
પ્રદેશ ભાજપ સીએ સેલના કન્વીનર નરેશભાઈ કેલાએ ગોષ્ઠીસહ માર્ગદર્શન આપ્યું.
હરેશ પરમાર, ભાવનગર
તારીખ ૨૧-૦૨-૨૦૨૫ અને શુક્રવારે સાંજના ૬-૩૦ કલાકે મેઘાણી હોલ ખાતે ભાવનગર શહેર ભાજપ સંગઠન અધ્યક્ષ અભયસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં એક પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાએલ, જેમાં પ્રદેશ ભાજપ સીએ સેલના કન્વીનર નરેશભાઈ કેલાએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની કેન્દ્ર સરકારના નાણામંત્રી નિર્મલા સીતારમને રજુ કરેલ ૨૦૨૫- ૨૬ ના બજેટ વિશે રસાળ શૈલીમાં માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં ભાવનગરના પ્રબુદ્ધ નાગરિકો તેમજ શહેર અધ્યક્ષ અભયસિંહ ચૌહાણ, મેયર ભરતભાઇ બારડ, મહામંત્રી પાર્થભાઈ ગોંડલીયા સહિત શહેર ભાજપ સંગઠન, સ્ટે. ચેરમેન રાજુભાઇ રાબડીયા, સૌ. ચેમ્બર ઓફ કોમર્સના પ્રકાશભાઈ ગોરસિયા, વરિષ્ટ આગેવાનો, પૂર્વ અને વર્તમાન હોદ્દેદારો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, વોર્ડ સંગઠન, તમામ સેલ, મોરચા અને સમિતિઓના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતાં. શહેર ભાજપ પ્રમુખ અભયસિંહ ચૌહાણે વક્તા નરેશભાઈ કેલાને સ્મૃતિચિહ્નન આપીને સન્માનયા હતા તેમજ નાગરિક બેન્કના ચેરમેન પ્રભાતસિંહે સ્વાગત પ્રવચન કર્યું હતું તેમજ ડાયરેક્ટર સુરેશભાઈ ધાંધલ્યાએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું, તેમજ ધર્મેન્દ્રભાઈ મહેતાએ આભારવિધિ કરી હતી, તેમ હરેશભાઇ પરમારની યાદી જણાવે છે.


