
મૂકેશ પંડિત, બગસરા
સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ રાજકોટના સહયોગથી બાળ કેળવણી મંદીર દ્રારા બગસરા માં ત્રણ છાસ વિતરણ કેન્દ્ર શરૂ કરવામાં આવેલ છે. ઉનાળાની કાળઝાળ ગરમી માં જરૂરીયાત મંદ પરીવારો ની આંતરડી ઠારવા માટે નો આ સેવા યજ્ઞ નિયમિત ચાલી રહયો છે. બાળ મંદિર કેમ્પસમાં દમયંતી બેન ડાભી હુડકો બગસરામાં જયેશભાઇ ત્રીવેદી, સરાણિયા વિસ્તાર અટલજી પાર્ક બગસરામાં નયનાબેન જેકીભાઈ મેવાડા વગેરે સેવાભાવી કાર્યકરો ના સહયોગથી સરસ રીતે છાશ કેન્દ્ર ચાલી રહ્યા છે, તેમ એક યાદીમાં જણાવાયું છે. દેવચંદ સાવલિયા બાળ કેળવણી મંદીર બગસરા.