
મૂકેશ પંડિત
અડતાળા રવિવાર તા.૨૩-૩-૨૦૨૫
ગઢડા પાસેનાં અડતાળા ગામે વિશ્વ ચકલી દિવસ સંદર્ભે ચકલી માળા વિતરણ થયું. ઉગામેડીનાં ઉદ્યોગપતિ દાતા શ્રી લાલજીભાઈ પટેલનાં સહયોગ સાથે શાળામાં વિધાર્થીઓને ચકલી માળા વિતરણ થતું. પર્યાવરણ કાર્યકર્તા શ્રી રમેશભાઈ પટેલનાં સંકલન સાથે આચાર્ય શ્રી ચંદ્રસિંહ તુવર, શ્રી બાબુભાઈ સુડજા, શ્રી પરેશભાઈ ધનવાણિયા અને શાળા પરિવાર જોડાયેલ.