્રમ ,બાલાશ્રમ, અનાથાશ્રમ, અલગ અલગ હોસ્પિટલના દર્દી નારાયણો ની સેવા, ઝૂંપડપટ્ટીમાં વસતા ગરીબો વગેરે જગ્યાએ પણ યથા યોગ્ય સેવાઓ આપી માનવ સેવાના કાર્યમાં પણ પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપી રહ્યા છે . સનાતન ધર્મ પ્રત્યેની પોતાની શ્રદ્ધા ભક્તિ તેમને વધુને વધુ કાર્ય કરવા પ્રેરે છે, આ ઉપરાંત નિરંતર રક્તદાન ની પ્રવૃત્તિઓ તેમજ જીવદયા ના કાર્યોમાં પણ તેમનું યોગદાન નોંધપાત્ર રહ્યું છે , ખૂબ જ મોટું મિત્ર વર્તુળ અને જીવંત લોક સંપર્ક તેમની મોટી મૂડી છે , વર્ષો સુધી પોતાના સ્થાપેલા સુમેળ ભર્યા સંબંધોને તેઓ સાચવીને હંમેશા નિભાવી રહ્યા છે , તેઓનો સરળ અને સહજ સ્વભાવ સામેવાળી વ્યક્તિને સ્પર્શયા વિના રહેતા નથી . તેઓ ભાવનગરના વડવા ખાતે પોતાના વડદાદા ના નામથી જાણીતી કલાભા જમાદાર ની શેરી તેમજ ટોપ થ્રી સર્કલ પાસે આવેલ સ્વપ્નસૃષ્ટિ સોસાયટીમાં નિવાસસ્થાન ધરાવે છે, પોતાના જીવનકાળ દરમિયાન અનેક જ્ઞાતિઓ અને વિવિધ સમાજોની વચ્ચે રહીને સંબંધોને કેળવીને તેઓએ પોતાનું આગવું સ્થાન હંમેશા માટે જાળવી રાખ્યું છે અને સૌની સાથે જોડાયેલા રહ્યા છે . આજે તેઓ તેમના માતૃશ્રી પ્રેમકુંવરબા તથા ધર્મપત્ની પ્રિત્તીબા , દિકરા સૂર્યરાજસિંહ (ઇંગ્લેન્ડ યુકે) , દીકરીબા માનશ્રીબા તથા મોટા બહેન કૈલાશબા દિલીપસિંહ જાડેજા (મોડા-જામનગર), નાના બહેનશ્રી હર્ષાબા દશરથસિંહ જાડેજા (તરઘરી દેવળીયા-જામનગર) તથા નાનાભાઈ વિક્રમસિંહ ગોહિલ (એડવોકેટ) સહિતના પરિવારના સભ્યો જ્યોતિબા, ધર્માક્ષીબા, દ્વારકેશરાજસિંહ સહિતના સભ્યો સાથે સાદગી પૂર્ણ રીતે સેવાના કાર્યો કરી ઉજવણી કરશે તેમને જન્મદિવસની શુભેચ્છાઓ આપવા માટે સંપર્ક મોબાઈલ નંબર :- ૯૪૨૬૨૬૧૫૦૦ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top