Headlines

Naran Baraiya

Naran Baraiya is a veteran journalist of India. He is known for his investigative journalism and taking interviews.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ૪ જાન્યુઆરીએ રાજકોટમાં ખેલ મહાકુંભ ૩.૦નો શુભારંભ

રાજ્યકક્ષાના તૃતીય રમતોત્સવ માટે ૭૧.૩૦ લાખ રમતવીરોનું રેકોર્ડબ્રેક રજિસ્ટ્રેશન દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન રાજકોટ રમતવીરોના ઉત્સાહ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી ૪ જાન્યુઆરી ને શનિવારે રાજકોટથી ખેલ મહાકુંભ ૩.૦નો શુભારંભ કરાવશે. રાજ્યકક્ષાના તૃતીય રમતોત્સવ માટે ૭૧,૩૦,૮૩૪ રમતવીરોનું રેકોર્ડબ્રેક રજિસ્ટ્રેશન થયું છે. દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પેશિયલ ખેલ મહાકુંભનું પણ આયોજન કરવામાં આવ્યું છે.સ્પોર્ટ્સ…

Read More

ગઝલ : ગિરીશ રઢુકિયા – ગ્લોબલ

સ્હેજ અસમંજસ હજી એ વાતમાં છે.સાથમાં છે, એ ખરેખર સાથમાં છે? હાથતાળી આપતી એ સૌ ક્ષણો પણ,ક્યાંક પકડાશે, અમારા લાગમાં છે. કો’ક દાડો ફૂટશે ફણગાં મજાના,બીજ મેં વાવી દિધેલા ચાસમાં છે. આગ ભડ- ભડ થાય પણ સળગે નહિ જો,જીવ કોનો આ પુરાયો લાશમાં છે? તોય શાંને આટલા વિખવાદ થાતાં?બુધ્ધમાં છે એજ સારપ રામમાં છે.

Read More

રાજ્યમાં નવી રચાયેલી નવ મહાનગરપાલિકાના વહીવટદાર તરીકે જિલ્લા કલેકટરોને કાર્યભાર સોંપાયો

ગાંધીનગરમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં મળેલી રાજ્યમંત્રી મંડળની બેઠકે રાજ્યમાં નવી નવ મહાનગરપાલિકાઓ કાર્યરત કરવાની મંજૂરી ગઈકાલે આપી છે. નવી મહાનગરપાલિકાઓ તાત્કાલિક અસરથી અમલમાં આવતા આ નગરપાલિકાઓની વર્તમાન પાંખની અવેજીમાં હવે સંબંધિત જિલ્લા કલેકટરો મહાનગરપાલિકાઓના વહીવટદાર તરીકે ફરજો બજાવશે. તદ્દ અનુસાર, મહેસાણા, નવસારી, નડિયાદ (ખેડા), વાપી (વલસાડ), આણંદ, સુરેન્દ્રનગર, પોરબંદર, મોરબી, ગાંધીધામ (કચ્છ)ના જિલ્લા કલેકટરો આ…

Read More

વિશ્વ ગુજરાતી મહા સમિતિના સભ્ય પદે ધીરેન અવાસીયા આરુઢ

અમદાવાદવિરાટ અખબારી કારકિર્દી અને વિશાળ રાજકીય કારકિર્દી ધરાવનાર અને સમાજ સેવા માટે જરૂરી એવું લાગણીશીલ હૃદય ધરાવનાર અને ગુજરાતી જનતામાં અપાર લોકપ્રિયતા ધરાવનાર ધીરેન અવાસીયાને વિશ્વ ગુજરાતી સમાજની મહા સમિતિની ચૂંટણીમાં મહા સમિતિના સભ્ય પદે નિમવામાં આવતા સમગ્ર ગુજરાતી સમાજમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે. વિશ્વ ગુજરાતી સમાજના ચૂંટણી અધિકારી એડવોકેટ એ એસ સૈયદ અને…

Read More

ચારડામાં રામેશ્વરબાપુ હરિયાણીનાં વ્યાસાસને રામકથા

મૂકેશ પંડિત, ઈશ્વરિયા બનાસકાંઠાનાં ચારડામાં રામલખનદાસબાપુ ૧૦૦મી જીવંત શતાબ્દી મહોત્સવ ઉજવણી થઈ રહી છે. બાલા હનુમાનજી મંદિર ચિત્રકૂટધામમાં રામેશ્વરબાપુ હરિયાણીનાં વ્યાસાસને રામકથા લાભ ભાવિક શ્રોતાઓને મળી રહ્યો છે. ભક્તો ભાવિકો બહુ જ મોટી સંખ્યામાં રામકથા નો લાભ લેવા માટે આવી રહ્યા છે અને બાપુ બહુ જ રસિક અને ભાવસભર શૈલીમાં કથા વાંચન કરી રહ્યા છે.

Read More

ખંભાળિયા નજીક કાર અડફેટે બાઈક ચાલક યુવાનને ગંભીર ઇજા

કુંજન રાડીયા, જામ ખંભાળિયા       ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં આવેલા શીરૂ તળાવ પાસે રહેતા ભાવેશભાઈ જયસુખભાઈ કણજારીયા નામના 29 વર્ષના યુવાન તેમના મોટરસાયકલ નંબર જી.જે. 37 એલ. 1538 પર બેસીને ભાણવડ રોડ પર જઈ રહ્યા હતા. ત્યારે અત્રેથી આશરે 27 કિલોમીટર દૂર મોટી ખોખરી ગામ નજીક પહોંચતા આ માર્ગ પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા…

Read More

દ્વારકા નજીક એક્ટિવા અડફેટે દંપતી – પુત્રી ઈજાગ્રસ્ત

કુંજન રાડીયા, જામ ખંભાળિયા      ભાણવડમાં આવેલી તાલુકા પંચાયત કચેરી પાસે જી.જે. 01 ઈ.બી. 7340 નંબરના મોટરસાયકલ પર બેસીને રૂપામોરા ગામથી ભાણવડ જવા માટે નીકળેલા ભરતભાઈ ગોવિંદભાઈ નકુમ નામના 33 વર્ષના સગર યુવાનના મોટરસાયકલ સાથે પૂરઝડપે અને રોંગ સાઈડમાં આવીને જી.જે. 37 એ. 8426 નંબરના એકટીવા મોટરસાયકલ ચલાવતા એક મહિલાએ અકસ્માત સર્જ્યો હતો. જેના…

Read More

“મધુબેનને કહેજો તૈયારીમાં રહે, અમે ગમે ત્યારે આવીને મર્ડર કરી નાખશું”

દ્વારકામાં મહિલાને મારી નાખવાની ધમકી: બે સામે ફરિયાદ કુંજન રાડીયા, જામ ખંભાળિયા       દ્વારકામાં આવેલા આંબેડકર નગર વિસ્તારમાં રહેતા વંદનાબેન રામજીભાઈ પરમાર નામના 32 વર્ષના મહિલાના ઘરે આવી અને મીઠાપુરના રહીશ રાકેશ ધનાભાઈ રોશિયા અને એક અજાણી મહિલાએ ફરિયાદી વંદનાબેનના ઘરના દરવાજામાં પગથી પાટુ મારી અને ખખડાવતા વંદનાબેનના પિતાએ દરવાજો ખોલ્યો હતો અને પૂછતા…

Read More

મીઠાપુરમાં પૂજારી યુવાનને હૃદયરોગનો જીવલેણ હુમલો

કુંજન રાડીયા, જામ ખંભાળિયા       મીઠાપુરમાં આવેલા નાગેશ્વર ખાતે રહેતા અને સેવાપૂજાનું કામ કરતા મૂળ ઉત્તર પ્રદેશ રાજ્યના બલિયા જિલ્લાના વતની બચ્ચેલાલ લક્ષ્મણ ચૌધરી નામના 48 વર્ષના યુવાનને હૃદયરોગનો હુમલો આવી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હોવા અંગેની જાણ મૃતકના પુત્ર વિકેશ ઉર્ફે વિકી બચ્ચેલાલ ચૌધરી (ઉ.વ. 26) એ મીઠાપુર પોલીસને કરી છે.

Read More

પોરબંદરના દરિયામાં અકસ્માતે પડી જતા બે માછીમારોના મોત

આંધ્રપ્રદેશના લક્ષ્મણનારાવને જેટી પર ચક્કર આવતા પાણીમાં પડી ગયા: ઝાખરપાડાના રાણાભાઇ બોટમાં કામ કરતા કરતા અકસ્માતે પાણીમાં પડી ગયા પોરબંદરપોરબંદરના દરિયામાં અકસ્માતે પડી જવાને કારણે બે માછીમારોના મોત થવાની ઘટના સામે આવી છે જેમાં એક આંધ્રપ્રદેશના વતની માછીમાર જેટી ઉપરથી ચક્કર આવવાને કારણે પાણીમાં પડી ગયા હતા જ્યારે બીજા એક બનાવવામાં ઉના તાલુકાના ઝાખરપાડા ગામના…

Read More